SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ - કલિનું નલરાજાની રાજધાનીમાં આગમન. [ ૧૨૩] નલ રક્ષક વિનાનો તેમજ મહાસૈન્ય વિનાનો હતો? શત્રુતા રહિત નલ પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા કલિની દુર્જનતા તે જુઓ! અહો! તે દુષ્ટ કલિ એક હાથથી તાલી પાડવા ઈચ્છે છે. આ જગતમાં ચાર વ્યકિતઓ ચારને માટે નિષ્કારણ વેરી છે, જેમકે સમુદ્રને માટે વડવાનલ, કમલને માટે પવન, ગ્રહોને માટે રાહુ અને સજજન પુરુષને શઠ, ખલ પુરુષે પર્વત પર બળતા અગ્નિને જુએ છે, પરંતુ પોતાના પગમાં અગ્નિને જોતા નથી. બીજાને નાશ કરવા ઈચ્છતા શઠપુરુષે સાથોસાથ પોતાના નાશને પણ નોતરે છે. કર્ણમાં દાખલ થયેલ મચ્છરથી જેમ હાથી જીતાય છે તેમ છિદ્રમાં દાખલ થયેલ હીન–અધમ વ્યક્તિથી સમર્થ વ્યક્તિ પણ છતાય છે, તે નલ કલિથી પરાભવ ન પામે તેવા પ્રકારનો પ્રયાસ તમો કરે અને સર્વ દે હમણાં તેના મનની શાંતિ કરે. વીરસેન રાજાના ભાઈ અને નલરાજાના કાકા અત્યારે પાતાલ લેકમાં કર્કોટક નામના નાગરાજ થયા છે તે પુણ્યાત્મા નાગરાજ, કલિથી આકુળવ્યાકુળ બનાવાયેલ નલ રાજાના બુદ્ધિજાણતાના અવસરે, પૂર્વના નેહના કારણથી રક્ષા કરો! આ બાજુ કલિએ પણ શીધ્ર પૃથ્વી પીઠ પર આવીને, આર્ય પુરુષાથી વ્યાપ્ત આયવર્તન-ભરતક્ષેત્રને જે તે દેશમાં દરેક વ્યક્તિને ધર્મમાં રકત જોઈને ભયભીત બનેલા કલિના સૈનિકે એક પગલું પણ મૂકી શક્યા નહીં. આ પ્રમાણે ભયવિહવળ ચિત્તવાળા પિતાના સૈનિકોને જેતે તેમજ હસતે કલિ એકદમ બોલી ઊઠ કે–“સ્વર્ગથી આવતા અને અભિમાનથી અંધ બનેલા આપણને આ નલ રાજવી સહજમાં વશ થાય તેમ નથી તે હવે તમે બધા જેમ આવ્યા હતા તેમ ચાલ્યા જાઓ. જેણે પ્રતિજ્ઞા કરી છે તે હું તેને પરાજય કરવા માટે જઈશ. ત્રીજી નીતિ-દંડથી સાધવા યોગ્ય નલ રાજાને હણવાની ઈચ્છાથી હું ગુપ્ત રીતે કોઈપણ સ્થળે રહીશ. તેને દેષ (છિદ્ર) જેઈને બળાત્કારે તેનામાં પ્રવેશ કરીને સામાના હૃદયને દુઃખદાયક મારો સ્વભાવ હું તેને શીધ્ર બતાવીશ. (એક વખત હું તેનું છિદ્ર જોઈ લઉં તે પછી તેને હું જોઈ લઈશ.) પરસ્પર જુદા પડેલા દમયંતી અને નલ પૈકી એકને હણ્યા બાદ હું તમને ફરી મળીશ.” “કઈ દિશામાં હવે આપણે જવું?” એ પ્રમાણે બ્રમવાળા પોતાના સેવકને વિદાય કરીને કલિ પોતે જ જલ્દી નલ રાજાની રાજધાનીમાં આવી પહોંચ્યા. તે નગરમાં પ્રવેશ કરીને, પોતાને વિશ્રામ કરવાને માટે સ્થાન તપાસતે ચેર એવો કલિ ત્રિક (ત્રણ રતાવાળાં), ચત્વર (ચાર રસ્તા વાળો ચક) અને શેરીઓમાં ભમવા લાગ્યા, પરંતુ કેઈપણ થળે પિતાને મનગમતું સ્થાન ન મળ્યું અને અત્યંત સુખશીલ નલ પ્રત્યે તે એકી વખતે જ દુઃખ અને સુખનો અનુભવ કરવા લાગ્યો. દેવના પવિત્ર મનાત્રજલને ઓળંગવાથી જેના દાંત પડી ગયા છે તેમજ જેના ઘુંટણ ભાંગી ગયા છે તેવો કલિ પૃથ્વીપીઠ પર પડી ગયે. શિખ્યાને વાચા આપવાના સમયે સિદ્ધાન્તના અભ્યાસ અર્થે થતાં ધવનિથી કલિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy