SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીના સ્વયંવરને વિષે આવેલા બ્રહ્માદિ દે. ચામરોવડે વીંઝાતે તે મંડપમાં આવી પહોંચે. નજરમાં નહી આવતી અને માત્ર સ્પર્શથી ગ્રહણ કરી શકાય તેવી કાયા(દેહ)ને ધારણ કરતા તેમજ પ્રકૃતિથી ચંચળ વાસુદેવ સ્વયંવર મંડપની ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યા. અત્યંત ઊત્રતપણાને લીધે દિશાભાગોને ભરી દેતા વૃદ્ધ પિતામહ-બ્રહ્યા તે સ્વયંવર મંડપને વિષે ન આવ્યા પરંતુ દૂરથી જ તેને જોવા લાગ્યાં. (બ્રહ્માને દેહ ઘણે ઊંચા તેથી મંડપમાં સમાઈ ન શકવાને કારણે દૂર જ ઊભા રહ્યા) પિતાની પત્ની લક્ષ્મીને ચપલા-અસ્થિર જાણીને, પિતાના ઘરમાં છિદ્ર પડવાના શંકાથી, વિષ્ણુ પિતાને પાતાલઆવાસ છોડીને ત્યાં ન આવ્યા. “પિતાના પદે નલ આવનાર છે” એમ જ્ઞાનબળથી જાણીને, દમયંતીને પિતાની પુત્રવધૂ માનતો કુબેર પણ તે સ્વયંવર મંડપને વિષે ન આવ્યું. વળી પિતાની પ્રિયા પાર્વતીથી રેકાયેલ શરીરના અધ ભાગને અંગે એક પગવાળા, શૃંગાર રસમાં અત્યંત પ્રીતિ હોવા છતાં પણ, શંકર તે સ્થળે આવી શકયા નહીં. ( શંકરનું અર્ધ નારી સ્વરૂપ છે, એટલે તેઓ જે આવે તે પોતે હાસ્યાસ્પદ બને તેવી શંકાથી, પિતાને આ વિષયમાં અત્યંત પ્રીતિ હોવા છતાં આવ્યા નહીં. ) લેકે પિતાને જોઈ ગભરાઈ ઉઠશે એવી આશંકાથી રાક્ષસે તે નયનમનહર સ્થાનને પહેરેગીરની માફક દૂર રહીને જ જેવા લાગ્યા. જંબદ્વીપ વિગેરે દ્વીપના અનાવૃત્તાદિ સ્વામીએ તેમજ નદી, સાગર અને પર્વતના અધિષ્ઠાયકો આવી પહોંચ્યા. અપ્સરાઓ અને સિદ્ધપુરુષ, નારદાદિ ઋષિઓ અને બુધ વિગેરે ગ્રહથી આકાશ છવાઈ ગયું. સર્વજ્ઞ તીર્થકર ભગવંતની દિવ્ય સભાની માફક તે વયંવરમંડપમાં ત્રણે લેક ક્રીડામાત્રમાં સમાઈ ગયા. (રાજવી વિગેરેના આગમનથી મૃત્યુલેક, દેવોના આગમનથી સ્વર્ગલોક અને નાગરાજે, યક્ષો અને રાક્ષસ વિગેરેના આગમનથી પાતાલ લેક-આ પ્રમાણે ત્રણ લેકના ગણની જાણવી.) જેમ મહાસાગર સમસ્ત નદીઓના જલસમૂહને પિતામાં સમાવે તેમ ભીમરાજાએ સમસ્ત વ્યક્તિઓના આગમનને સહન કરી લીધું પરંતુ તેઓ અંશ માત્ર પણ મૂંઝાયા નહીં. બીજા પ્રસંગોમાં પણ દેવેનું આહવાન કરાય છે તે પછી જ્યાં દેવ પિતે જ સ્વયંવર તરીકે આવ્યા હોય તેને માટે શું કહેવાનું હોય? તે વખતે ભૂમિપીઠ પર, દશે દિશાઓમાં તેમજ આકાશમંડપમાં જુદી જુદી ભાષાઓ દ્વારા બેલતા લોકોને એ અપૂર્વ પ્રકારનો કોલાહલ થયે કે જે બ્રહ્માંડરૂપી પાત્રને ફેડી નાખવાને સમર્થ હતો. ત્રણે ભુવનના લેકેના તેવા પ્રકારના સંગમથી, જાણે હાથથી પકડી શકાય તેટલું આકાશ નીચે આવી ગયું. દશે દિશાઓ જાણે એક-બીજાને મળી ગઈ હોય ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy