SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ - -- -- -- દેવને કલિને મેળાપ. [ ૧૧૭ ] આ પ્રમાણે બકવાદ કરતાં તે રસ્તુતિપાઠકને, ઇંદ્ર મહારાજની ભ્રકુટીથી પ્રેરણા કરાયેલ શ્રેષ્ઠ નૈમેષી દેવે આક્ષેપપૂર્વક નીચે પ્રમાણે કહ્યું કે-“અરે ! ધર્મધુરન્ધર સૌધર્મો સમસ્ત વિશ્વનું રક્ષણ કરનાર હોવા છતાં આ કઈ વ્યક્તિ છે કે જે ધર્મ કર્મને જ અત્યંત નાશ કરી રહી છે ? હે દુરાચારી! તું ઊભું રહે, ઊભું રહે, હવે તું ક્યાં સુધી લાંબુ જીવી શકીશ ? તારી જીભને હું તારા તાળવાના મૂળમાંથી હમણાં જ ખેંચી કાઢીશ. આ જગતમાં જે કૃત્યાકૃત્યનો વિવેક ન હોય તો પ્રકાશ અને અંધકાર બંનેનું સરખાપણું કેમ ન હોઈ શકે ? આ વિશ્વમાં પાપ અને પુણ્યને વિસ્તાર પ્રત્યક્ષ છે, કારણ કે આ સમગ્ર વિશ્વ સુખ-દુઃખની વ્યવસ્થાથી જુદું પડેલ છે. (પુણ્યશાલી પ્રાણી સુખી દેખાય છે અને પાપી પ્રાણુઓ દુઃખી જણાય છે) કેટલાક કે સામ્રાજ્ય ભગવે છે અને કેટલાક માત્ર સેવકપણું ધારણ કરે છે, તે ખરેખર ભવાન્તરમાં બાંધેલા કર્મોનું જ ફલ છે. સર્વ નિમાં ફરતે-જમણું કરતો તે આત્મા જોઈ શકાતું નથી, કારણ કે પુષ્પમાંથી અન્ય પાત્રોમાં જતો સુગંધ જોઈ શકાતો નથી. વૃક્ષ તરીકે સમાન હોવા છતાં આંબા અને લીંબડામાં જેમ ભેદ રહેલ છે તેમ મનુષ્યપણું સરખું હોવા છતાં વર્ષોમાં મહાન્ તફાવત રહેલ છે. જે હમણાં જ આ સમસ્ત વિશ્વ સાગરરૂપ બની જાય તે મર્યાદારૂપી પૂલ જદી શિથિલ થઈ જાય-નાશ પામી જાય તે જગતનો પ્રલય કરવાને માટે સ્થિતિભંગ કરતા દુરાચારી નાસ્તિક પુરુષનો જલદી વધ કરે જોઈએ. વિલાસથી અંધ બનેલ આ ચાવાંક (મિથ્યાત્વી) મતાવલંબી પ્રાણીઓના ઉન્માર્ગગામીપણાને ઉગ્ર રાજદંડ હણે છે તે છે દુરાત્મન્ ! તું મરણ પામીશ.” આ પ્રમાણે બેસીને ગમેલી દેવે ઘુઘરીઓથી શોભતી શક્તિને હસ્તમાં ગ્રહણ કરી. વીજળી સરખી દેદીપ્યમાન તે દિવ્ય શક્તિને જોઈને ભય-વિલ્હેલ બનેલ તેમજ ભૂમિ પર આળોટતે સ્તુતિપાઠક ઇદ્રના ચરણોમાં પડ્યો અને બોલ્યા કે-“હે નાથ ! મારું રક્ષણ કરે. હું વૈતાલિક સ્તુતિપાઠક છું. અપરાધી દીન પ્રાણીઓ પર સજજન પુરુષો તે કૃપા જ કરે છે. સેવકલેકે સ્વાભાવિક રીતે જ યોગ્યાયેગ્ય વસ્તુને જાણતા નથી, પરંતુ સ્વામીમાલિકના ચિત્તને અનુસરવું તે જ તેનું કર્તવ્ય છે. મેં જે આ પ્રમાણે સર્વ હકીકત વર્ણવી છે તે સર્વ કલિના સેવક તરીકે જ વર્ણવી છે.” આ પ્રમાણે તે સ્તુતિપાઠકે કહીને તેમની સમક્ષ કલિયુગની માયા (કલિ) દર્શાવી; એટલે “આ કલિનું મુખ જોવા લાયક નથી” એમ વિચારીને દેવે આકાશપથમાં દક્ષિણ દિશા તરફ, સુવર્ણગિરિ(મેરુપર્વત) તરફ જવાને ચાલી નીકળ્યા. આવી રીતે બીજે રસ્તે જતાં દેવેને જોઈને, સનેહી જનની માફક ગાઢ સ્વરે “હે ઇંદ્ર, ઉભા રહે, ઊભા રહે ” એ પ્રમાણે બેલતે કલિ આડે માગે તેઓના તરફ દો. ––– – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy