SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ના મ - -- શારદાદેવીની સ્તુતિ. [ ૯૯ ] સ્વયંવર જેવાની ઈચ્છાને લીધે આવેલા અને ઉત્કંક્તિ બનેલા દેએ શારદા દેવીની નીચે પ્રમાણે સ્તુતિ કરી કે હે દેવી ! જેમ સાગર પર વાદળાઓ વૃષ્ટિ કરે તે નિષ્ફળ છે તેમ વર્ણન કરવાની તમારી કુશળતાના અમે તમારી સમક્ષ શા વખાણ કરીએ? અર્થાત્ તમારા વખાણ તમારી પાસે કરવા નિરર્થક છે. વડવાનલનું શમન વિગેરે દેવોના હજારોગમે કાર્યો હંમેશાં તું કરે છે, તે હે સરસ્વતી દેવી ! આ પ્રસંગે તમે શેત્રાદિને પરિચય આપ. તમારે મૌન ધારણ કરવાને આ અવસર નથી. હે પરમેશ્વરી ! દેવે વર તરીકે છે, વધૂ તરીકે દમયંતી છે અને અમે તમારી પ્રાર્થના કરનારા છીએ તે દમયંતીને સહાય કરવાને માટે તમે મહેરબાની કરે ! ત્રણે ભુવનની જનતાથી વ્યાસ, સમગ્ર પંડિતેથી સુશોભિત આવા પ્રકારની સભા પૂર્વે થઈ નથી અને ભવિષ્યમાં થશે નહીં. આવી દિવ્ય સભામાં તમારા સિવાય બીજું કઈ બોલવાને સમર્થ નથી, કારણ કે સોનાના મંદિરમાં કાઇને (લાકડાને) ઘટ શેભતે નથી, તો હે શારદા ! લજજાને ત્યાગ કરીને, હંસના સકંધ પરથી જલ્દી નીચે ઊતરો, દેવની પ્રાર્થના સફળ કરો અને મૌનનો ત્યાગ કરો. ભય-વિહવળ બનેલ ભીમરાજાની ચિંતાને દૂર કરો અને હે ભગવતી ! દમયંતી પ્રત્યે પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે દેવોના કથનને સ્વીકારીને તેમજ “આ અવસર ઉચિત છે' એમ વિચારીને ભગવતી સરસ્વતી દેવી પૃથ્વીપીઠ પર ભીમરાજાની સભામાં આવી પહોંચ્યા, અને ભીમરાજાએ પણ, શાસ્ત્રોમાં વર્ણવાયેલા મનહર ઉત્કૃષ્ટ અંગવાળી, ગંગાના મજાની માફક વેત વસ્ત્રને ધારણ કરનારી, મોતીઓની અદભૂત માળાને ધારણ કરતી અને જાણે કપૂરની લતા(વેલ) હોય તેવી તે સરસ્વતી દેવીને પિતાની સમક્ષ નીહાળી. પિતાની દેહકાંતિથી ચંદ્રકલાની જેમ દશે દિશાઓને અચાનક પ્રકાશિત કરતી સરસ્વતી દેવીએ ઉતાવળે ઉઠેલા ભીમરાજાએ વિવેકપુરસ્પર આપેલા અર્થને પ્રાપ્ત કર્યું-ભીમરાજાએ શારદાદેવીની પૂજા કરી. થતાં ઉત્તમ શકુને અને વરાદિથી “આ કેઈ દેવી આવી પહોંચ્યા છે,” એમ વિચારતાં અને ચિંતાગ્રસ્ત ભીમરાજાએ, કવિસમૂહને કામધેનુ સમાન અને સન્માન અર્પનાર સરસ્વતી દેવીએ જણાવ્યું કે-“હે વંદભીના પિતા ! ચિંતાને ત્યાગ કર. મને તું તારા સ્વજન તરીકે જાણ તારી પુત્રીની સમક્ષ હું, આવેલા સમગ્ર વીરના કુળક્રમાદિનું વર્ણન કરીશ. બાદ ન જીતી શકાય તેવા દર્શને તિરસ્કાર કરનાર અને ભીમરાજાએ અર્પણ કરેલ સુવર્ણ છડીને સરસ્વતી દેવીએ સ્વીકારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy