SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ પાંચમેા. અને તમારા હૃદયનું આકષ ણુ કરતી તમારી ધૃતક્રીડારૂપી સપત્ની (શાકય ) મને પ્રામ થઈ છે. હે નાથ ! વેશ્યાની માફક નિજ, ધનને હરનારી ધૃતક્રીડા છેવટે કઇ વ્યક્તિને નષ્ટ કરનારી બનતી નથી ? અર્થાત્ જીગટું સર્વનાશ કરનાર બને છે. સજ્જન પુરુષાથી દ્વેષ કરવા ચાગ્ય અને અપયશ કરનારી ચૂતક્રીડાનુ સેવન કરનાર પ્રાણીઓની સૌથી પ્રથમ ધનહાનિ થાય છે અને પછી છેવટે સુખનેા નાશ થાય છે. જુગારી પુરુષ ચાગ્ય સમયે લેાજન, નિદ્રા, દેવપૂજન, સ્નાન અને દાનાદિ ક્રિયા કરી શકતા નથી. વળી દ્યૂતક્રીડામાં આસક્ત પ્રાણીને શીઘ્ર ઘણા પ્રકારના રાગા થાય છે, દેવા તેના પ્રત્યે રાષે ભરાય છે તેમજ તેના સર્વોપ્રકારનાં કાર્યો નાશ પામે છે. દ્યૂતક્રીડામાં લયલીન પ્રાણીએના સંબંધી જના દૂર ચાલ્યા જાય છે, કાઇપણ તેના વિશ્વાસ કરતું નથી તેમજ તેની લક્ષ્મી પણ શીઘ્ર ચાલી જાય છે. જુગારી જુગાર રમ્યા વગર રહી શકતા નથી અને પેાતાના જય જ જોવે છે અને જો પરાજય થાય તા અવર્ણનીય દુઃખ પામે છે. જુગારીના અને હાથને *કવચ, આંખાને મૃગ-તૃષ્ણુિકા ( ઝાંઝવાના નીર ) અને ટ્ઠહુને દાવાનળના અગ્નિ કદી ત્યજતા નથી. જુગારના દાસ બનેલા અધમ પ્રાણીએ આંખ અને નાસિકા વિનાના તેમજ કપાયેલાં કાન, હસ્ત અને પગવાળા જેવા જાય છે અર્થાત્ જુગારીને સાચું જોવાની આંખ હાતી નથી, પ્રતિષ્ઠા વહાલી રહેતી નથી અને ઉપદેશ સાંભળવા માટે કાન કપાયેલા હાય છે. જુગાર રમતાં પહેલાં તે જુગારીનું કુળ અપકીર્તિથી મલિન બને છે અને પાછળથી ખીજાથી જીતાયેલ તેનુ મુખ શ્યામ અને છે. વ્યસના પરસ્પર સંકળાયલા છે અને જેણે એક બ્યસન સ્વીકાર્યું' તેને ધીમે ધીમે બધા વ્યસત્તા વળગે છે. હલાહલ ઝેરનું પાન કરવું સારું', પર્વત પરથી અપાપાત કરવા સારા તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા શ્રેષ્ઠ ગણાય પરન્તુ જુગાર રમવુ` સારું નથી. ખરાબ સ્ત્રીની માફ્ક આ દ્યૂતક્રીડા, બીજા માણસની વાત તા દૂર રાખો પરન્તુ સગા એ ભાઇઓમાં પણ ભેદ પડાવનારી તેમ જ કલેશ કરાવનારી છે. પુરાણામાં પણ એક કથા સંભળાય છે કે- અને વિનતા-એ નામની બે સગી બહેનેામાં વાણીમાત્રનું દારુણુ દ્યૂત ( જીગાર ) થયું હતુ. તે કથા આ પ્રમાણે છે—— કાઇએક દિવસે, પ્રાત:કાળે, તે અને મહેનેા ગંધમાદન પર્વત પર ઊગતા, લાખ જેવા રક્ત છત્રને ધારણ કરનાર, મજીઠના રંગ જેવા વીંઝાતા ચામરવાળા, રકત કમળના પાંદડાના આભૂષણવાળા, ગેરુઆ રંગવાળા વસ્ત્રોથી યુકત તેમજ યાતિષચક્રના ઈંદ્ર સરખા સૂર્યને જોવા લાગી. લાંબા, લાલ અને ઉષ્ણુ કિરણાના સમૂહવાળા સૂર્યના તેજથી તે * કવચ એટલે ખાજવણી. આ ખાજવણીને જો સ્પર્શ કરવામાં આવે તે તે સ્થળે અત્યંત ચળ આવવા માંડે છે અને પ્રાણી ખજવાલ-ખંજવાળ કર્યાં કરે છે. જુગારી પ્રાણીને પણ જુગાર રમવાની હાથમાં સદાય ચળ ( ખ઼ચ્છા ) થયા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy