SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૦] શ્રી દમયંતી ચરિત્ર : રકંપ ૪ થે. સગ સાતમે. તેઓને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવીને ભીમરાજાએ બંને ભાણેજ, દમયંતી તથા નલના કુશળ સમાચાર પૂછયા. વાકકુશળ બાહુકે ભીમરાજાને પ્રણામ કરીને દમયંતી તથા નલરાજાના કુશળ સમાચાર જણાવ્યા. દમયંતીએ બાહુકને નલ સંબંધી કશા સમાચાર આપવાનો આદેશ કર્યો ન હતો તેમજ સ્વામીભક્ત બાહકે પણ તે સંબંધી કશું કહ્યું નહીં. અત્યંત હર્ષ પામેલા ભીમરાજાએ પોતાના ભાણેજ ઇંદ્રસેનને કેરલ નામનો દેશ આપ્યો. ભીમરાજા અને પ્રિયંગુમંજરી પિતાની પુત્રીના આ બંને સંતાનેને પિતાના પડખામાંથી એક ક્ષણમાત્ર પણ દૂર કરતા ન હતા. બાદ બાહકે દમયંતીને તે બંને સંતાનોના કુશળ સમાચાર અંગેનો પોતાનો સંદેશે તેમજ ભીમરાજાનું કથન કહેવરાવ્યું. તે સમાચાર સાંભળવાથી દમયંતી અત્યંત સ્વસ્થ બની અને પતિવ્રતા તેણીએ સંતાનને વિરહજન્ય સંતાપ-દુઃખ મનમાં ધારણ કર્યો નહીં. પછી ભીમરાજાની રજા લઈને, ફરવાના બહાનાથી બાહક તીર્થયાત્રા માટે સમસ્ત પૃથ્વીપીઠ પર ભ્રમણ કરવા લાગ્યો. પ્રસિદ્ધિ પામેલા શકાવતાર તીર્થને જોવાની ઈચ્છાથી મહાબુદ્ધિમાન બાહુક અયોધ્યા નગરીએ આવી પહોંચે. પિતાના સેવક જનેના મુખથી બાહુકને આવેલા જાણીને રડતુપર્ણ રાજાએ તેને પોતાની પાસે નેહપૂર્વક રાખે. આ બાજુ કુબરના વેષી અને નલ રાજાના ભક્ત વિશાળ અંત:કરણવાળા ઘણા સુભ નિષધા નગરીનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સદાચારી અને સમયનો જાણ ઋતશીલ મહામાત્ય પણ તીર્થયાત્રાના નિમિત્તે પિતાના પદનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. સ્વામીભકત અને ધૈર્યશાળી સેવકેનું આ ઉત્તમ વત છે કે-સ્વામી પર આવી પડેલી આફતને જોઈને તેઓ તટસ્થ રહીને તેને જોઈ શકતા નથી, અર્થાત દેશાન્તર ચાલ્યા જાય છે. આ બાજુ કલિથી પીડાયેલ અને લજજા રહિત બનેલ નલ રાત્રિદિવસ લાંબા સમય સુધી વ્રતક્રીડા કરવા લાગ્યા. જેમ સન્નિપાતના જવરવાળે પુરુષ કુશળ વેવથી કાબુમાં લઈ શકાતું નથી તેમ પિતાની અને પારકાની ચિંતા રહિત અને જેને વિનાશ નજીકમાં છે તે નવા મંત્રીરૂપી વૈદ્યોથી કાબુમાં લઈ શકાતે નહીં. પ્રતીકાર ન થઈ શકે તેવી ભવિતવ્યતાને વિચારીને દમયંતીએ મનમાં લેશમાત્ર ખેદ ધારણ કર્યો નહીં. ત્યારથી પ્રારંભીને કુશળ દમયંતી હમેશા છ પ્રકારના બાહા અને છ પ્રકારના આત્યંતર તપ કરવા લાગી. સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરવા લાગી, જેથી ભવિષ્યમાં હજારગણું ફળ તે મેળવી શકે. જે કુબર રાજ્યને જીતી લે તે પોતાનું ચિત્ત ખિન્ન ન બને તે માટે ચતુર દમયંતીએ રાજખજાને ખાલી કરી નાંખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy