SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીને જોયા બાદ રાજાઓની વિચારણા. [ ૧૦૧ 3 2 “આ અહીં રહેલી ભીમરાજાની પુત્રી દમયંતી છે, જેને ભાલસ્થલમાં સ્વાભાવિક રીતે જ તિલક પ્રાપ્ત થયેલ છે. વળી તેને આપણે ક્ષણમાત્ર જોઈએ તેથી પણ આપણે લીધે માર્ગ–શ્રમ સર્વથા પ્રકારે સફલ થયે છે. ત્રણે લેકના પ્રાણીઓથી પ્રણામ કરાવા લાયક અને ત્રણ કાળને જાણનાર કેવળી ભગવંતેએ જે મોક્ષલક્ષમીની પ્રાપ્તિ કરીને ખરે. ખર તેઓએ અત્યંત દુષ્કર કાર્ય કર્યું છે, કારણ કે તેઓ જાણતા હતા કે ભવિષ્યકાળમાં દમયંતી સરખું સ્ત્રીરત્ન થવાનું છે. (આવું સ્ત્રીરત્ન થવાનું છે એમ જાણવા છતાં મોક્ષમાં જવું તે શું એક છું દુષ્કર કાર્ય છે ?) વેષ, વય, પરિજનવર્ગ, વૈભવ, શ્રેષ્ઠ કુલ, સૌંદર્ય, અથવા તેણીના વિલાસનું અમે શું વર્ણન કરીએ?—આ પ્રમાણે તે સમયે દમયંતીના એક એક નિરૂપમ ગુણને વિચાર કરતાં રાજાએ ગહન વિચારમાં પડી ગયા. બીજા રાજાઓની તે શી વાત કરવી ? પણ ધીરજવતામાં શ્રેષ્ઠ નલ રાજા પણ દમયંતીને જોઈને વ્યાકુળ બની ગયે. જે પિતાના બાહુબળથી નર્મદા નદીને તરી જાય તે વ્યક્તિ પણ વર્ષાઋતુમાં નર્મદાને પાર કરી શકતી નથી. પિતાના ઈચ્છિત અર્થની પ્રાપ્તિને માટે સાવધાન, ગઈરાત્રે બનેલી ઘટનાને કારણે શરમથી અતિ મંદ એવી આ શું કઈ અભિનવ રૂપવાળી બીજી કઈ છે ? તેવી રીતે દેખાતી દમયંતીએ નલ રાજાના હૃદયમાં આશ્ચર્ય પ્રગટાવ્યું. અર્થાત રાત્રિને વિષે જોયેલ અને અત્યારે જોવાતી દમયંતી શું એક જ છે? તેવા પ્રકારનું આશ્ચર્ય નલને થયું. ગઈ રાત્રિએ દેને માટે દૂતકાર્ય કરનાર, અને પ્રાત:કાળે તે નલને વરવાને માટે સ્વયં જ આવવાથી, હમણા જ દમયંતી પિતાને વરશે એવી વિચારણાથી તે મનમાં અત્યંત શરમ બની ગયે. નલને જોઈને બીજા રાજાઓએ દમયંતીને વરવાની પોતાની આશા છોડી દીધી. નલે પણ પોતાના ચારરૂપ બનાવ્યા અને ત્રણ ભુવનને વિષે કોઈપણ વ્યક્તિ દમયંતીને વરવાને માટે દઢ નિશ્ચય કરી શકી નહીં. આ જગતમાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સુખભાગી હોતી નથી, દારિદ્રય પુરુષે ધનવાની ઈર્ષ્યા કરે છે, કારણ કે ધનવાનને શઠ પુરુષને નિરંતર ભય રહે છે. તે સમયે જગતને વિષે દમયંતી જેવી કે સ્ત્રી સ્ત્રી સમાજને વિષે નહતી અને તેણીને જોવાની ઇચ્છા સિવાય પુરુષોને બીજું કોઈ કાર્ય નહતું, શૃંગારરસ સિવાય બીજો કોઈ ભાવ નહતો અને કામદેવની સ્પર્ધા કરી શકે-કામવશ ન બને તે કઈ પણ વીર પુરુષ નહેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy