SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જે. સગે બીજે. પ્રકારના લાખો ગમે નાટકે થવા લાગ્યા. તે, સારથિઓ, બ્રાહ્મણ, પ્રતિહારીઓ અને વારાંગનાઓની કઈ પણ માણસ ગણત્રી કરી શકતું નહતું. આ સમયે સમસ્ત રાજાઓના અભિમાનને નષ્ટ કરનાર કૈચકર્ણ નામના રાક્ષસને હણનાર નલ રાજા સ્વયંવર મંડપમાં આવી પહોંચે. બાદ આગળ ચાલતા પ્રતીહારીએથી બનાવાયેલા મહામંચ ઉપર, જેમ શંકર કૈલાસ પર્વત પર ચઢે તેમ, નલ રાજા ચઢ્યા. જ્યારે નલ રાજા પોતાના સુવર્ણ સિંહાસન પર જઈને બેઠા ત્યારે બીજા રાજાઓ જાણે ભૂમિપ્રદેશ પર રહેલા હોય તેમ દેખાવા લાગ્યા. જ્યાં સુધી નલ રાજા નહતા. આવ્યા ત્યાં સુધી જ તે રાજાઓની કાંતિ જણાતી હતી, પરંતુ નવા રાજાના આગમન બાદ તે સર્વેની કાંતિ ક્ષીણ બની ગઈ. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ નલની શેભાનું અનુકરણ કરી શકાય નહીં, કારણ કે ટીંટેડે ગમે તેવી સ્પર્ધા કરવા છતાં કદી પણ હંસની ચાલ ચાલી શકતો નથી. તે સમયે, જેમ ચંદ્રકથી મોતીની માળા અને નક્ષત્રસમૂહથી ચંદ્ર શોભે તેવી રીતે ભૂપાલાને વિષે તિલક સમાન નલ રાજાથી તે સ્વયંવર મંડપ શોભી ઊઠ્યો. આ પ્રમાણે મનહર સ્વયંવર મંડપની શોભા થઈ રહી હતી ત્યારે ઈંદ્ર વિગેરે લોકપાલ ચિત્તમાં વિચારવા લાગ્યા કે-ખરેખર, આ દમયંતી નલ સિવાય દેવેને પણ ઈચ્છતી નથી, તે હવે આપણે શા માટે નલનું સ્વરૂપ ધારણ ન કરીએ? કદાચ નલના ભમથી દમયંતી આપણને વરે-આ પ્રમાણે વિચારણા કરીને તેઓએ નલનું રૂપ ધારણ કર્યું અને તેઓ સર્વ એકદમ નલ રાજાને વીંટળાઈને બેસી ગયા. તેમજ આશ્ચર્યાન્વિત બનેલા નલ રાજાને કષ્ટિગોચર થયા. આદર્શ (આરીસો-કાચ) વિના પ્રગટેલા અને પિતાના પ્રતિબિંબ સરખા તે ચારે દેથી નિલે શાખની જેમ પાંચ રૂપને ધારણ કર્યા. પાંચ પ્રકારના કલ્પવૃક્ષેથી, નંદનવનની કેડી(માર્ગ) શોભી ઊઠે તેમ નલની આકૃતિ ધારણ કરનાર તે દેવોથી રાજાની શ્રેણી શોભી ઊઠી. - ઇંદ્રાદિ દેને તે મંડપમાં આવેલા જાણીને કોસુકી બધા દે ત્યાં આવી પહોંચ્યા. વીંઝણાથી પ્રદ( પરસેવો ) રહિત બનેલા, કુતુહલને લીધે આંખ નહીં મીંચતા તેમજ છત્રથી જેમની માળા કરમાઈ નથી તેવા ભૂપાલે અને દેવે વચ્ચે કોઈપણ પ્રકારની ભિન્નતા રહી નહીં. (દેવને પ્રસ્વેદ હોય નહીં, નિર્નિમેષપણું હોય-તેઓના નેત્રો કરી મીંચાય નહીં તેમજ પુષ્પમાળા કદી કરમાય નહીં) અખંડ કાંતિવાળા યક્ષે, ગવષ્ટ ગંધર્વો, કિન્નરે અને કિંગુરુષે પણ શીવ્ર ત્યાં આવી પહોંચ્યા. વળી અશ્વતર અને કંબલ જાતિના સર્પો સાથે તક્ષક, કર્કોટક, શંખચૂડ વિગેરે મહાસર્પો પણ આવી પહોંચ્યા. સપને સ્વામી વાસુકી નાગરાજ પાતાલકન્યાઓથી (સણિએથી) ચારે બાજુ એક જાતનો સંવત્સર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy