SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૬ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ જ છે. સર્ગ છો. વ્યક્તિ સિવાય ઘતક્રીડા કે યુદ્ધ કરતા નથી.” આ પ્રમાણે બૃહસ્પતિ સરખી દમયંતી બેલી રહી એટલે શ્રુતશીલાદિ મંત્રીઓ પણ બરને તથા પ્રકારે કહેવા લાગ્યા. બાદ જવામાં કુબર “તમે કરો છો તે સર્વ બરાબર છે” એમ કંઈક કહેવા જાય છે તેવામાં વચ્ચે જ નલ રાજા વેગપૂર્વક બોલવા લાગ્યા–“ હે કુબર ! દેવી દમયંતી તને જે કંઈ પિતાનું સર્વસ્વ આપવા માગે છે તે હું ઘતકીડાદ્વારા હેડમાં મૂકીને આપીશ. કદાચ દેવેગથી તે સઘળું હું હારી જઉં તો આ દમયંતીને પણ હોડમાં મૂકીને ઘતક્રીડા રમવાની મારી અભિલાષા છે. બધા મંત્રીઓ ચાલ્યા જાવ, અમને બંનેને રોકવાની જરૂર નથી. હું આ પાસાઓને તેમજ કૂબરને સંપૂર્ણ તાગ લેવા માગું છું. હે દેવી! તમે પણ જલદી ચાલ્યા જાવ. હે ભીરુ ! યુદ્ધની માફક ધૃતક્રીડામાં પણ તમને આવો ભય શા માટે ? ” આ પ્રમાણે સ્વામી નલની વાણી સાંભળીને નમ્ર નમેલા મસ્તકવાળી, શંકાશીલ અને ક્રોધી બનવા છતાં દમયંતી બોલી કે-“હે આર્યપુત્ર ! મને તથા મારી સર્વસ્વ વસ્તુને હેડમાં મૂકવાને ઈચ્છો છો તેથી હું કૃતાર્થ બનીશ. આ જગતમાં સ્ત્રીને સત્કાર કરનાર વ્યક્તિ, મનુષ્યમાં કઈ વિરલા જ હોય છે. હે રાજેદ્ર! તમારી ઈચ્છામાં મેં કદી કોઈપણ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત કર્યું હોય તે ક્ષમા કરે અને મારા પ્રત્યે રોષે ન ભરાવ. બધા મંત્રીઓ ચાલે, મહારાજાની અપ્રસન્ન દ્રષ્ટિમાં રહેવાથી શો લાભ છે? મહારાજાના ઘૂત કોતકમાં આપણે શા માટે ભંગાણ પાડવું જોઈએ?” “ત્યારે તમે બધા અહીંથી ચાલ્યા જાવ.” એમ નલે કહ્યું છતે મિત્ર બનેલા સર્વ અધિકારીઓ દમયંતીની સાથે ચાલ્યા ગયા. બાદ પિતાના મહેલે પહોંચીને, કેશિનીને જોઈને દમયંતી તેના કંઠે વળગી પડી અને ગદ્ગદ્ વાણુથી રુદન કરવા લાગી. મૃત્યુ પામેલ આકાશલક્ષમીને જાણે જલાંજલિ આપતી હોય તેમ અશ્રજલને વહાવતી તેમ કમળ જેવા નેત્રવાળી દમયંતી શોભવા લાગી. તેણીના બંને નેત્રો લૂછીને, તેને લાંબા સમય સુધી આશ્વાસન આપીને દીર્ધ દ્રષ્ટિવાળી કેશિનીએ તેને દિલાસો આપતાં વચન કહ્યા કે “દમયંતી ! તું શાન્ત થા. તે કદલી( કેળ) સરખા સાથળ વાળી ! તું રુદન કરવું ત્યજી દે. નલ રાજાને આ પ્રથમ જ અપરાધ છે. કોઈપણ વ્યક્તિના દિવસો હમેશાં સરખા જતા નથી. આ વિશ્વ પરિવર્તનશીલ છે. ઘણું કરીને પ્રાણીઓની દશા વિવિધ પ્રકારના ભાવાળી હોય છે. તે નિર્મળ હાસ્યવાળી ! ધર્મને જાણનાર તારે આ બાબતમાં શોક કરવો યોગ્ય નથી. આ જગતમાં ક્યા સ્થળે કર્મને બંધ, ઉદય, વિપાક અને સત્તા નથી ? અર્થાત્ આ બધું કર્મનું જ ફલ છે. જે સમયે દેવે(કર્મ) નલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy