SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીના મક્કમ નિર્ણયથી નળની વિચારણા. [ ૮૭ ] દમયંતીનું અતિશય દુખવાળું, અભિમાન યુક્ત તેમજ શંકાવાળું વચન સાંભળીને નલ, ઇના કાર્યની ચિંતાવાળો હોવા છતાં પણ પોતાના મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા. મારા વિષે દમયંતીને ખરેખર કેઈ નૂતન જ અનુરાગ છે, વળી નવીન સદાચાર છે અને અપૂર્વ એ પ્રેમ છે તો હું ભીમરાજાની પુત્રીની પ્રતિષ્ઠાના શા શા વખાણ કરું? ભવાનરમાં પણ તેણી વિકૃતિ પામે તેવી નથી. આ પૃથ્વીપીઠ પર આ દમયંતી સિવાય એવી કઈ સ્ત્રી હોય, જેને વિષે દેવે પ્રીતિ કરે ? અર્થાત દમયંતીની જોડે હેડ કરી શકે તેવી એક પણ સ્ત્રી આ કાલે હૈયાતિ ધરાવતી નથી એટલે દેવોએ તેના પ્રત્યે અનુરક્તિ દર્શાવી તે જ છે. પોતાના નિર્માણ કરેલા સ્વામી પ્રત્યે અનુરાગવાળી કઈ સ્ત્રીએ, અનુરાગની યાચના કરતાં એવા ઇંદ્રાદિ દેવોની ગણના નથી કરી? અર્થાત એક માત્ર દમયંતી જ એવી છે કે જેણે લોકપાલની માગણીને તિરસ્કારી કાઢી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy