SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] શ્રી દમયંતી ચરિત્રઃ સકંધ ૪ થે. સર્ગ છો. S નલમાં આવા પ્રકારનું પરિવર્તન થવાથી કલિ વિષમ જવરની માફક તેના પ્રત્યે અત્યંત ક્રોધે ભરાયે અને મધ્યાહ્ન તથા સંધ્યા સમયે ભેજનાદિ કયે છતે નલ છુતક્રીડા વિના રહી શકે નહીં અને દમયંતી પાસે લીધેલી પ્રતિજ્ઞા ભૂલી ગયા. નલરાજા રાજસભામાં પિતાના લઘુબંધુ કૃબરની સાથે ઘતક્રીડા રમવા લાગ્યા. ખરેખર જુગારીનું આચરણ પિતાની પ્રતિષ્ઠાનો જ નાશ કરનારું હોય છે. તે સમયે નલ વારંવાર હારી જવા લાગ્યો. કામથી પરાભવ પામેલા કામી પુરુષને જેમ કામવાસના વૃદ્ધિ પામતી જાય તેમ જુગારીને ઘેતક્રીડામાં પ્રીતિ વૃદ્ધિ પામે. હાથી, અશ્વ, રથ, વારાંગના, ગામ, ચાકર અને નગરાદિક જે જે વસ્તુઓ ન લે હોડમાં મૂકી તે તે સર્વને તે હારી ગયો. તેણે ફરીથી દમયંતીનું દર્શન પણ કર્યું નહીં તેમ જુગાર રમવાથી અટક્યું પણ નહીં. જીતવાની ઈચ્છાવાળા કૂબરે દિવસે દિવસે તેને વિશેષ દુઃખ આપવા માંડ્યું. નલરાજા વ્રતક્રીડામાં અત્યંત ચતુર હોવા છતાં તેને કૂબરે જીતી લીધું. આ જગતમાં કઈ પણ વિદ્વાન નથી. ફકત એક દૈવ(ભાગ્ય)ની જ ખરી કુશળતા છે. ખરાબ વ્યસનવાળા નલરાજાને નાગરિક લકે ચાહતા ન હતા, નોકરો ગણત્રી કરતા ન હતા અને મંત્રીઓ તેની ઉપેક્ષા કરવા લાગ્યા. આ પ્રમાણે હમેશાં લક્ષમી રહિત બનતા નલને સેવકવ ત્યાગ કર્યો અને જીતતા કુબેરને સમગ્ર પ્રજા અનુસરવા લાગી. સાયંકાળે ભ્રમરસમૂહ કમળ પરથી કુમુદ પ્રત્યે ચાલ્યો જાય છે. ખરેખર લક્ષ્મીની ચપળતાને ધિક્કાર હ! તેમજ તે લક્ષ્મીને વિષે આસક્તિ ધરાવનાર પુરુષવર્ગને પણ ધિક્કાર હે ! આ બાબતમાં અમાત્ય શું કરી શકે? રાજા કોનાથી સાધ્ય થઈ શકે? શું મદોન્મત્ત હસ્તીને કાનથી પકડીને નાશ કરી શકાય ? કલિના કેપના કારણે નલની સમગ્ર બુદ્ધિ મલિન બની ગઈ, યશ દૂર થઈ ગયા અને તેજ હણાઈ ગયું. અગત્ય મુનિ સરખો કલિ, અત્યંત અગાધ છેડા રહિત એવા નલરાજારૂપી સાગરનું લીલા માત્રમાં પાન કરી ગયા. સામતે દરવાજા બંધ કરીને, વણિકે હાટ (દુકાન) નહીં ઉઘાડીને અને રાજ-ભાગીદારો (ભાયાત) ઉપવાસાદિક (લંઘન) કરીને નલને ઘેતક્રીડાથી અટકાવવા લાગ્યા. ઘતક્રીડામાં જીતથી મેળવેલ વસ્તુઓ પાછી હારી જવાના ભયથી કૂબર પણ નલને જુગાર રમવા માટે નિષેધ કરતો હતો છતાં પણ નલ, હારી ગયેલ વસ્તુને પાછી મેળવવાની ચાહનાથી જુગાર રમતો બંધ ન થયો. પિતાની લક્ષમીને જે ઘતદ્વારા નષ્ટ કરે છે તેને ખરેખર ધિક્કાર છે! વાદળ પર્યત પહોંચેલ જવાળાવાળા અગ્નિમાં જે પિતાનું સર્વસ્વ હેમતે નથી તે વ્યક્તિ શ્રેષ્ઠ છે. “નિષિદ્ધાચરણમાં આસકત–જુગટુ રમતાં નલને જીતીને કુબેર જે તેનું સર્વસવ ગ્રહણ કરી લે તે સારું થાય. જેમ વાનરના હાથમાં આવેલી મોતીની માળા લાંબા સમય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy