SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીને હદય-સંતાપ. [ ૮૯ ] તેણી, ભયથી વ્યાકુળ બનીને ધીમું ધીમું રડવા લાગી. ડુસકા ભરવા લાગી. પડવા માત્રથી જ શીર્ણ વિશીર્ણ થઈ જતાં, પુષ્કળ કેસરના બારીક કણિયાવાળા, કદંબ પુછપસમૂહને હસી કાઢતા તેણીના અશ્રુબિંદુઓથી ભૂમિપીઠ શીધ્ર સુશોભિત બની ગયું. હે પિતા ! ક્રોધ પામેલા દેવોએ તમારી પુત્રીના સ્વયંવર માટે કરેલ મહત્સવને નિષ્ફળ બનાવ્યા છે. જેણીને પિતાનું જ સુખ નથી તેવી આશાહીન બનેલ પુત્રી, હે પિતાજી! તમને શું સુખ આપશે ? હે સ્વામી ! હે વીરસેન રાજાના પુત્ર નળ! હે વિવજનને પ્રીતિપાત્ર! આ લેકપાલથી તમે મારી રક્ષા શા માટે કરતા નથી? પૂર્વે તમારાથી આરાધન કરાયેલ તે દેવો તમારા મુખની શરમથી શું કાઈ નહીં જાય? અથાત્ તમને સ્વયંવર મંડપમાં જોયા પછી તે દેવો આગળ કેમ આવી શકશે આ વિવને વિષે તમારા માટે મારું મૃત્યુ થાય તે પણ વખાણવા લાયક છે. વળી તારી સાથે નરકમાં પણ રહેવું પડે તે પણ મને તે ઈષ્ટ છે. જે માણસ પહેલેથી જ આ પ્રકારે મારા હૃદયને સંતાપે છે તે પાછળથી સ્વર્ગ દ્વારા મને કયા પ્રકારનું સુખ આપી શકશે ? વળી જે સ્વર્ગમાં હમેશાં પૂર્વે કરેલા પુણ્યનો જ ભગવટો કરવાનો રહે છે અને ધર્મનો નવીન અંશ પણ જ્યાં મેળવી શકાતું નથી તેમજ ઉછૂખલ સ્વામી અને કઠોર હૃદયવાળા કરે છે, તેવા સમસ્ત સ્વર્ગલકને મારે તે નમસ્કાર જ હ ! અર્થાત્ તેવા પ્રકારના દેવકને હું ઇચ્છતી જ નથી. હે પિતા ! હે માતા ! હે સ્વજનો ! શરણ વિનાની હું કોનું શરણું સ્વીકારું? જ્યારે લોકપાલો કોપાયમાન થયા છે ત્યારે તમારા પૈકી કેણ સમર્થ છે કે જે મને મારા સ્વામી નલને મેળવી આપે? મારા આ પ્રાણે ચાલ્યા જાય છે, તે હે જિહુવા(જીભ)! હમણાં તું “નલ”ના નામરૂપી મંત્રને વારંવાર બોલ, કારણ કે તેણે મને એક પણ વખત જોઈ નથી તેથી મારા આ મૃત્યુસમયે મારું હૃદય સંતાપ પામે છે.” આ પ્રમાણે પિતાની સમક્ષ દમયંતીને ડુસકા ભરતી જેઈને વ્યાકુળ ચિત્તવાળો બનેલ નલ, પિતાની દેવદૂત પણાની ક્રિયાને ભૂલી જઈને, આશ્વાસન આપવા માટે શીવ્ર નીચે પ્રમાણે સુંદર વાણુ બોલ્યો-“હે પ્રિયા ! તું રડતી બંધ થા, અથજલનો પ્રવાહ તારા મુખને મલિન બનાવી રહ્યો છે. હે દેવી ! આ નલ, ખરેખર, તારા ચરણમાં આળોટે છે તે તું શા માટે દુઃખને ધારણ કરે છે! હે દેવી! તું મારા સિંહાસનના અધ ભાગને શોભાવ, હે સુંદર મુખવાળી! તું મારા ઉસંગન(ખેળાને) આશ્રય લે, અરે ! અરે !! ભૂ!! ભૂ!! આ મેં શું કહી નાખ્યું? ઉપર પ્રમાણે બેલેલા મારા વચનને તું માફ કર-ભૂલી જા, કારણ કે તારા માટે તો આ મારું વિશાળ વક્ષસ્થળ એ જ આસન બને.” આ પ્રમાણે દમયંતીને ઉદ્દેશીને કામોત્તેજક કેટલાએક વચન બોલતા નળે, ક્રોધ વશ બનવાથી ભગ્ન સમાધિવાળા ગીની માફક, ફરીથી પણ પિતાની જાતને દેવદૂત તરીકે જાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy