SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નળ-દમયંતીને થયેલ સંતાન પ્રાપ્તિ. | [ ૧૨૫] નલરાજા આ લેકનું સુખ જોગવતો હતો અને પરલોકથી ભય પામતો હતો. અત્યંતર ષડરિપુ કામ-જોધાદિ )ના જ ય ક૨ના૨, ચાર પ્રકારની વિદ્યામાં નિપુણ, ત્રણ પ્રકારની શકિતવાળે અને ત્રણ પ્રકારના ઉદયથી નલરાજા ભૂષિત હતો. જે નલરાજવી હંમેશાં દેવોની પૂજા કરે છે, ગુરુજનેનું બહુમાન કરે છે અને જેને દેશ સંપત્તિ યુક્ત છે તેવા નલરાજનું મન હમેશાં ઉત્સવરૂપ હતું અથાત તે નલ રાજવીને પ્રતિદિન આનંદ જ હતે. ચારે પ્રકારના વર્ષોમાં, ચારે આશ્રમમાં, નાગરિક લેકમાં કે દેશવાસી લોકોમાં એવી કેઈપણ વ્યકિત ન હતી કે જે નલરાજની આજ્ઞાને ભંગ કરે. તેની સભાનું દ્વાર રથ, અશ્વ અને હસ્તીઓથી વ્યાસ, તેમજ રાજવીસમૂહથી યુક્ત જણાતું તેમજ તે રાજ્યનો આકાશપ્રદેશ છત્રથી ઢંકાયેલ જણાતો હતો. નલ રાજાનું રાજ્ય, વિકાર રહિત, ખિન્નતા વગરનું, શત્રુશલ્યવિહીન, રોગ રહિત, સાત પ્રકારની ઈતિથી મુક્ત, તેમજ ભય વિનાનું હતું. દક્ષિણ દેશની ચતુરાઈ દ્વારા તે તે પ્રકારના વેષ અને કલાઓના પ્રદાનપૂર્વક દમયંતી. એ તે રાજ્યને વિશેષ પ્રકારે સુશોભિત બનાવ્યું હતું. પાણિગ્રહણ મહત્સવથી આરંભીને એક ક્ષણ પણ વિખૂટા નહીં પડેલા નળ-દમયંતીને પ્રેમ, શંકર-પાર્વતીની માફક અત્યંત ગાઢ બન્યા હતા. ચક્રવાકનું મિથુન રાત્રિને વિષે વિખૂટું પડી જાય છે અને પ્રાત:કાળે ભેગું થાય છે પરંતુ આ બંનેનું યુગલ તે કદી વિખૂટું ન પડતાં રાત્રિ-દિવસ સાથે ને સાથે જ રહેતું. પુષ્પનું ચૂંટવું, સંગીત, હીંચકે અને જલક્રીડા દ્વારા નલ-દમયંતી હમેશા ક્રીડા કરતા હતા. પરસ્પરના પ્રેમમાંથી લયલીન ચિત્તવાળા તે બંનેની પ્રશંસાથી પૃથ્વીપીઠ સુશોભિત બની ગઈ. લેકપાલવડે વરદાન પ્રાપ્ત કરેલ નલ, સ્વેચ્છાપૂર્વક પ્રાપ્ત થયેલ જળ અને અગ્નિવાળી સૂર્યપાક રસવતી (રસોઈ) હંમેશા દમયંતીને માટે બનાવતા હતા. બાદ કાલક્રમે, દેના વરદાનથી નળ-દમયંતીને સ્ત્રી અને પુરુષના સંપૂર્ણ લક્ષણે યુકત પુત્ર અને પુત્રીરૂપી બે સંતાન એકી સાથે થયા. સમુદ્ર પર્યત પૃથ્વીના સ્વામી નલને બે સંતાનની પ્રાપ્તિ થવાથી સમસ્ત મૃત્યુલોક આનંદ પામ્યો. ભેટશુઓથી વ્યાસ, સ્વજનવડે બંધાયેલ તેરણવાળો, સ્ત્રીઓ દ્વારા કરાતી માંગલિક ક્રિયાવાળે, સામંતવડે કોતક ઉત્સવ કરાયેલ ભીમરાજાના પ્રધાન પુરુષો જેમાં આવી પહોંચ્યા છે તે, રેશમી વસ્ત્રો અને મોતીઓથી સમસ્ત ઉત્તર દિશાને ઢાંકી દેતે, પરિપૂર્ણ દાન દ્વારા યાચક જનેને સંતોષ આપો, વાજિંત્રોના ધ્વનિ દ્વારા આકાશને પણ બહેરું બનાવતે એ એકવીશ દિવસને અવિરત જન્મ-મહોત્સવ ઊજવાય. ચક્રવતી સરખા પરાક્રમી નલરાજાએ, ઈદ્રો વિગેરે લેપાલના વરદાનથી પ્રાપ્ત થયેલ તે બંને સંતાનના ઇંદ્રસેન અને ઇંદ્રસેના નામ રાખ્યા. જેમ સૂર્ય અને ચંદ્રથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy