SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૦] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થો. સર્ગ બીજે. કે અમારો શ્રમ નકામો ગયો છે તેથી તણખલા સમાન તુચ્છ બનીને સ્વયંવર મહોત્સવ માંથી પાછા ફરી રહ્યા છીએ, તે હજુ પણ તમે મારી સાથે પૃથ્વીપીઠ તરફ પાછા ફરો અને નલને ત્યજીને, દમયંતીનું અપહરણ કરીને આપણે ચાલ્યા આવીએ.” • આ પ્રમાણે કલિનું વચન સાંભળીને વિસ્મય પામેલા દે, પિતાના ક ઢાંકીને એમ ન બોલે, ન બોલે. શાન્ત થાઓ, શાન્ત થાઓ.” એમ વારંવાર બોલવા લાગ્યા. “અરે પાપી! અમારા કર્ણવિવરમાં દાખલ થયેલ, ગાઢ કાજળ સરખા તમારા વચનથી અંતરાત્મા પણ લેવાઈ રહ્યો છે. હે દુષ્ટ ! તું દેવોને પણ તારી માફક ઘાતકી માને છે. હે મૂઢ! આ બાબતમાં અત્યંત ગૂઢ પરમાર્થને તું જાણતો નથી. તે નલ રાજાને જે નથી તેમજ નલપ્રિયા દમયંતીને પણ નીરખી નથી. તેઓ બંનેની ગેરહાજરીમાં તું નિરથક બકવાદ કરી રહ્યો છે. તે રાજર્ષિના શાંત સ્વભાવને અને દમયંતીના સતીપણાને કહેવાને માટે જે કંઈ પણ સમર્થ હોય તે માત્ર સરસ્વતી દેવી જ સમર્થ છે.” આ પ્રમાણે ઈંદ્રાદિ લેકપાલ અને દેવોથી સાક્ષીભૂત બનાવેલી અને સ્વયંવર મહોત્સવને વિષે પ્રતિહારિણીરૂપ બનેલ સરસ્વતી દેવી કલિ પ્રત્યે બોલી કે –“હે કલિ! તું કંઈક ડાહ્યો થા. હે દુછ બુદ્ધિવાળા! પા૫વૃત્તિને ત્યાગ કર. દેવેની તું કદઈને ન કર, તેમજ નલની નિંદા પણ ન કર. સ્વયંવર મહોત્સવ પ્રસંગે સભાની શોભા વધારવા તેમજ નળ-દમયંતીરૂપી દંપતીને વરદાન આપવા માટે દેવ ગયા હતા. નલરૂપી રાજવીથી પ્રકાશિત બનેલ તે સતી દમયંતીરૂપી અગ્નિમાં, જોયા વગર જ તમારા જેવા બ્રાંતિયુક્ત પતંગીયાઓ આવીને પડે છે-બળી મરે છે. તારે દમયંતીને મધથી લેપાયેલ તરવારની ધાર જેવી સમજવી. તેને ઈચ્છતા દુરાચારી પુરુષો દૂરથી જ છિન્નભિન્ન થઈ જાય છે. પવિત્ર કીતિવાળા અને બુદ્ધિમાન તે નલ રાજર્ષિના પૈર્ય અને વિર્યાદિ ગુણેની સરખામણીમાં કઈ પણ આવી શકે તેમ નથી.” ઉપર પ્રમાણે સરસ્વતીએ શરૂ કરેલ નલપ્રશંસા સાંભળીને અચાનક ક્રોધ પામેલ અને કકળી ઊઠેલ કલિ બે કે-“હે સરસ્વતી ! તું નલના વખાણ કરવાનું ત્યજી દે. ખરેખર તું બકવાદી જણાય છે. અરે આશ્ચર્યની વાત છે કે-દેવો પણ માનવીઓના સ્તુતિ પાઠક(ભાટ)નું કાર્ય કરી રહ્યા છે. રત્નચર, સભાને શત્રુ અને કાર્યની હાનિ કરનાર એ નરાધમ નલ તમારાથી શું વર્ણન કરવાને ગ્ય છે? તે આજે શત્રુ સરખા અગ્નિસ્વરૂપ મારા જે કલિ ક્રોધે ભરાય છે તે પાપી નલ કઈ રીતે સુખપૂર્વક રહી શકે છે તે હવે તમે જાણશો અર્થાત હું તેને સુખપૂર્વક રહેવા દઈશ નહીં. આજથી જ નલ સાથે મારું વેર નિણત થયું છે. ભલે ત્રણે લેક પટહ-ઘેષણ કરીને મારા વૈરને ગાયભલે મારા વેર સંબંધી વાતો કરે, મને તેની પરવા નથી, દશ દિપાલે, તેના પિતૃઓ, સાધુપુરુષ અથવા તે દમયંતીનું સતીપણું નલની કેવી રીતે રક્ષા કરે છે તે હું જઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy