SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ર જો, સર્ગ ચૌદમે. એકી જ સમયે ઇંદ્રદ્વારા મસ્ત રાજાઓનું વધસ્થાન બનાવીશ ? અર્થાત્ ઇંદ્ર પલમાત્રમાં સમસ્ત રાજાઓને મારી નાંખવા સમર્થ છે. કુપિત થયેલ યમરાજ જો પ્રાણીઓના પ્રાણ હરી લેશે તેા શું તું ખેાપરીએની શાભાવાળા શંકરને હ પમાડીશ ? વરુણ દેવ જો મહાસાગરને છૂટા મૂકશે તેા ખરેખર જગત્ના પ્રલય થઇ જશે. આવા પ્રકારના તારા અનાદરથી લેાકપાલેાનાં પ્રગટેલ ક્રોધથી, તારા નિમિત્તે અકાલે પણુ, કલ્પાન્ત કાળ ઉપસ્થિત થશે. બુદ્ધિમાન પુરુષ ઉત્સર્ગ અને અપવાદ અને માર્ગને જાણવા જોઈએ. હું તત્ત્વને જાણવાવાલી ! તું રાજકન્યા હોવા છતાં આ પ્રકારે શા માટે મૂંઝાય છે ? 99 આ પ્રમાણે નલના અભિમાનવાળા વચન સાંભળીને મનસ્વી, શંકાવાળી અને દુ:ખી બનેલી દમયંતી ખેલી કે-“ હે દૂત ! તારા કાઇ પ્રકારના દોષ નથી. તે જે કહ્યું તે સર્વ સત્ય છે. હું દેવાના પ્રતાપને જાણતી નથી તેમ નથી, અર્થાત્ દેવાની શક્તિ હું ખરાખર સમજું છું. હાથથી કેણુ સૂર્યને સ્પશી શકે ? કઇ વ્યક્તિ બે હાથથી સાગરને તરી જાય ? અને પગથી કાણુ મેરુ પર્વતનું ઉલ્લંઘન કરી શકે ? અને યુદ્ધને વિષે દેવાને કાણુ જીતી શકે ? દેવા જે કંઇ ઇચ્છે છે તે સર્વ સાધી શકે છે-મેળવી શકે છે. આ જગતમાં તેજસ્વી તે દૈવાના કોઇપણ પ્રતિસ્પર્ધી થઇ શકતા નથી. માત્ર ધ, લાભ કે સુખને માટે નહીં પરન્તુ તે નલરાજાને વિષે જ મારું મન રક્ત બન્યુ છે. આ વિશ્વને વિષે, ઘણું કરીને નિષ્કારણ પ્રેમ પ્રગટે છે. દિવસના સ્વામી સૂર્યને વિષે કમલિનીની પ્રીતિ શા માટે થાય છે ? મયૂર વિષથી પ્રસન્ન થાય છે જયારે ચકાર તેનાથી રુદન કરે છે, શંકરને ધતુરો પ્રિય છે, જ્યારે કેડા દ્વેષનું કારણ છે, ચંદ્રને અંગારાને વિષે અને સૂર્યને લીંબડાને વિષે પ્રીતિ થાય છે-આ પ્રમાણે કાઇને કોઇ વસ્તુ પ્રત્યે અપ્રીતિ થાય છે, જ્યારે કોઇને કાઇ પસંદ પડે છે. વિશ્ર્વ પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે અને પેાતાની મેળે જ વિનાશ પામે છે, આકાશ સમુ... વિશાળ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને વાદળાએ તથા જગત નાશ પામે છે. હું દેવાના પ્રભાવ જાણું છું અને મારા પ્રભાવને પણ સમજી શકું છું, તે પણ મારું' મન નલથી કાઇપણ પ્રકારે પાછું ફરતુ નથી. નલ કાઈ પણ પ્રકારના માનવી હાય, ગુણુથી પરિપૂર્ણ હાય અથવા નિર્ગુણી હાય તાપણુ, જેમ ચદ્ર આકાશ પ્રત્યે પ્રેમી બને છે તેમ મારું મન વીરસેન રાજાના પુત્ર નલ સિવાય અન્યત્ર આનંદ પામતું નથી. હવે વધારે કહેવાથી શું? મારે છેલ્લે નિષ્ણુંય તું સાંભળી લે. જો નલરાજા મારા સ્વામી ન બને તે હું પાણી, ઝેર, અગ્નિ કે ગળાફાંસા ઇત્યાદિ દ્વારા મારા પ્રાણાના ત્યાગ કરીશ-આત્મઘાત કરીશ. દેવાના રાષને લીધે મારું' શરીર નાશ પામ્યે છતે તેમજ મારા મનેારથેાની સાથેાસાથ મારા અવ નષ્ટ થયે છતે જગતના પ્રાણીઓ ભલે સુખી બનેા, કારણ કે સજ્જન પુરુષાના હૃદયને સંતાપ કરનારા મારા વિતથી શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy