SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંદ્રાદિ લોકપાલોને નલને આશીર્વાદ. [ ૧૧૧] કરતાં ઇંદ્રમહારાજે, હસ્તમાં વજ ધારણ કરીને, રાજવીઓના હૃદયમાં રહેલ શલ્યને દૂર કરતાં નીચે પ્રમાણે કહ્યું કે “ દમયંતીથી વરાયેલા નલ રાજા પ્રત્યે આ રાજાઓ પૈકી જે કંઈને કંઈ પણ મસ્તકપડા (ઈર્ષી) હશે તે જડ બુદ્ધિવાળા તે રાજાનું મસ્તક, અર્જકમંજરીની માફક, મારા વજન પ્રહારથી જર્જરિત થઈને સેંકડો ટુકડારૂપ બની જશે. હું દમયંતીને વરદાન આપું છું કે-પ્રયાણ કરતી વખતે કે સ્થિર વાસમાં, સ્થલમાં કે જલમાં, રાત્રિને વિષે કે દિવસે, સ્વમમાં કે ઊંઘતા, જંગલમાં કે મહેલમાં, સુખમાં કે દુઃખમાં જે કોઈ ઉદ્ધત પુરુષ દમયંતીને ભોગવવા ઈચ્છશે તે પાપી પૃથ્વી પીઠ પર બલીને ભસ્મ થઈ જશે. હે નલરાજા ! યુગને પવિત્ર કરનારા બે સંતાન તને પ્રાપ્ત થશે, તેમજ તે પૃથ્વીપીઠ પર રાજય કરીશ તે સમયમાં મેઘ તારી ઈચ્છાપૂર્વક વૃષ્ટિ કરનારા બનશે. પછી યમરાજાએ આશીર્વાદપૂર્વક નલને ઉદ્દેશીને કહ્યું કે “તારા રાજ્યમાં રહેનારી પ્રજા નિરોગી અને સંપૂર્ણ આયુષને ભેગવનારી બનશે.” વરુણ દેવે પણ વરદાન આપતાં જણાવ્યું કે-“વૈભવની ઈચ્છાથી તને બે સંતાનોની પ્રાપ્તિ થાવ, તેમજ તારી ઈચછાનુસાર જ્યાં જળ હોય ત્યાં સ્થળ બને અને જ્યાં સ્થળ હોય ત્યાં જલ થાઓ.” અગ્નિદેવે પણ આશીષ આપતાં જણાવ્યું કે-“તારી ઈચ્છા પ્રમાણે બે બાળકે થાઓ તેમજ કદી પણ વિકૃતિ નહિ પામતાં એવા મારું સૂર્યના કિરણેને વિષે તારી ઈચ્છાની સાધનારૂપ સંક્રમણ થશે. જેથી તું મારા દ્વારા સૂર્ય પાક રસવતી બનાવી શકીશ.” બાદ હસ્તમાં પુસ્તકને ધારણ કરીને નિર્મળ હાસ્યદ્વારા અંતરની પ્રીતિને દર્શાવતી તેમજ વિદ્યાધરીઓના સમૂહથી નમસ્કાર કરાયેલ ચરણકમલવાળી સરસ્વતી દેવીએ નલને આશીર્વાદ આપતાં કહ્યું કે-“હે રાજન ! વાર્તાપ્રસંગે, મુસાફરીમાં, વધૂજોના વિવાહ પ્રસંગે, પ્રાત:કાળે તેમજ સંધ્યા સમયે તમારા યશોગાન (તમારા નામનું કીર્તન-ટણ) પૃથ્વીપીઠને વિષે મનુષ્યના કલ્યાણ, ઈષ્ટ સિદ્ધિ તેમજ સંતોષ માટે બનશે.” આ પ્રમાણે દેથી વરદાન પામેલ, રાજાવડે ભક્તિયુક્ત મસ્તકે દ્વારા બહુમાન કરાતે, શોભાને ધારણ કરતે, જગતનો વિજય કરનાર, રાજાઓને વિષે તિલક સમાન, હર્ષિત અંત:કરણવાળે તેમજ પવિત્ર કીર્તિવાળો નલ રાજા, પુષ્પવૃષ્ટિ કરતાં ત્રણ ભુવનના લેકોએ તેની સ્તુતિ કરી. એવા લોકોના હૃદયને આકર્ષતા અને દેવેએ પોતે જ જેનું દતકોશલ્યપણું જાણ્યું છે એવો તેમજ નલ અને દમયંતી પ્રત્યેના પ્રેમના કારણે આવી પહોંચેલા હંસે સરસ્વતી દેવીના ચરણપીઠને શોભાવ્યું ત્યારે સમસ્ત વિદ્યાને જાણનારી શારદાદેવી, તથા પ્રકારના અદ્દભુત વધુ-વર(દમયંતી–નલ)ના સંગમરૂપી અપૂર્વ બીજને ઉગાડવામાં મેઘસમાન તેમજ ચાતુર્યના સાગર સમાન હંસ પર અત્યંત તુષ્ટ બન્યા-પ્રસન્ન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy