SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીની નલને શિખામણ. [ ૧૨૯ ] પછી મહામાત્યથી વિજ્ઞપ્તિ કરાયેલ તેમજ નળની ઘેતક્રીડાને જાણનારી દમયંતીએ કઈ એક દિવસે પિતાના મહેલ તરફ આવતા નલરાજાને જે, એટલે ઊભા થઈને ભકિતપૂર્વક તેનું પૂજન કર્યું. ખરેખર કુલીન સ્ત્રીઓને માટે, સદાચારથી ભ્રષ્ટ થયેલ સ્વામી પણ ગુરુજનની માફક પૂજનીય બને છે. તે વખતે દીન વદન. વાળી, ખેદ પામેલી, હર્ષ રહિત, શૃંગાર વિનાની, હૃદયમાં મહાસંતાપવાળી, નીચે દ્રષ્ટિ રાખીને રહેલી તેમજ અત્યંત દુઃખી બનેલ પ્રિયા દમયંતીને જેતે અને એકદમ વિહ્વળ બનતે નળ નીચે પ્રમાણે શાન્ત વચન બોલ્યા કે હે પ્રિયા ! તું કહે હું તને શું પૂછું? કારણ કે તે સઘળી હકીકત જાણે છે. મારા પ્રાણના આધારરૂપ તું શા માટે આવી દુઃખદાયક અવસ્થાને પ્રાપ્ત થાય છે? ભીમરાજાની પુત્રીનું આવું અલંકાર રહિત શરીર જોતાં મારું અંત:કરણ હમણાં અત્યંત દુઃખી બની રહ્યું છે. હે દેવી દમયંતી ! તારું ચિત્ત સ્વસ્થ છે ને? હે કૃશોદરી ! તારું શરીર નિરોગી છે ને ? તારા પર કેણ ષ ધારણ કરે છે? તારી આજ્ઞાનું ઉલંઘન કોણ કરે છે? હે ભી! તને કોને ડર લાગે છે ? અને તને કોના પ્રત્યે રોષ ઉત્પન્ન થયો છે? તું ભીમરાજાની પુત્રી છે અને વીરસેન રાજાની પુત્રવધૂ છે–આ પ્રમાણે બંને પક્ષથી વિશુદ્ધ બનેલ તને ગ્લાનિ કેમ હોઈ શકે ? હે દમયંતી! તું પ્રસન્ન થા અને તારા હૃદયમાં કરુણ લાવ. મને તારા ખેદનું કારણ જણાવ.” આ પ્રમાણે બોલતા નલે દમયંતીને હાથમાં પકડીને, પોતાની નજીકમાં બેસારીને, તેની ઈચ્છા જણાવવા માટે તેને સોગન આપ્યા. ત્યારે મસ્તક પર બે હાથ જોડતી દમયંતી નલને નીચે પ્રમાણે કહેવા લાગી કે-“શરીર પર માત્ર અલંકારને ધારણ કરતી મને જોતા એવા આપ હે મહારાજ ! શા માટે મનમાં નિરર્થક ખેદ પામો છે ? ભારભૂત એવા રત્નમય આભૂષણેનું મારે શું પ્રજન છે ? કારણ કે આપ પોતે જ મારા સદાના જંગમ (હાલતા-ચાલતા) આભૂષણરૂપ છે. જેવી રીતે કમળથી રહિત પરતુ જલથી પરિપૂર્ણ વાવડી શોભે છે તેમ સુંદર વસ્ત્રાભૂષણથી રહિત પરંતુ પતિથી સન્માન પામેલી સ્ત્રી શોભે છે. જેમ પરાક્રમ અને સાહસિક કાર્યોથી રહિત સેનાને વનિ વૃથા છે તેમ જેનો સ્વામી પ્રતિકૂળ છે એવી સ્ત્રીઓના વસ્ત્રાભૂષણે નિરર્થક છે. તમારી કીર્તિથી આ સમગ્ર વિશ્વ ઉજજવળ બન્યું છે અને તેથી જ શંગાર નહીં ધારણ કરવા છતાં તમારી કીતિ તે જ મારે પ્રકાશ છે. તમારી સાથે અર્ધા આસન પર બેઠેલી હું, હે નાથ ! સુખપૂર્વક રહેલી ઇદ્રાણુને પણ તુચ્છ સમજું છું. આવા પ્રકારની તમારી મહેરબાનીથી સર્વ પ્રકારના ઉત્કર્ષને ધારણ કરવા છતાં પણ અત્યારે મારી ભાગ્યની હાનિ જલદી થઈ રહી છે—મારો દુર્ભાગ્યને શીધ્ર ઉદય થયે જણાય છે, કારણ કે મારાથી તમેને દૂર કરતી, ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy