SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કેશિનીએ દમયંતીને જણાવેલ અશુભ સૂચક ચિહ્નો. [ ૧૩૭ ] રાજાના હાથમાં પાસાઓ આપ્યા તે જ સમયે તેણે (ક) તારી પ્રીતિનો ભંગ (વિચ્છેદ) કરવા માટે પ્રતિજ્ઞા કરેલ છે. સનેહને કારણે મુગ્ધ બનેલ તું વાત્સલ્યને અંગે આ નલને શું તું જાણતી નથી કે પોતાના રૂપનું પરાવર્તન કરીને યમરાજ પોતે જ નલરૂપે રહેલ છે. અથવા તો માંસભક્ષી ભૂત, વૈતાલ, પિશાચ, કટપૂતના વિગેરે દુષ્ટ દેવો નલનો આશ્રય કરીને રહેલા જણાય છે. જે દુષ્ટ વ્યન્તરેએ તેના શરીરમાં પ્રવેશ ન કર્યો હોય તે, હે મુગ્ધા! નલરાજાને શિખામણ આપવાની અગત્ય શી હેય? જે તેમ ન હોય તે નલ જેવો રાળ કપાતે પણ શું સત્ય ધર્મનું ઉલ્લંઘન કરે? શું વિનયને ત્યાગ કરે અથવા પ્રીતિને ત્યજી દે ? ખરેખર તે તારે સ્વામી નલરાજા જ નથી, પણ તેના રૂપને આશ્રય કરીને કેઈ એક ભૂત ચેષ્ટા કરી રહેલ જણાય છે. માત્ર માંગલિક વચનો બેલવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી, તેથી કર્ણને કહુ છતાં હિતકારક મારા સ્પષ્ટ વચને હવે તું સાંભળી લે– આકાશને વિષે પિતાની મર્યાદામાં ફરનાર સૂર્ય બે સ્વરૂપે દેખાય, રાત્રિને વિષે ઇધનુષ જેવાય, ગ્રહનું પરસ્પર યુદ્ધ થાય, ઘણા પ્રકારના ઉલ્કાપાત થાય, કૂર કેતુને ઉદય થાય, અકાલે પણ ચંદ્રને ઉદય તેમજ અસ્ત થાય, દિશાઓમાં દાહ પ્રગટે, રજ(ધૂળ)ની વૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, આકાશને વિષે ગંધર્વનગર નજરે પડે, સમયનું ઉલંઘન કરીને અથવા તે સ્વભાવથી જ દુઃખદાયક પ્રસૂતિ થાય, અકાળે મેઘ વારંવાર વર્ષે, જંગલી પ્રાણીઓ ગામમાં આવે અને ગામમાં રહેતા પ્રાણીઓ જંગલમાં જાય, કઠોર નખવાળા પ્રાણીઓ કર્ણકટુ ધ્વનિ કરે, ઘરને વિષે ચકલી માળા નાખે, તેમજ મધમાખીઓ મધપુડે કરે, સ્થળ જળ તથા આકાશમાં વિચરનારા પ્રાણીઓ સ્થાનભેદ કરેપોતાના સ્થાનથી ચૂત થાય, આકાશચક્ર (કુંડાળું ) દેખાય, કાગડા જેવા પક્ષીઓ ગીધડીઓનું સેવન કરે, પક્ષીઓ હવેલીમાં દાખલ થાય, વેત વર્ણવાળા કાગડાઓ મૈથુનક્રિયા કરતાં જણાય, અતિવિષયી લેકે ભિન્ન ભિન્ન જાતિની સ્ત્રીઓ સાથે સંગમ કરે, ફૂલમાંથી જ બીજું ફૂલ પ્રગટે, ફલમાંથી જ બીજા ફલ નીકળે અને પાંદડામાંથી જ બીજું પાંદડું વિકસે, ફલ તથા પુષ્પની વિવિધ ચિત્રવિચિત્ર સમૃદ્ધિ દેખાય, જંગલને વિષે હસ્ત અને પગની જેવા આકૃતિવાળા કંદ( કંદમૂળ) પ્રગટે, ધાન્યની કરેલી રસોઈ માંસના જેવા સ્વાદવાળી બને, દેવોની મૂર્તિઓ કાદવવાળી, પરસેવાવાળી તેમજ ગળી ગયેલી દેખાય, વગર કારણે વૃક્ષ અથવા તે મંદિરનું પતન થાય, ગૃહસ્થ લોકે પૂજ્ય પુરુષની વિધિપૂર્વકની પૂજા કરતાં અટકી જાય, બધી ઋતુઓ પિતતાના સ્વભાવને ત્યાગ કરે, રાત્રિને વિષે ભેરીને નાદ સંભળાય, દેડકાના મસ્તક પર શિલા( કલગી) જેવાય, જેવી રીતે મોટા માછલા પિતાની જાતના નાના માછલાને ખાઈ જાય છે તેમ પ્રાણુઓ પિતાની જાતમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના ભક્ષક બને, કુલિંગીઓના સંસર્ગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy