SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ ] શ્રી દમયંતી ચરિત્રઃ કંધ જ છે. સર્ગ ચે. આકાશમાર્ગ શોભે તેમ આમતેમ ખેલતા તે બંને સંતાનેથી રાજકુળ હંમેશા ભવા લાગ્યું. નલ-દમયંતીના તે તે પ્રકારના અભ્યદયને અંગે, જેમ જળથી જવાસો સુકાયા તેમ કલિ અત્યંત બળવા લાગ્યો. હવે, મુસાફરોની સ્ત્રીઓના ઘણું મનેરની પૂર્તિ કરવામાં સારથિસમાન, કેયલના વચનેને વિકસાવવામાં ગુરુ સમાન અને શૃંગાર રસવાળો વસંતઋતુને સમય આવી પહશે. સરખા રાત્રિ-દિવસવાળો અને જેમાં હિમ (ઠંડી) અને આતપ(તડકે)નું આગમનનિર્ગમન સમાન ભાવે થાય છે, તેવા વિશાળ વસંતઋતુએ, જાણે ત્રાજવા દ્વારા બરાબર તેલ કરીને બરાબર પલ્લા સરખા જ જાણે હેય તેમ જગતને જલદી ધારણ કર્યું. આ જગતમાં કામદેવના અબુલંઘનીય હકમને કેણ માનતું નથી તે હકીકતની જાણે શોધ કરવાને માટે જ હોય તેમ મલયાચલના પવને પૃથ્વીપીઠ પર વાવા લાગ્યા. વિયાગી પ્રાણુઓના હદને બાળવાને માટે જ, તાપને અંગે પીળા પડી ગયેલા અને કામદેવના બાણેની ફલા સરખા ( બાણનો અગ્રભાગ) નૂતન ચંપકવૃક્ષની કળીઓ વિકસિત થઈ. શ્રવણને પ્રિય હંસસમૂહને વનિ, ભ્રમરને ગુંજારવ અને કેયલના ટહુકારથી યુવાન સ્ત્રીઓના હૃદયરૂપી મંદિરમાં જલ્દી કામદેવ જાગૃત થયે. મનોહર અને શૃંગાર યુકત વસંતઋતુના સમયમાં, પવનથી પાંદડા રહિત બનેલ ઉપવનને વિષે શું મુનિજનેને નવીન પ્રીતિ ઉત્પન્ન થાય ખરી? અર્થાત્ આવા કામોત્તેજક પ્રસંગોમાં પણ મુનિજને કામાધીન બનતા નથી. સતીની સાથોસાથ મુનિજનેને પણ ક્ષુબ્ધ કરતા, મશ્કરીર પુરુષોની સાથે નટીઓને ચેષ્ટા કરાવતા અને મુસાફરોના સમૂહની સાથે તેમની સ્ત્રીઓને કામાધીન બનાવતા વસંતત્રતુએ પિતાને ગ્ય કાર્ય કર્યું. કંઠને વિષે મનોહર નૂતન માલતીની પુપમાળાને ધારણ કરતી નૂતન વેષધારી, કેઈ એક અભિસારિકાએ ચિત્તની ચંચળતાને અંગે, પુષ્પમાળાથી શોભતા કોઈ એક પ્રિયતમને પ્રાપ્ત કર્યો. શૃંગારરસને પ્રગટાવનાર કમળની એક માળાને વિષે આસક્ત ભ્રમરોને ગુંજારવ કરાવતે તેમજ ઊંચા, છિદ્રવાળા અને વિસ્તૃત બનેલા આંબા, શાગ તેમજ તાડના વૃક્ષોને નવપલ્લવિત કરતે વસંત ઋતુ શોભવા લાગ્યા. એકદા વસંતઋતુની પૂજા કરી સંગીત ગાયા બાદ લોકોને સંગીતથી સંતુષ્ટ કરનારા, સુખપૂર્વક ગોષ્ઠી (વાર્તાલાપ) કરતા નલરાજાને તેના વૈતાલિક પુરુષો(સ્તુતિપાઠકે એ દિવસને અસ્તકાળ (સંધ્યાસમય) જણાવ્ય. સંકોચાઈ ગયેલ પિતાની પત્ની કમલિની. ને દૂરથી ત્યાગ કરીને તેમજ કાંતિસમૂહને સંપૂર્ણ ત્યજી દઈને મદભાવને ધારણ કરતે અને દરેક વૃક્ષે પક્ષીઓને ઇવનિ યુક્ત બનાવતો એવો અસાધારણ તેજસ્વી સૂર્ય અત્યારે શીધ્ર કોઈ એક ગહન વનમાં ડૂબી જાય છે. પિતાના સારથી અરુણનું વન સાંભળીને અંધકારથી અવરાયેલે આ સૂર્ય, પડતું મૂકવાને માટે કાંતિ રહિત બની રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy