SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૩ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ જ છે. સર્ગ પાંચમે. બાદ એક હજાર વર્ષે આપમેળે જ ફટેલા બીજા ઈંડામાંથી ગરુડ નામને શ્રેષ્ઠ પક્ષી ઉત્પન્ન થયે. જન્મતાં વેંત જ સૌથી પ્રથમ ચાંડાલાદિ અધમ જાતિને ખાઈ જઈને, હસ્તી તથા કાચબાનું ભક્ષણ કરીને તેમજ હરડે વૃક્ષની ડાલને ભાંગી નાખીને તે માતા પાસે પહોંચી ગયા. માતાનું દાસીપણાનું વૃત્તાન્ત સાંભળીને દુઃખી બનેલ ગરુડ અમૃતકુંભ લાવવાને માટે જલદી ચાલી નીકળ્યો. પિતાની પાંખના પવનથી વૃક્ષોને ઉખેડી નાખીને, જળથી અગ્નિને બૂઝાવીને, રક્ષક પુરુષોને ચાંચથી હણને તેમજ નખથી પાંજરાને છિન્નભિન્ન કરીને અમૃતકુંભ લઈને પોતાના સ્થાન તરફ પાછા ફરતાં તેને દેવો અને દાન યુક્ત ઇદ્ર સાથે યુદ્ધ થયું. કદ્રનું કરજ ચુકવીને તેણે પોતાની માતાને ત્રણ રહિત બનાવી અને કદ્રુએ પણ પોતાના પુત્રોને અમૃતપાન કરવા માટે બોલાવ્યા. ડાભ પર અમૃતકુંભ મૂકીને જોવામાં તે સર્ષે સ્નાન કરવા ગયા તેવામાં ઈદ્ર તે કુંભ લઈને ચાલ્યા ગયા. તેવામાં ત્યાં આવી પહોંચેલા સર્પો અમૃતબિંદુથી ભીના થયેલા તે ડાભને ચાટવા લાગ્યા એટલે તે ડાભની અણીથી ફાટી જવાને કારણે તેઓની જીભ બે બની ગઈ અને સર્પો ત્યારથી “દ્વિજિહે” (બે જીભવાળા) કહેવાયા. પછી પોતાની માતાના દાસીપણાને યાદ કરતા અને ક્રોધાન્ધ બનેલ તેમજ પાતાલ લેકને પ્રજાવતે ગરુડ અનુક્રમે સર્પોને હણવા લાગ્યા. ત્યારે પિતાના કુલની રક્ષા કરવાને ઈચ્છતા વાસુકી નાગરાજ, ગરુડને હમેશને કર ચૂકવવાને માટે તેની પાસે વધને માટે એક એક મનહર સર્પ મોકલવા લાગ્યા. આ પ્રમાણે ગરુડ પ્રતિદિન સપને મારી નાંખતે હાવાથી કાલક્રમ મલય પર્વત પર સપના શબાના મોટા મોટા શિખરો બની ગયા. તેવામાં કોઈ એક દિવસે ત્યાં ઈદ્ર આવી ચડ્યા અને સપનો થતે વધુ જાણીને, તેની રક્ષાને માટે ત્યાં રહ્યા. પછી શંખચૂડ નામના સપનો વારો આવ્યો ત્યારે ઈદ્ર બદ્ધશિલા પર જઈને સૂતા અને ગરુડે તેમનું અધું શરીર ખાધું તેવામાં ઈંદ્ર પોતાના રૂપનું પરાવર્તન કર્યું. એટલામાં શંખચૂડે પણ આવીને પિતાનું શરીર ભક્ષ માટે આગળ ધર્યું ત્યારે ગરુડ, પ્રથમ અર્ધ ખાધેલ દેહવાળા સપને ઇંદ્ર તરીકે જાણીને, તેમના સવગુણથી પ્રસન્ન થયા અને તેમને સર્પની રક્ષા કરવારૂપ વરદાન આપ્યું. તેમજ ઇંદ્રને પૂર્વની માફક દેહવાળા બનાવ્યા. તે હે નાથ ! અતિ કઠોર, નિંદનીય, કપટના આવાસ સમાન, સજજન હૃદયને શુન્ય બનાવનાર, કીર્તિરૂપી નદીના કિનારાને તોડી નાખનાર અને અભુત પાપકાર્યવાળા જુગારનો તમો ત્યાગ કરે, અને મુશ્કેલીથી મેળવી શકાય તેવા નિર્મળ ધર્મકૃત્યનું સેવન કરો. આટલી મારી વિજ્ઞપ્તિ માનવા ગ્ય છે અને હું હમેશાં તમારી કૃપાપાત્ર છું તે હે આર્યપુત્ર! મારું કથન તમે સ્વીકારો.” આ પ્રમાણે બેલતી દમયંતી નલના બંને ચરણમાં નમી પડી ત્યારે નલરાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy