SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] શ્રી દમયંતી ચરિત્ર : ઋધિ ૪ થે. સર્ગ ત્રીજો મારે ડાબે પગ પછાડું છું અને મારી શિખા (ચોટલી) છૂટી મૂકું છું તેને તમે સર્વ બાંધો. તમારી સર્વની સાક્ષીએ હું આ પ્રકારની પ્રતિજ્ઞા કરું છું.” આ પ્રમાણે કલિની પ્રતિજ્ઞા સાંભળીને, હૃદયમાં ઉપદ્રવની શંકાને ધારણ કરતાં દેએ તેમને ફરીથી કંઈપણ જવાબ ન આપે. ખેદની વાત છે કે-હિતકારક ઉપદેશથી દુર્જન પુરુષ ઊલટે ક્રોધ પામે છે તે બાબતમાં શું આશ્ચર્ય છે? કારણ કે દૂધ પાવાથી સર્ષ ઊલટે વિશેષ ઝેર યુક્ત બને છે, ઘીથી સિંચાયેલ અગ્નિ જે શાન્ત થાય તે જ ખલ પુરુષ મનહર શાન્ત વાણથી શાંતિ પામે. પ્રથમ આવેલા, જવર(તાવ)વાળાને જલનાન જેમ જવરની વૃદ્ધિ કરે છે તેમ શાન્ત વચનોથી મૂર્ખને ક્રોધ ઊલટે વૃદ્ધિ પામે છે, માટે દુનર્વિયી એવા કલિને દૂરથી જ શીવ્ર ત્યાગ કરે, આ પ્રમાણે વિચારીને દેવસમૂહ પિતાને માર્ગે ચાલ્યા ગયે. નલ-દમયંતીના તેવા પ્રકારના ગુણોના વર્ણનરૂપી મૂલ મંત્રથી ઉત્તેજિત કરાયેલ, કઠોર રોષથી રકત નેત્રવાળા કલિને, જાણે દમયંતીના હસ્તને ગ્રહણ કરવામાં અશક્ત બનવાથી તે વેરને યાદ કરતાં હોય તેમ દેએ નલ પ્રત્યે વેર વાળવાને માટે યુક્ત કર્યો. અર્થાત્ દેવોએ પિતાનું વેર વાળવા માટે કલિને આગળ કર્યો. આ પ્રમાણે દેવેની સમક્ષ પ્રતિજ્ઞા કરવાવાળો, નલ રાજાને નિકારણ શત્રુ બનેલ, પ્રલયકાળના અગ્નિ સમાન ક્રોધથી ધમધમતે અને પૃથ્વીપીઠ તરફ આવવાને ઈછતે કલિ ત્યાંથી ચાલી નીકળે. – – સર્ગ ત્રીજો. આ [ કલિનું પૃથ્વીપીઠ પર આગમન. બહેડાના ઝાડ પર લીધેલ આશ્રય ] I પછી અમરાવતી પહોંચેલા દેવોની વચ્ચે, કલિ અને નલરાજાનાં શત્રુપણાની E - વાર્તા પરસ્પર થવા લાગી. અરે! દમયંતી નલને વરી તે ઘણું જ સારું થયું, પરંતુ પાપી કલિ નલને નાશ કરવા ઇચ્છે છે તે ખરેખર દુખદાયક છે. જે સ્વયંવર મંડપમાં દમયંતીએ નલને સ્વામી તરીકે સ્વીકાર્યો તો શું તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy