SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુકનું દમયંતીના સંતાનને લઇને કુલિનપુર પ્રતિ પ્રયાણ. [ ૧૩૯ ] મૂકવા માગે છે અને તે પ્રમાણે જે પુત્ર-પુત્રીને હેડમાં મૂકે, તો તે કહે કે-આપણે કઈ ગતિ (સ્થિતિ) થાય? જે ઘતરૂપી આવર્ત(વમળ)માંથી હું કદાચ જીવતી બહાર નીકગીશ તે ફરીથી આયુષ્યમત આ બંને સંતાનનું મુખ જેવા પામીશ. જુગાર રમનારાઓ માટે વિજયને શો નિર્ણય હોય? કાલકૂટ ઝેરનું ભક્ષણ કરવાથી શું જીવિત રહી શકાય ? પૂર્વે પણ દૂત દ્વારા અત્યંત આગ્રહ કરતા અને દયા બને ભાણજેનું મુખ જેવાને આતુર છે. આ પ્રમાણે કરવાથી બંને સંતાનની રક્ષા થશે અને ભીમરાજા તેના પ્રત્યે અત્યંત વહાલ ધરાવે છે તેથી મને નિશ્ચિન્તપણું થશે મોસાળમાં વૃદ્ધિ પામેલ ઈંદ્રસેન કાળાંતરે પોતાનું રાજ્ય મેળવવા સમર્થ થશે અને ઇંદ્રસેના જયારે યોવનવતી બનશે ત્યારે તેના મામા કૌતુકપૂર્વક તેનો ઉ ત્સવ કરાવશે. તું અહીંથી ગયા બાદ સ્વામીની સેવા કરતાં મારું જે થવાનું હશે તે થશે. તારે માર્ગમાં તથા પ્રકારે સાવધાન રહેવું કે જેથી કોઈપણ પ્રકારનું વિન ન આવે અને જેમ બને તેમ શીવ્ર તારે અત્રે પાછા ફરવું.” આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને અશ્રુ સારતા બાહુકે કહ્યું કે-“દેવી જે ફરમાવે છે તે પ્રમાણે હું કરીશ. મારું આ નિષધાનગરીમાંથી નીકળવું તે મારા માટે સારું બન્યું કેમકે માર્ગ માં હું સ્વામી નલના પરાભવને સાંભળી શકીશ નહીં. મારા જેવા સેવકના જોવા છતાં નલરાજાને રાજ્ય ત્યાગ કરવો પડે તેથી મારા શસાધારણને, બલને અને બુદ્ધિને ધિક્કાર છે ! જે નલરાજાની આજ્ઞા, રાજવીઓના લલાટપ્રદેશ પર વહન કરાઈ રહી છે તે જ યુદ્ધવીર નલને અમે સૈનિકો ગર્વથી ઊંચી ડેક રાખીને ફરીએ છીએ. સમુદ્ર પર્યત સમગ્ર પૃથ્વીપીઠને કબજે કરીને, અન્ય રાજવી તરફથી કઈ પણ જાતને ઉપદ્રવ ન થવા છતાં પણ આ આફત અમારા પર આવી પડી છે. જેમ કબર જીતી રહ્યો છે તેમ નલરાજા પણ કેમ ન જીતે? ખરેખર દઇ દેવનો આ માયાપ્રપંચ જણાય છે, તે તમારા આદેશથી કુંડિનપુર જતાં મારું અહીં ફરી આગમન થાય તેવી સંભાવના તમે ન રાખશે. ભીમરાજાનું દર્શન કરીને અને આ બંને કુમાર તથા કુમારીને તેને સોંપીને હું તીર્થયાત્રા માટે ચાલ્યો જઈશ. હવે મને કોઈપણ પ્રકારના સુખની પૃહા નથી. હું શક્તિમાન હોવા છતાં, જુગારમાં હારી ગયેલા રાજાના પરાભવને જેવા અહીં આવવા શક્તિમાન નથી.” આ પ્રમાણે બાહકનું કથન સાંભળ્યા બાદ વૈદભૌથી લાંબા સમય સુધી આશ્વાસન અપાયેલા તેણે સુંદર વચનેથી તેનું કથન સ્વીકાર્યું. પછી દમયંતીએ પોતાના પાંચ વર્ષના નેહાળ અને પ્રાણથી પણ અધિક પ્રિય બંને બાળકો તેને સેંપ્યા. બાદ સુબ્ધ બનેલ દેવી દમયંતીની રજા લઈને, તે બંને બાળકોને પિતાની સાથે લઈને મહાબલીe વિચક્ષણ બાહુક ચાલી નીકળે. મોટા સન્યની સાથે કેટલાક પ્રયાણ કર્યા બાદ, કુંડિનપુરની સમીપ આવી પહેલા તેઓને જાણીને, ભીમરાજા તેને લેવા માટે સામે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy