SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જ. સર્ગ ત્રીજે. હોવાથી મુક્ત રીતે તે વ્યવહાર કેમ થઈ શકે? એટલે તે બંનેના નેત્ર ક્ષણિક ક્ષણિક એકીટસે નીહાળી લેતા અને આ પ્રમાણે થવાથી લચનેએ કંઈક કષ્ટ અનુભવ્યું. બાદ મીંઢળ યુક્ત હસ્તવાળા અને વસ્ત્રની ગાંઠ( છેડાછેડી) બાંધેલા તે દંપતીએ મનહર અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા આપી અને ત્યાર બાદ પુરોહિતની સૂચનાથી કન્યા જક ભીમરાજાએ અગ્નિને વિષે શીધ્ર લાજ(ધાણી, અક્ષત વિસામગ્રી)નાખી. કરમેચનસમયે ભીમરાજાએ નલને દશ હજાર શ્રેષ્ઠ હસ્તીઓ, દશ કરોડ અશ્વો, દશ લાખ અનુપમ વારાંગનાઓ, અને અગણિત સુવર્ણ, રૂપું, રત્ન, માણેક વિ. ધાતુઓ તેમજ શસ્ત્ર તથા આસનાદિ આપ્યું. ચોથે દિવસે, એક જ ભાજનમાં રહેલા અને પરસ્પર અપાતા સુંદર અરુપાક(હેમનું અન્ન)ને જમીને તે બંને ચાર ખૂણાવાળી વેદિકા, પર લોકપ્રસિદ્ધ તેમજ જેની નીચે ભીના અક્ષત મૂકવામાં આવ્યા છે તેવા, આસન પર જઈને બેઠા એટલે અનેક પ્રકારના મનહર કુતુહલે અને ત્રણ પ્રકારના વાજિંત્રોનું વાદન અને સંપત્તિ, શીલ અને કુલને અનુરૂપ સર્વ પ્રકારના મંગળ વિધાન થવા લાગ્યા. પછી વિધિના જાણુ ભીમરાજાએ સ્વયંવર પ્રસગે આવેલા રાજાઓને મહાન આદરસત્કાર કર્યો એટલે સન્માનથી સંતુષ્ટ હદયવાળા તેઓએ દમયંતીને અર્પણ કરવાના સનેહ કરતાં પણ તે આદરસત્કારને વિશેષ સુખ માન્યું. બાહુબલથી શત્રુવર્ગને જીતી લેનાર, તથા સમગ્ર પૃથ્વીને વિષે કલ્પવૃક્ષ સરખા નલ રાજાએ તે સમયે એટલું બધું દાન આપ્યું કેન્યાચકવર્ગને સુવર્ણાભરના ભારથી શરીરને વિષે અચાનક પ્રસ્વેદ પ્રગટી નીકળે અર્થાત્ અઢળક દાન આપ્યું. આ સમયે સનેહસંબંધ ધરાવનારા, સુંદર રચના કરવામાં ચતુર દક્ષિણ દેશના રાજાઓએ પણ પોતાની સદાચારી કન્યાઓ, કે જે દમયંતીની સખીઓ હતી તેને નલરાજાના મિત્ર અને શુદ્ધ વંશમાં જન્મેલા શ્રેષ્ઠ રાજવીઓ સાથે સુંદર પાણિગ્રહણ મહોત્સવપૂર્વક પરણાવી. અનેક ઉત્સવો દ્વારા પ્રિયજનના સહવાસપૂર્વક એક માસ રોકાયા બાદ નલરાજાએ પિતાના દેશ તરફ જવાની તૈયારી કરી ત્યારે, સ્વામીના ઘરે મોકલાતી, અશ્રુ સારતી અને નમ્ર મસ્તકવાળી પિતાની પ્રિય પુત્રી દમયંતીને, આંખમાં અશ્રુ લાવીને ભીમ રાજાએ કહ્યું કે “હે પુત્રી! તું સર્વ હકીકત જાણે છે, માટે અશ્રુઓને અટકાવ. તને શી શિખામણ દેવી પડે? અમારે કોની માફક તેને કહેવાનું હોઈ શકે ? છતાં પણ હું તને, ચંદ્ર પર ચંદનના વિલેપનની માફક, કંઈક વ્યવહારુ વચન કહું છું. હે પુત્રી ! સુકુલમાં જન્મેલ સ્ત્રી માટે આટલું અવશ્ય કરવાનું હોય છે–સ્વામી તરફ નિષ્કપટભાવ, વડીલ જો પ્રત્યે પ્રણામ, કુલમાં નેહ, પરિજનવર્ગ વિષે મોટાઈ, શકય પ્રત્યે કોમળતા, સ્વામીના દુશ્મન પ્રત્યે શેષ, સ્વામીના મિત્ર પ્રત્યે પ્રીતિ. કુલવધુઓને આ સિદ્ધાન્ત હોય છે કે–તે નમ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy