SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ચાદમો. = = = ==ા - - - - [નલે કરેલ પુન: સમજાવટઃ દમયંતીને મક્કમ નિરધાર.] - = { આવી રીતે દમયંતીવડે પ્રાર્થના કરવા છતાં પણ સાહસપ્રિય અને દેવેનું કાર્ય -----Äકરવાને ચાહતા નલે ફરીથી પણ કહેવાનું શરૂ કર્યું કે-“જગતને વિષે ખરેખર આશ્ચર્ય છે કે–પાણું અને દૂધનું પૃથક્કરણ કરવામાં ચતુર હંસી શેવાળ અને કમળના અંતરને ( તફાવત ) જાણી શકતી નથી. હે કમળ જેવા નેત્રવાળી ! માટીનું કું અને મણિ, પ્રકાશ અને અંધકાર, એ બંનેમાં જેટલું આંતરું છે તેટલું જ દેવો અને મનુષ્યો વચ્ચે આંતરું છે. મનવાંછિત આપનારા દેવે કયાં અને કષ્ટ આપનારા મનુષ્યો ક્યાં ? વળી એકનું દિવ્ય શરીર ક્યાં અને બીજાનું *ધાતુમય શરીર કયાં? ઇદ્ર પ્રત્યેના પ્રેમને અનાદર કરતી અને નલને ચાહતી તે, શેરડી તરફ દ્વેષ ધરનાર અને ખીજડીના પાન ખાનાર ઊંટને જીતી લીધું છે, અર્થાત તારામાં અને ઊંટમાં કંઈ તફાવત જણાતું નથી. આશ્ચર્ય ની વાત છે કે–મનુષ્ય, ચર્મ ચક્ષુવાળે, અ૮૫ જીવિતવાળો તેમજ કોઈ એક દેશનો રાજા નલ તે કોણ માત્ર છે ? સમસ્ત લેકેને વિષે સ્વર્ગ ઉત્તમ છે, સ્વર્ગવાસીઓમાં શ્રેષ્ઠ દે છે, અને તે દેવને વિષે પણ મહેન્દ્ર ઉત્તમ છે. પ્રયત્ન કરવા છતાં પણ કઈક વખત પ્રમાદ થઈ જાય છે, કેમકે કાદવથી પોતાના બંને ચરણોની રક્ષા કરતા પ્રાણી કોઈક વખત મસ્તકને કાદવથી ખરડે છે-લેપે છે. પૂર્વે પણ દેવ અને મનુષ્યનો સંગમ થયા હતા, કારણ કે શાસ્ત્રમાં ભરતાદિકને ગંગા આદિ દેવીઓ સાથે સંગમ સંભળાય છે. હે સુંદર સ્ત્રી ! જ્યારે ઇંદ્ર અને વરુણ વિગેરે દેવો ક્રોધે ભરાશે ત્યારે તને વરવાની શક્તિ નલમાં રહેશે? કન્યા અને વરના મેળાપમાં જે કદાચ યમરાજ તે પૈકી કોઈ એકને મૃત્યુ પમાડે તો પછી આ સ્વયંવર મહોત્સવ જ ક્યાંથી થશે ? કન્યાદાનના અવસરે જે વરુણ પાણીને જ છુટું ન મૂકે-પાણી જ ન પડવા દે તો તે સમયે, હસ્તને લાંબો કરેલ નલ શું તને પ્રાપ્ત કરી શકે ? નલ પ્રત્યેના રોષને લીધે જે વેદિકાને વિષે અગ્નિ પ્રકાશિત ન થાય તે અગ્નિની સાક્ષી વિનાનો કરાયેલ તે વિવાહોત્સવ માત્ર જલની સાક્ષીવાળે બનશે. જોકપાલ કોઈ પણ ઉપાયવડે વિન્ન કરવાને સમર્થ છે, તે હવે તેઓ પિતે જ સાક્ષાત રુષ્ટ બને તો તારા માટે કંઈપણુ શરણભૂત નથી. શું તારા સ્વયંવર-મંડપને * મનુષ્યનું સાત ધાતુવાળું શરીર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy