SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નળે દમયંતીને આપેલ વચન. [ ૧૩૩ ] તેને જણાવ્યું કે—“ જો હવે હું જુગાર રમુ તા મને તારા સેાગન છે. હૃદયમાંથી ભયને દૂર કરીને તું શાન્ત થા. ” આ પ્રમાણે શરમીંદા ખનેલા નલે દમયતીને એકદમ પેાતાના તરફ ખેંચી. “ મને પ્રિય હાવા છતાં તને પસંદ ન હાય તેવા સુખથી મને શે। લાભ છે ? વળી, તને ઇષ્ટ ડાય છતાં મને દુઃખકર્તા ાય તે પણ તે મને ઇષ્ટ છે. હું વહાલી ! તારા વિના એક મુહૂર્ત માત્ર પણ હું રહી શકું તેમ નથી. હું કમળ જેવા નેત્રવાળી ! તું જ મારું હૃદય અને જીવિત છે. ” આ પ્રમાણે અનેક પ્રકારના વચનેાથી તેણીને સમજાવીને અને ‘ પાતે અપરાધી છે ’ એમ હૃદયમાં સમજતા નલે ઉત્કંઠિત બનીને સ્નેહપૂર્વક દમયંતીને આલિંગન આપ્યું, ચુખન કર્યું અને તેણીના મનનું સમાધાન કર્યું' અર્થાત્ શાંતિ આપી. “ તે દ્યુતક્રીડાને વારંવાર ધક્કાર હા ! જેનાથી મારી પત્ની દમયંતી ચિત્તમાં સન્તાપ પામે છે, સ્વાભ્રંશ થાય છે અને મારા કુલમાં કલંક લાગે છે. ”–આ પ્રમાણે વિચારતાં નલરાજાના ચિત્તમાં પ્રગટેલ વરરૂપી સંતાપને, ચંદનના લેપ સરખા દમયંતીના શીતલ આલિંગને દૂર કર્યો. સ છઠ્ઠો. [ નલની ધૃતક્રીડા : દમયંતીનુ રાજસભામાં આવવુ' : નળનું ન માનવું દમયંતીને થયેલ સંતાપ : કેશિનીએ આપેલ શાંત્વન : દેશાટન કરવુ પડશે તેવુ` કેશિનીએ કરેલ સૂચન ] “જેમ મલયાચલ પર્વત પર વૃક્ષનુ પરિવર્તન થાય છે તેમ દમયંતીના મહેલે ૧૨. રાત્રિવાસ રહેલ નલનું ચિત્ત પરિવર્તન પામ્યુ—સારા વિચારવાળું થયું. ” અંત:પુરની દાસીએ વડે જણાવાયેલ વૃત્તાંતને સાંભળીને શ્રુતશીલ વિગેરે મંત્રીએ પ્રમાદ પામ્યા. નલ રાજા પણ પૂર્વની માફ્ક પ્રાત:કાલના કાર્યો કરવા લાગ્યા અને દ્યૂતક્રીડાના નામ માત્રથી પણ શરમાવા લાગ્યા. * મલયાચલ પર્વત પર જો લીંબડા, આંમા કે તેવા પ્રકારના બીજા વૃક્ષો ઉગાડવામાં આવે તે પશુ તે સ ચંદનની સુવાસવાળા બની જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy