SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ર્ જો, સગ આઠમેા. ચરણા—વિગેરે માનવી લક્ષણેદ્વારા, નલના રૂપને ધારણ કરતાં લેાકપાલાને ઓળખી લઇને, દમયંતીએ પેાતાના સ્વામી નલને ખરેખર પીછાણી લીધા. આ પ્રમાણે લેાકપાલેાની મહેરબાનીથી સત્ય નલને એળખતી તેણીએ સરસ્વતી દેવીના વાણીવિલાસનું ઘણા સમય સુધી ચિ ંતવન કર્યું. વિશ્વને વિષે, મનુષ્ય અને દેવાને વાણી. દ્વારા ભિન્ન ભિન્ન બતાવવાને માટે બ્રહ્મસુતા-સરસ્વતી સિવાય બીજુ` કેાઈ સમર્થ નથી. આ પ્રમાણે નલરાજાને જાણનારી, અસંખ્ય ગુણવાળી, દમયંતીએ અત્યંત ગાંભીર્ય ગુણુવાળા સરસ્વતી દેવીના મુખ તરફ જોયું ત્યારે શારદા દેવીએ તેને કહ્યું કે—“ હું કુમારી ! શકા રહિતપણે તારા મનારથ પૂર્ણ કર. હે દમયંતી! જેને તું ઈચ્છી રહી છે તે જ આ પુરુષ(નલ) છે. આ તારા સ્વામીની વરમાલા નાખવાવડે તારે પૂજા કરવી ઉચિત છે. ” આ પ્રમાણે કહીને, દમયતીને હસ્તવડે ઝાલીને સરસ્વતી તેને નલરાજવી તરફ્ લઈ ગઈ. પછી કંકણુના ધ્વનિ યુક્ત દમયંતીના હસ્તને ક્રીડામાત્રમાં છેડી દઈને, નલ તરફ્ જતી તેણીને સરસ્વતીએ આલિંગન આપીને અટકાવી તેમજ કહ્યું કે—“ જેની મહેરખાનીથી આ સર્વ બનવા પામ્યું છે તે લેાકપાલા ત્રણ જગતને વિષે પૂજનિક છે. તેઓ પ્રત્યે તારે પૂજ્યભાવ દર્શાવવા જોઈએ. તે ખાખતમાં તું કેમ પ્રમાદી બની છે? ’ ,, આ પ્રમાણે શારદા દેવીના કથનથી શ્રદ્ધાળુ બનેલ અને શરમને લીધે નીચા મુખવાળી દમયંતી ઉત્સાહપૂર્વક ચારે લેાકપાલેાના ચરણમાં નમી, ત્યારે દેવાએ શિષ્યાની માફક, વહુની માફ્ક તેમજ પુત્રીની માફક પ્રણામ કરતી દમયંતીને નિહાળી. મહાપુરુષાને આવા પ્રકારના સ્વભાવ જ હાય છે કે–તે નમસ્કાર કરનારા પ્રત્યે દયાળુપણું', સભાને વિષે શરમાળપણું અને સદાચારી જને પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. પછી ઢાકપાલાની દ્રષ્ટિકટાક્ષથી પ્રેરાયેલ સરસ્વતી પાતે જ દમયંતીને નલની નજીક લઈ ગઈ. ધ્રુજારી, પ્રસ્વેદ, રામાંચ તેમજ જડતા વિગેરેથી મનેાહર અનેલ તેણી જાણે કેાઈ બીજી જ હાય તેમ દમયંતીએ નલની નજીક જઈને પાતે જ અત્યંત ઊતાવળે તેના કંઠમાં વરમાલા નાખી એટલે તેના સ્નિગ્ધ સુવર્ણ સરખા, કાંતિવાળા તેમજ અત્યંત વિશાળ હૃદયપટ પર, વિકસિત પુષ્પાની સમૃદ્ધિવાળી ( Àાભાવાળી ) અને લટકતી તે વરમાલા, નિર્મળ તેમજ પુષ્કળ ગુણ( દેરી ) સમૂહને અંગે જાણે જલ્દી હૃદયમાં દાખલ થઈ ગઈ હાય તેમ શેાલી ઊઠી. તે સમયે માંગલિક કાર્યને અંગે પ્રગટેલ વાજિંત્રાના ધ્વનિસમૂહને ચારે બાજીથી આવરી લેતે-ઢાંકી દેતા, ચંચળ તેમજ ભીરુ દાસીસમૂહના કર્ણને કઠીનઅસહ્ય, અનવસરે પણ સમસ્ત બ્રહ્માંડને તાડવાની ચેષ્ટા કરતા તેમજ સમસ્ત જનતાને વ્યાકુળ મનાવતા રાજાઓના સુભટાના સિંહુનાદ થવા લાગ્યું. જેટલામાં દમયંતીને વરવા આતુર, નલ પ્રત્યેના રાષને લીધે સભાને ક્ષેાભ પમાડતા, કાલાહલ કરતા રાજવીએ પેાતાના બાહુબલને સજ્જ કરે છે, તેવામાં લેાકપાલા સહિત પાતાના સ્વરૂપને પ્રત્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy