SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ =ી સ્કધ ચોથા સર્ગ પહેલો એન=00000 [ ઇંદ્રાદિ દેને કલિને મેળાપ.] ---- -------- ફમયંતી તથા નલના સંબંધવાળી હકીકતને પરસ્પર વર્ણવતા મહાબલશાળી દેવો જન------- પણ પિતાથી ઉલંઘન કરાતા રસ્તાને જાણી શક્યા નહિ, અર્થાત આ હકીકત એટલી બધી રસિક ને લાંબી હતી કે રસ્તો પૂર્ણ થઈ જાય, છતાં વાર્તા પૂર્ણ ન થાય.-આ પ્રમાણે આકાશમાગે જતાં અને સ્વર્ગગંગાને કિનારે પહોંચેલા દેએ પિતાની સન્મુખ આવતાં કેઈક જનસમૂહને જે, તે પૈકી કેટલાક ગધેડા પર બેઠેલા હતા, કેટલાક પાડાના વાહનવાળા હતા, કેટલાક આમતેમ કૂદકા મારતા હતા, કેટલાક લથડીયા ખાતાં ખાતાં ચાલતા હતા, કેટલાક નાચતા હતા, કેટલાક હસતા હતા, કેટલાક નિરર્થક રુદન કરતા હતા, કેટલાક પિતાની જ જાતને વિડંબના પમાડતા હતા, અને કેટલાક જગતને તણખલા સમાન માનીને ચાલતા હતા. તે સર્વ સાત વ્યસનવાળા, પાંચે પાપને સેવનારા, કૃતની અને મહાદૂર હતા. તેવામાં જાણે જગતને ઉદ્દેશીને શિખામણ આપતા હોય તેમ કોઈએક સ્તુતિપાઠકના નીચે પ્રમાણેના શબ્દો દેને સંભળાયા કે–“અરે અરે ! અજ્ઞાનને તજી દે, અને કામદેવના હુકમને અનુસરે. હે મૂર્ખ લકે! અનિત્ય (નાશવંત) શરીરનું ફલ મેળવી લે. મૃત્યુ પામ્યા પછી પ્રાણીને આ જગતમાં ફરીવાર આવવાનું નથી. સમુદ્રમાં ડૂબી ગયેલ પથ્થરા એ શું કદી ઉપર આવે શકે? વળી પિતાપિતાની જાતિમાં ઉત્પન્ન થયેલ પ્રાણીઓને વર્ણવ્યવસ્થા શી ? અર્થાત્ ઊંચ-નીચપણું શું? કારણ કે સૂર્ય તે સર્વ પ્રાણીઓને સરખું તેજ આપે છે. ખરેખર આ લેકમાં પાપ અને પુણ્ય એ બંને મનના વિશ્વમ છે. ઝેર જેવી શંકા ધીર પુરુષને કદાપિ વ્યામોહ પમાડી શકતી નથી. સ્વાધ્યાય તેમજ ધ્યાનરૂપ દુઃખ અને ભિક્ષા ગ્રહણ કરવાને માટે કરાતું અહીંતહીં ભ્રમણ–એ પુરુષાર્થહીન પ્રાણીઓને માટે જીવન જીવવાની એક પ્રકારની કુશળતા માત્ર છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy