SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતીને હસ્તમેળાપ. [ ૧૧૩] ~~~~ ~~~~ ~~~ ~~~ત ૧૧૧૧ -~~~ ~*~~* * * સ્વજનોથી વ્યાપ્ત તે વિવાહમંડપ ધ્વનિ કરવા લાગે. વળી તે સમયે ભીમરાજાની સભામાં વચનને અગોચર તેમજ હર્ષદાયક નૃત્ય અને પ્રીતિદાન થવા લાગ્યા. આ અવસરે આમંત્રણ કરવાને માટે આવેલા ભીમરાજાના સ્વજનવર્ગની સાથે નારાજા કરોડો રથ યુકત વિદાય થયે. નલને અનુસરનારા રાજાઓના રત્નજડિત કરોડો મુકુટને લીધે, જાણે રોહણાચલ પાંખવાળ બનીને તેઓના પર રનવૃષ્ટિ કરતું હોય તેમ જણાતું હતું. વગાડાતા અનેક વેણુ( વાંસળી), વીણા વિગેરેના વાજિંત્રોના ઇવનિથી ઉત્સવમંડપને આકાશપ્રદેશ સવર અને ગ્રામ( સંગીતના પ્રકારો )મય બની ગયે. સાક્ષાત જાણે સોભાગ્યને ચંદ્ર હોય તેવા તે શ્રેષ્ઠ નલને જોઈને કુંડિનપુરના નાગરિક જને પ્રેમસાગરમાં ડૂબી ગયા. વળી, જેના હાર તૂટી રહ્યા છે અને પુષ્પો ખરી પડે છે તેવી સ્ત્રીઓ નલને જોવાની ઈચ્છાથી ગેખ પર ચઢવાને માટે તે તરફ શીધ્ર દેડવા લાગી; એટલે તે સ્ત્રીઓના નેત્ર, મુખ, દંત અને ઓછોથી ગવાક્ષે તત્કાલ જાણે કમળ, ચંદ્ર, માણિકય અને પ્રવાલેથી ભરચક બની ગયા હોય તેમ ભી ઊઠયા. પિતાના હસ્તમાં રહેલ ક્રીડાકમળને, નલનું મુખ માનીને તે કમળને ચુંબન કરતી કે એક સ્ત્રીને, કમળને વિષે રહેલા ભમરાએ અધરોષ્ઠ પર ડંખ માર્યો, જેથી તેનું શુંગારરસમાં અત્યંત તરબળ બની ગઈ. તે સમયે સ્ત્રીઓના નેત્રરૂપી કમળમાંથી નીકળતા કિરણે નલ રાજા પર પડયા અને તેની સાથે સાથે તે સ્ત્રીઓના હાથમાં રહેલ લાજ (ધાણી, અક્ષત વિગેરે પદાર્થો જે શુભસૂચક શુકન તરીકે વધાવવાના કાર્યમાં વપરાય છે.) પણ સરી પડી અર્થાત તે સ્ત્રીઓએ નલ રાજાને વધાવ્યા. અહો! આજે વૈદભી ઈંદ્રાણીને પણ જીતી લે છે તે હકીકત સત્ય છે, કારણ કે પ્રાપ્ત થયેલ ઇંદ્રને પણ દમયંતી એ સ્વીકારેલ નથી. ” આ પ્રમાણે કુંડિનપુરવાસી સ્ત્રીઓની વાણીને સાંભળો, સર્વ શાસ્ત્રને અભ્યાસી નલ ભીમરાજાના આવાસો પ્રત્યે આવી પહોંચે. રાજમાર્ગ તેમજ સાત દરવાજાઓનું ઉલ્લંઘન કરીને પ્રસન્ન મુખવાળા નલે પ્રતિહારીઓની સાથે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. બાદ શ્વસુર ભીમરાજાએ આપેલ મધુપર્કનું ત્રણ વાર આચમને લઈને તેણે દિવ્ય, રેશમી વસ્ત્રો અને આભૂષણે સ્વીકાર્યા. પુરોહિતે તે બંને નલ તથા દમયંતીના કોમળ હસ્તોને ઓષધીવાળા, અંગૂઠાદ્વારા મેળાપ કરવાવાળા અને દર્ભબંધનથી યુકત કર્યો અર્થાત્ હસ્તમેળાપ કરાવ્ય; એટલે પરસ્પર જોડાયેલ પાંદડાવાળી ફલિની નામની લતા અને બકુલ વૃક્ષની માફક એક-બીજાના હસ્તમેળાપવાળા તે દંપતી અત્યંત શોભવા લાગ્યા. પછી શૃંગારરસથી મનહર, લીલા વ્યક્ત કરવાને અંગે ઉજજવળ, નેહના ભારથી કંઈક વજનદાર બનેલા, શરમને અંગે વ્યાકુળ અને સ્વજનોની સભામાં તારામૈત્રક કરતાં નલ તેમજ દમયંતીના લચને અત્યંત ખેદ પામ્યા એટલે કે તેઓ બંને પરસ્પરને એકીટસે જેવા અતીવ આતુર હતા પરંતુ તે સભામાં સ્વજનોની હાજરી ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy