SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કઠું અને વિનતાનું વૃત્તાંત. [ ૧૩૧ ] બંનેની આંખનું તેજ હણાઈ ગયું અર્થાત તે બંને સૂર્યનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકી નહીં. એટલે ભ્રમિત દષ્ટિવાળી અને સૂર્યના અશ્વો તે કાળા છે” એમ બોલતી કને “સૂર્યના ઘોડા તે લીલા છે” એમ કહેતી વિનતા તો હસવા લાગી. આ પ્રમાણે તે બંનેને વાણુંકલહ (ઘૂત) ઉત્પન્ન થયે અને “જે હારે તે અમૃતનો કુંભ જીતનારને આપે” તેવી શરત થઈ. “અત્યારે ઘણે સમય થઈ ગયો છે એટલે આનો નિર્ણય આવતીકાલે પ્રાત:કાળે કરશું' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને બંને પોતપોતાના મંદિરે ગઈ. પછી કદ્રએ પિતાના પુત્ર સને તે હકીકત જણાવી ત્યારે તેઓએ પિતાની માતાને જણાવ્યું કે-“તારું કથન છેટું છે” એટલે ભયભીત બનેલ પિતાની માતાના રક્ષણ માટે, સ, સૂની લગામરૂપે રહેલા સની મિત્રાચારીને કારણે, સૂર્યના અશ્વોને ચોતરફથી વીંટળાઈ વળ્યા. (એટલે સૂર્યના અશ્વોને દેખાવ શ્યામ થઈ ગયો) બાદ સંકેત કરેલા સમયે તે બંને બહેને સૂર્યના રથ પાસે ગઈ અને વિનતાએ પણ સૂર્યના અશ્વોને અચાનક કાળા જોયા. તેવા પ્રકારના કહુના પ્રપંચને નહીં જાણતી અને તેનાથી પરાજિત બનેલી તેમજ અમૃતના કુંભની માગણી કરાતી વિનતાએ કહુને કહ્યું કે “હું કુમારી છું, નિ:સહાય છું, હું તારું અણું કઈ રીતે ચૂકવી શકું? માટે થોડા સમય સુધી તું રાહ જે. હું તારું ઋણ ભવિષ્યમાં ચૂકવી આપીશ.” ત્યારે કહુએ તેણીને જણાવ્યું કે “ જ્યાં સુધી તું મારું દેવું ન આપી શકે ત્યાં સુધી તું મારી દાસી બનીને રહે.” વિનતાએ તે હકીકત કબૂલ રાખી. બાદ દાસી બનેલ વિનતાને પિતાનું વાહન બનાવીને, તેના પર આરોહણ કરીને કકું હંમેશા સમસ્ત ભુવનમાં ભ્રમણ કરવા લાગી. કદુ વિનતાને સુશ્રષાદિક કાર્યોથી તેમજ તે તે પ્રકારના દુષ્કર (કઠિન) કાર્યોથી ખેદ ઉપજાવવા લાગી. આ પ્રમાણે એક સે વર્ષ વ્યતીત થયા બાદ, ભગિનીથી થઈ રહેલા પરાભવને કારણે, વિનતા કે એક વખત ગંગાનદીના કિનારે જઈને કરુણ સ્વરથી રુદન કરવા લાગી. તેનું રુદન સાંભળીને કશ્યપ નામના મુનિ ત્યાં આવ્યા અને તેને સર્વ હકીકત પૂછીને બે ઈંડા આપ્યા. “આ બે ઇંડાથી તે પુત્રવતી બનીને તારું કરજ ચૂકવીશ” આ પ્રમાણે કહીને કશ્યપ મુનિ ચાલ્યા ગયા બાદ વિનતા હર્ષ પામી. દાસીપણાથી અત્યન્ત દુભાયેલી તેણુએ પાંચસો વર્ષ વ્યતીત થયા બાદ, વિશેષ કાળક્ષેપને સહન નહીં કરી શકવાથી એક ઈંડું ચીયું એટલે તેમાંથી કુબડે, એશ્વર્યવાન, અકાળે જન્મવાથી પાંગળો બનેલ કેઈએક તેજસ્વી પુરુષ બહાર નીકળ્યો, અને પિતાની માતા વિનતાને કહ્યું કે “સારી રીતે પરિપકવ બનેલા આ બીજા ઈડામાંથી જે મારો નાનો ભાઈ જન્મશે તે તને શણ રહિત બનાવશે. ”બાદ દેત્ય અને દાનવને નહીં સહન થઈ શકે તેવા પ્રકાશપુંજને પ્રસરાવતા તે કુમારે “સૌથી પ્રથમ મારો ઉદય હો” એમ કહીને સૂર્યનું સારથિપણું સ્વીકાર્યું. (અરુણ બન્ય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy