SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ નવમો. ચક્રવાકી જેમાં એવા ગંગા નદીના કિનારા પર રેતીની પથારી ઉપર સૂતેલા તે નલરાજાની રાત્રિ પસાર થઈ ગઈ. આ પ્રમાણે તે ગંગાકિનારે ત્રણ દિવસ સુધી રહેતા નલની ચોગ્ય ભકિત કરવા માટે સામંતોએ કૂબેરને અત્યંત આગ્રહ કર્યા બાદ સામંતોએ શસ્ત્ર, વસ, દ્રવ્ય, પાદ્ય અને સ્વાદિષ્ટ પદાર્થો યુક્ત એક સુવર્ણ રથ, અશ્વો જોડીને નલરાજા માટે મોકલાવ્યો એટલે ભૂજન કરીને, પ્રિયા દમયંતી સાથે રથ પર ચઢોને, સ્વયં સારથી બનીને કોઈપણ દિશાનું ધ્યેય નકકી કર્યા સિવાય સાહસિક નલ ચાલી નીકળે. કૂબર રાજાની ભૂમિનું જલ્દીથી ઉલંઘન કરીને નળ ભીલની પલ્લીવાળા વનપ્રદેશથી ઘેરાયેલ પાર્વતીય (પર્વતાવાળા) પ્રદેશમાં આવી ચઢ. પડછંદાને કારણે ભયંકર ભાસતે નલને રથને ધ્વનિ સાંભળીને મૃગચર્મના વસ્ત્રવાળા ભીલોકો તેને અટકાવવાને માટે શીવ્ર દોડયાં. ભીલ લેકેની સેનાથી ઊભરાતા તે પર્વતો, જાણે ચારે દિશાથી આવેલા યમરાજાના સિનિકેથી વ્યાપ્ત બન્યા હોય તેમ ક્ષણમાત્ર શોભી ઊઠયા. પછી “તું તજી દે, તું તજી દે” એ પ્રમાણે બોલતાં, બૂમો પાડતા ભીલ લોકો યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ત્યારે ધનુષને અતિશય ગાઢ કારવ કરતો અને શરઋતુના દુર્દિનને પ્રસરાવતો નલ, ભીલની સેનાને હણવા છતાં તેને પાર પામી શકે નહીં, તે વિશાળ સેનાને એકલે હાથે પહોંચી શકે નહીં. તે અવસરે કલિના કેપથી સંમોહન વિગેરે અસ્ત્રો તક્ષણે નલને ત્યાગ કરીને ચાલ્યા ગયા. પછી ભયને કારણે રથમાંથી દમયંતીને શીધ્ર ઉતારીને સમયને જાણ નાર નલ યુદ્ધનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો એટલે સમસ્ત વસ્તુથી ભરેલા રથને લઈને ભીલ લોકે ચાલ્યા ગયા. તે દુષ્ટ લોકો માત્ર ધનને જ ચાહતા હતા, પ્રાણ લેવા ઈચ્છતા નહતા. બાદ દમયંતીની સાથે પગે ચાલતો નલ શિકારી પશુઓથી વ્યાપ્ત અને ગાઢ અટવીમાં આવી ચઢ મહાઇટવીનું ઉલ્લંઘન કરતાં મહાસાહસિક નલે છિદ્રવાળા વાંસ પર પક્ષીઓને જોયા. આશ્ચર્યને કારણે વિકસ્વર લેશનવાળા ન સુવર્ણમય તે પક્ષીઓને જોઈને દમયંતીને ઉદ્દેશીને કહ્યું કે-“હે કમલ જેવા નેત્રવાળીમાણેક જેવા રક્ત ચરણવાળા, તીર્ણ ચાંચવાળા, ઇંદ્રનીલ મણિના જેવા નેત્રવાળા, મનહર સુવર્ણમય પાંખવાળા આ પક્ષીઓ જેવાય છે, ખરેખર પૂર્વે નહીં જેવાએલા આ પક્ષીઓને હું પકડવાને ઈચ્છું છું કારણ કે આવા પક્ષીઓ બહુ કીંમતી હોય છે.” દેવાધિષિત આ પક્ષીઓ ઊલટા વસ્તુઓને હરણ કરી જનારા છે. વિશ્વાસ નહીં કરવા લાયક આ પક્ષીઓને ગ્રહણ ન કરવા જોઈએ. આપણને તે પક્ષીઓથી શું પ્રજન છે ? જે તમારા પિતાએ અર્પણ કરેલ સ્થાવર રાજ્યરૂપી દ્રવ્ય હાથમાંથી ચાલ્યું ગયું છે તે પછી પાંખરૂપે રહેલ સોનાને મેળવવાને શા માટે ઈચ્છો છો ? અર્થાત તે સોનું તમારા હાથમાં આવશે નહીં. ” આ પ્રમાણે દમયંતીએ સ્પષ્ટ કહેવા છતાં નલે તે પક્ષીઓને પકડવાને માટે પિતાનું ઉત્તરીય વસ્ત્ર તેના પર ફેંકયું, એટલે તે વસ્ત્રને ઉપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy