SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જે. સર્ગ બીજો તેમ જણાતું હતું અને પૃથ્વી ચારે બાજુથી જાણે ઊંચી થઈ ગઈ હોય તેમ જણાતું હતું. મેઘાએ પૃથ્વીને સુગંધી જલથી જલ્દી સિંચન કર્યું, મલયાચલના પવને જલદી વીંઝણારૂપ બની ગયા અથાત્ મંદ-મંદ વાવા લાગ્યા અને દેવાંગનાઓએ વૃષ્ટિ કરેલ આદ્ર સિંદૂરના સમૂહને લીધે પ્રાત:કાળની સુંદર સંધ્યાને ભાસ થવા લાગ્યો. વૈમાનિક દેવો ઉપરાઉપરી ગોઠવાઈ જવાથી સમગ્ર આકાશપ્રદેશ રંધાઈ ગયા છે અને ઈદે પોતે જ આવીને મને અંધી લીધે છે, તે હવે આ વિષયમાં શું થશે ? એમ વિચારતે નલ રાજા હૃદયમાં અત્યંત ભયભીત બની ગયે. USUCUSUSUSLELSUS4546 USLES TUE, URBANESE URSESSIST MEET UUSUSULUCULULUCULUL תכתבתבתכתבתכתבתכתבתם [ભીમ રાજાની ચિંતા દેવોએ શારદાદેવીની કરેલી સ્તુતિ.] ge冬冬冬冬长长长的 $ ન સંભવી શકે તેવા તે સમુદાયને ( દેવ, દાનવ વિગેરેના) જોઈને ભીમરાજા E-~-~-~~ ~ વિસ્મયાન્વિત બનીને મનમાં વિચારવા લાગ્યા કે-મારા સ્વયંવર મહોત્સવ પ્રસંગે દેવ, દાનવ, મનુષ્ય અને સાપ પોતાની ઈચ્છાથી જ આવ્યા છે તેથી હું ધન્યવાદને પાત્ર છું. ખરેખર દરેક કન્યાઓને વિષે મારી પુત્રી દમયંતી ભાગ્યવતી છે કે જેને જોવાને માટે મનુષ્ય અને દે આવ્યા છે. ભાગ્યમે આ બધું મહત્સવને ઉચિત બન્યું છે, પરંતુ આવેલા રાજાઓના ગોત્રનો પરિચય કઈ રીતે કરવો? મારા રાજ્યમાં એવી કેઈપણ વ્યક્તિ નથી જે આ રાજવીઓના નામ, સ્થાન અને ત્રાદિનો પરિચય આપે. કદાચ મારી પુત્રી જેના કુળ અને શીલ (સદાચાર) જણાયા નથી તેવી વ્યક્તિને જે વરે તે મારા કુલને વિષે કલંક લાગશે અને બીજાઓને ઈર્ષ્યા થશે, તે હમણું મારી પુત્રીને અસહાય એવો હું શું કરું? ખરેખર આ વિષયમાં મારી વિડંબના-કદથના થશે. અથવા તો ચક્રેશ્વરી દેવી અને દમનક મુનિની પ્રસન્નતાથી જેની પ્રાપ્તિ થઈ છે, વળી જેના કપાળમાં અલોકિક તિલક છે, જેના જન્મસમયે દિવ્ય વાણી થઈ હતી, વળી જેના સ્વયંવર મહોત્સવ પ્રસંગે દેવોનું આવા પ્રકારનું આગમન થયું છે તેવી અતિ ભાગ્યવતી અને પવિત્ર જન્મવાળી દમયંતીના ભાગ્યથી ખેંચાઈ કઈ પણ વ્યક્તિ શું સાહાય નહીં કરે ? આ પ્રમાણે ભીમ રાજા ચિંતાગ્રસ્ત બન્યા ત્યારે દમયંતીના પ્રવેશ-સમયને જાણીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy