SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * * દમયંતીયે નલ સાથે જવા માટે કુબેરની લીધેલી રજા. [ ૧૪૩] હાથમાં હોય તે પણ શોભે છે. તારે મને સ્વામીની પાછળ જતાં રોકવી જોઈએ નહીં. નલ મારા દેહને હારી ગયા છે, પણ મારા પ્રેમની હેડ કરી નથી. કદાચ, તારાથી અટકાવાયેલી હું અહીં રહીશ તે પણ મારા જીવિત-ત્યાગના માર્ગમાં તું મને કેવી રીતે રોકી શકીશ?” આ પ્રમાણે દમયંતીના વચન સાંભળીને શરમ અને ભયયુક્ત, સમયજ્ઞ અને વિનયશીલ કૃબર નીચે પ્રમાણે બે -“હે પૂજ્ય! મત્સર ભાવને ત્યાગ કરે. તમારા અંત:કરણને પ્રસન્ન બનાવે. મન, વચન અને કર્મથી હું તમારે વિરોધી નથી; માત્ર નલને હું મારા દેશમાં વાસ કરવા દઈશ નહીં, કારણ કે એક વનમાં કઈ પણ સ્થળે બે કેશરીસિંહ રહી શકતા નથી. જેનું મેં સર્વસ્વ હરી લીધું છે તે ધનહીન બનેલ, પરિવાર રહિત અને એક દેશથી બીજે દેશ ભટકતો નલ પૃથ્વીપીઠ પર ભમ્યા કરશે. હે દેવી! તેની સાથે જતાં તમે દુઃખી બનશે તેથી જ મેં તમને અટકાવ્યા છે, તેમાં બીજું કંઈપણ કારણ નથી. હે દેવી ! જેવી રીતે મારે મન વીરસેન રાજા પૂજ્ય છે તેમ તમે પણ મારે માટે પૂજનીય છે. તમે ફક્ત મારા ભાભી જ નથી, પરંતુ માતા અને ભગિની તુય છે. હે અધિકારિણી ! તું જ આ સામ્રાજ્ય ભગવ, હું તારા સેનાપતિ છું અને પૃથ્વીને વિષે તારી જ આજ્ઞાનું પાલન હે.” ઉપર પ્રમાણે કુબરનું વચન સાંભળીને દમયંતીએ તેને જણાવ્યું કે “તું જે કહે છે તે બરાબર છે, કારણ કે કુલીન પુરુષનો આ નિયમ (ધર્મ ) છે. મારા પ્રત્યે ભક્તિ દર્શાવતાં તારા મોટા ભાઈ નલ તરક વિરોધ બતાવતા તારા માયા-કપટ યુકત વચને વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. મહારાજા નલનો ત્યાગ કરીને જીગારી એવા તારી પાસે રહેવાને માટે જે તેં મને કહ્યું તે બરાબર યોગ્ય જ છે! ક્રૌંચકર્ણના શત્રુ નથી ત્યજાયેલ, નિરર્થક ફળવાળા શામલી વૃક્ષના પુષ્પ સરખા તારા રાજ્યનું મારે શું પ્રયોજન છે? જે રાજ્યમાં મનને સંતોષ ન હોય, પિતાના સ્વામીનું દર્શન નથી, વળી પરાધીનતા રહેલી છે તેવા રાજ્યને વિચક્ષણ પુરુષ નરક સમાન ગણે છે, જાણે છે. હે કુબર ! જે મને રાજ્યની જરૂર જ હોય તે પછી વિંધ્યાચલ પર્વતથી પ્રારંભીને સમુદ્ર પર્યન્ત દક્ષિણ દિશાનું રાજ્ય કેનું છે? હે રાજન ! તારું કલ્યાણ થાવ. તારા સુખને તું ભગવ. હે દેવર ! તારી સંપત્તિ કરતાં મારે મન મારે પતિનેહ વધારે કીંમતી છે. તે તે જે કહેવા યોગ્ય હતું તે કહ્યું છે, તેમાં તારો લેશ માત્ર દોષ નથી, પરંતુ મને તારું કથન રુચતું નથી, તે હવે અમે અહીંથી શીધ્ર ચાલ્યા જવા ઈચ્છીએ છીએ, તારે મનમાં જરાપણ ખેદ ધારણ કરે નહીં. હે રાજન ! તું સુખપૂર્વક રહે અને લાંબું આયુષ્ય ભેગવ, હવે હું તારી રજા લઉં છું.” આ પ્રમાણે બોલતી, રાજદ્વારમાંથી નીકળીને (પસાર થઈને) રાજાઓ વડે રહેવા માટે અત્યંત પ્રાર્થના કરાયા છતાં પણ દમયંતી નલને રસ્તે ચાલી નીકળી. “હે નિષધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy