SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોને કલિનો વાર્તાલાપ. [ ૧૧૯ ] જેવાને પણ લાભ મળી શકે તેમ નથી. શરૂઆતથી જ તારે સ્વયંવરમાં જવું ઉચિત નહેાતું જ કારણ કે તે “નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ” એ પ્રમાણે યેગી પુરુષો તારી પ્રશંસા કરે છે.” પછી શારદાદેવી ઇના વચનને અનુરૂપ (મશ્કરી યુક્ત) વાણીરૂપી બાણવૃષ્ટિને અધિક રીતે વર્ષાવવા લાગ્યા. “ખરેખર આશ્ચર્યની વાત છે કે-સૂતેલા એવા તમારું ( ઊંઘમાં) પાણિગ્રહણ થઈ ગયું જણાય છે અને પ્રભાતકાળે ઊઠતાં તેને જોવાને માટે તમે આંખો ચાળી રહ્યા જણાઓ છે. તે સ્વયંવર મંડપ સર્વ ગુણથી સંપૂર્ણ હોવા છતાં, જેમ ચંદ્ર કલંકથી ન્યૂન જણાય છે તેમ તમારી ગેરહાજરીથી તે મહત્સવ પણ ન્યૂન જાતે હતો ! તમારા આવા પ્રકારના રૂપ, વેષ અને વૈભવથી, દમયંતી તે દૂર રહે, પરંતુ બીજી કઈ પણ સ્ત્રી જરૂર તમને વરત-પસંદ કરતાં પોતાની જાતને નહીં ઓળખનાર, સમયને નહીં જાણનાર, ઇંદ્રિય પર કાબૂ નહીં રાખનાર, દુભાંગી હોવા છતાં પિતાની જાતને સુભાગી માનનાર તેમજ અન્ય હેવા છતાં પિતાની જાતને ધન્ય માનનાર એવા તેને ધિક્કાર હો ! “હું વૈદભીને મેળવીશ” એવી વાણી ઉચ્ચારનાર તું શું શરમાતો નથી ? કારણ કે તારા જેવો દુર્જન માણસ તેની દષ્ટિમાં પણ આવી શક્યો નહિ. બ્રહ્માએ બના વેલ ઉપનિષદને જેમ ચંડાલ પ્રાપ્ત ન કરી શકે તેમ, ઉત્તમ પુરુષ-નલ પ્રત્યે અભિલાષાવાળી દમયંતીને તું કઈ રીતે મેળવી શકે ? હવે પછી જે તું તારા ચિત્તમાં પરસ્ત્રીને ચિંતવીશ તો ક્ષણ માત્રમાં તું બળીને ભસ્મ થઈ જઈશ, તું બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામેલ છે, હવે તું યમરાજના મુખમાં ન જા-મૃત્યુ ન પામ. હે દુબુદ્ધિ ! અહીંથી તું દૂર જા, અને દેને જવા માટે માર્ગ આપ.” આ પ્રમાણે ઇંદ્રના અભિપ્રાયને જાણીને સરસ્વતી દેવીથી તિરસ્કાર કરાયેલ કલિ, વૃક્ષથી ફાલ ચૂકી જનાર વાનરની જેમ ક્ષણ માત્ર જડ જે બની ગયે. પછી ડંખ મરાયેલ વ્યક્તિની જેમ પીડાને અનુભવીને, સરસ્વતીને ત્યજી દઈને, કલિએ ફરીથી લેકપાલને કહ્યું કે-“હા, સમજ્યો કે દમયંતી નલને વરી હા, હું સમયે કે તમે તે સ્થાનથી પાછા ફરી રહ્યા છો. તમારાથી આવું અનુચિત કાર્ય કેવી રીતે જોવાયું ? વિલખા બનેલ, મૂર્ખ, ઉત્સાહ વિનાના એવા તમે દેવોને ધિકકાર હે ! તમારા જેવા દેવો હાજર હોવા છતાં માનવી સ્ત્રી મનષ્યને વરી. તે બધા રાજવીઓને પછાડીને પરાસ્ત કરીને, દમયંતીનું અપહરણ કરીને, સ્વર્ગમાં આવતા તમોને અટકાવવાને કેણ સમર્થ છે ? ખરેખર આજે તમોએ સ્વર્ગને મહિમા દૂર કર્યો છે. તમે સઘળા અમર્ત્ય (દેવ) હોવા છતાં ખરેખર માનવીથી પણ હલકા બન્યા છે. તમે મને બ્રહ્મચર્યનો ઉપદેશ કરો છે અને સ્ત્રીના નિતંબમાં આસક્ત બનેલા તમે પિતે સ્વયંવરમાં ગયા હતા !! ખરેખર, કથાકારની જેમ આ દુનિયા પારકાને ઉપદેશ આપનારી છે. જેને જે વસ્તુ પસંદ પડે છે તે વસ્તુનું તે આચરણ કરે છે, તો હવે ૫ણ કેમ જણાવતા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy