SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સંગ તેરમે. ચાલી શકે ? દેવ અને મનુષ્ય એવા બે સ્વામી શું ઉચિત છે? સ્વેચ્છાચાર અને કુલીનતા એ બંને અસંગત છે. એકી સાથે બંને હોઈ શકે નહીં. યુવાન પુરુષની કીર્તિના સ્તંભરૂપ અને કમળ સરખા મુખવાળા નલરાજા સિવાય મારા હૃદયરૂપી હસ્તીએ, અન્ય કોઈ પણ પુરુષને પતિ તરીકે સ્વીકારવામાં મારા જન્મથી જ મારું ચિત્ત લાગ્યું હોય તે આ વિષયમાં સૂર્ય ભગવંત સાક્ષીરૂપ બને અર્થાત મેં નલરાજા સિવાય અન્ય કોઈપણની વાંછા જ કરી નથી. શ્રી જિનેવર ભગવંતે સભાવવાળા પ્રાણીઓ માટે આ પૃથ્વીપીઠ પર ચિંતામણિરત્ન કરતાં પણ શ્રેષ્ઠ મનહર ચારિત્રરૂપી રન આપેલ છે. કામદેવના વશવતી. પણાથી જે લોકોએ તે ચારિત્રરત્નનો ત્યાગ કર્યો છે તેઓએ પિતાના વંશમાં, પ્રચંડ ક્રોધાનલથી પ્રગટાવાયેલ કામરૂપી રાખ નાખી છે અર્થાત્ પિતાનું કુલ કલંકિત બનાવ્યું છે. લેશ માત્ર ચંચલતાથી શીલ( સદાચાર ) નાશ પામે છે. હાથમાંથી પડી ગયેલું કાચનું પાત્ર તૂટી જાય છે તેમ સનેહાળ પત્નીના શ્વાસોશ્વાસ સરખા વીંઝણના પવનથી કમળની ડાંડલીને તાંતણે શું તૂટી જતો નથી ? માતા, ગૃહ, સખીઓ, પિતા, કુલ અને ભાઈઓ આ સર્વ હોવા છતાં મેં મારું મન, શરીર, જન્મ અને જીવિત-સવળી નલને જ અર્પણ કરેલ છે. તે સર્વ મારું નથી તેમજ તેના સિવાય અન્ય કોઈને પણ આપ્યું નથી. દેવી દેવને, સાપણ સપને, રાક્ષસી અસુરને, વેલ વૃક્ષને, હરણું મૃગને અને માનુષી પુરુષને-આ પ્રમાણે સ્ત્રી જાતિ પિતાને અનુરૂપ સ્વામીને વરે છે. આટલું હું જાણું છું પરંતુ આ મૂળ માર્ગ સિવાય અન્ય કોઈ માર્ગ હું જાણતી નથી. આ લોકમાં સુખ છે વા દુ:ખ હે, નિંદા થાઓ અગર કીતિ મળે, નરકમાં ગતિ થાય અગર તે સ્વર્ગલેકનાં સુખ મળે, મૃત્યુ થાઓ અગર તો જીવિત મળે–આ પ્રકારનું ગમે તે થાઓ, છતાં પણ કુલીન સ્ત્રીઓ મૂળ માર્ગનો ત્યાગ કરતી નથી. મને મારા કુલનું અભિમાન નથી તેમ મારે કઈ પ્રત્યે રોષ નથી, કોઈ પ્રત્યે મને ઈર્ષ્યા નથી તેમ કોઈપણ વસ્તુની મને તૃષ્ણા નથી. તે લોકપાલની દાસી તુલ્ય હું બીજું તે શું કરું ? પરંતુ નવા સિવાય બીજા કોઈને પણ હું પતિ તરીકે સ્વીકારી શકતી નથી. મારા હદયમાં બિરાજેલ ચક્રવતી નલ એ જ મારે મન ઇંદ્ર, યમ, વરુણ, અગ્નિ, સૂર્ય અને ચંદ્ર છે. આ લોકમાં સર્વ સ્થળે પાંચમા લોકપાલ સરખા તેને જ હું વરીશ તો દેવો પ્રત્યે મારો કઈ જાતને ગુહે ગણી શકાય? વધારે કહેવાથી શું? આવતીકાલે પ્રાત:કાળે મારા તે પ્રાણાધારને સ્વયંવરમાલા આરોપીને વરવાનો મારો નિર્ણય છે તો હવે તમારે મને લોકપાલને સંદેશ સંભળાવે નહીં. મારા પર દયા કરે, ગુસ્સાનો ત્યાગ કરે, મારા પ્રત્યે મહેરબાની કરો, હું બે હાથ જોડીને તમને પ્રણામ કરું છું. હંસે પિતાના નખ અને મુખવડે કોતરેલ આકૃતિવાળે તે મારે હૃદયેવર નલરાજા, તારા સરખે જ મેં પૂર્વે જે હતો. પ્રાત:કાળે તારી સમક્ષ મારા સ્વામીને જોઈને, મણિદર્પણ( કાચ) વિના પણ તારા મુખરૂપી કમલની કાંતિને પ્રકાશ ભલે થાઓ ! અર્થાત તારું મુખ તેજસ્વી બનશે.” આ પ્રમાણે નવીન કમલનાલના છિદ્વારા વહેતા સરોવરના પ્રાણને જેમ હંસ પીએ તેમ કેશિનીના મુખથી નીકળેલ દમયંતીના સવચનરૂપી અમૃતનું નલરાજાએ પાન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy