SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નળનું સ્વનગરીમાં આગમન. [ ૧૧૫ ] wwwwwwwwwww વાણું બોલે છે, પિતાના બંને ચરણ તરફ જ નજર રાખી રહે છે, સેવામાં રક્ત રહે છે, શિષ્ટ પુરુષને આસન આપે છે, પતિ પહેલાં પોતે સૂતી નથી તેમજ તેના જાગૃત થયા પહેલાં જાગે છે.” આ પ્રમાણે વિનયશીલ દમયંતીને અનુગ્રહ બતાવવાપૂર્વક ભીમ રાજાએ કહ્યું અને વૈર્યશાલી નલરાજાને વળાવવા માટે ચાલ્યા. ત્રણ પ્રયાણસ્થળ સુધી સાથે રહીને તેમજ નલરાજાની અનુમતિ લઈને ભીમરાજા સ્વદેશ તરફ પાછા ફર્યા. કેટલાક પ્રયાણદ્વારા વિશાળ માર્ગનું ઉલંઘન કર્યા બાદ, આનંદી મિત્રસમૂહ અને સમસ્ત સૈન્ય યુક્ત નલરાજા, સન્મુખ આવેલ નાગરિક લોકવાળી તેમજ ઊંચા તારણ સમૂહથી વ્યાપ્ત પોતાની રાજધાનીમાં આવી પહોંચ્યા અને જ્યોતિષી લોકોએ જણાવેલા વિશાળ મુહૂર્તમાં મહોત્સવ પૂર્વક પુરપ્રવેશ કરીને, સમસ્ત લેકએ જેનું માંગલિક કાર્ય કર્યું છે તેવા નલ ભૂપાલે પિતાના સ્વજનવર્ગને દાન તેમજ સન્માન આપવાવડે પ્રમોદ પમાડ્યો. આ પ્રમાણે શ્રેષ્ઠ અને નુતન મંગલોથી યુક્ત, શ્રી યશોધરચરિવના કર્તા શ્રી માણિક્યદેવસૂરિએ રચેલા, આર્યજનોના કને કમળરૂપ નલાયન (દમયંતીચરિત્ર) ને રસસમૂહથી પરિપૂર્ણ આ ત્રીજે (સ્વયંવર ) સકંધ સંપૂર્ણ થયે. કરી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy