SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ : અશનિષ વિગેરેને પૂર્વભવ. [ ર૭ ] તથા સર્વ સૈન્ય સહિત ભેરીના ભાંકાર શબ્દવડે દિશાઓને પૂર્ણ કરતે ત્યાં સીમગિરિ ઉપર બળભદ્ર મુનિને નમવા ગયે. જિનાલયમાં જઈને, પહેલા જિનેશ્વરને નમીને તથા સ્તુતિ કરીને તે બને રાજા બળદેવ ષિની પાસે ગયા. પછી તરત જ દેવીને લઈને મારીચિ ત્યાં ગયો, અને અખંડ ચારિત્રવાળી તેને શ્રીવિજય રાજાને સોંપી. પછી અશનિઘે ઊભા થઈને તે બને રાજાને ખમાવ્યા અને તે બન્નેએ તેનું સન્માન કર્યું. તે ત્રણે મત્સર (ઈર્ષા) રહિત થયા. આ અવસરે કેવળીએ ભવ્યજનોનાં કર્ણને દેશના રૂપી અમૃતવડે ભરપૂર કરનારી ધર્મદેશના પ્રારંભી, તે આ પ્રમાણે “રાગ દ્વેષને વશ થયેલા દુષ્ટ અંત:કરણવાળા પ્રાણીઓ અનર્થની પરંપરા કરીને (કરવાવડે) જન્મને નિરર્થક કરે છે. જે બેવડે બંધનને પામેલા પ્રાણીઓ મેક્ષ પામવાને શક્તિમાન નથી, તે આ રાગદ્વેષરૂપી શત્રુને હે મનુષ્ય! તમે ત્યાગ કરો.” તે દેશનાને સમ્યફપ્રકારે સાંભળીને માણસોના સમૂહે પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે દીક્ષા ગ્રહણ કરી અને બીજાએ શ્રાવકપણું અંગીકાર કર્યું. પછી અશનિઘુષ રાજાએ તે કેવળીને પૂછયું કે-“હે પ્રભુ! મેં આ સુતારાને રાગના અધિકપણ વિના પણ હરણ કરીને મારે ઘેર કેમ આ?” કેવળી બોલ્યા કે-“પૂર્વભવે રત્નપુર નામના નગરમાં આ અમિતતેજને જીવ શ્રીષણ નામનો રાજા હતે.” ઈત્યાદિ તે સર્વ ભવ કહીને તે કેવળી ફરીથી બોલ્યા કે-“તે વખતે તે કપિલ હતો અને સત્યભામાં તારી પ્રિયા હતી. તે સત્યભામાં આ સુતારા થઈ છે. અને તે કપિલ ભવમાં ભમીને, તપસ્વીના કુળમાં મનુષ્યપણું પામીને ત્યાં બાળ(અજ્ઞાન )તપ કરીને પછી મરીને આ તું થયા છે. તેથી તે પૂર્વભવના સંબંધથી હે રાજા ! રાગ વિના પણ આને હરણ કરી છે. પૂર્વભવમાં પણ આ તારા ઉપર નેહ, રહિત હતી, તેથી તું પણ આના ઉપર મંદ અનુરાગ(નેહ)વાળ વતે છે.” આ પ્રમાણે પોતપોતાના પૂર્વ સાંભળીને અમિતતેજ વિગેરે રાજા હર્ષિત થઈને બોલ્યા કે-“અહા ! જ્ઞાનને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી વિદ્યાધરના સ્વામી અમિતતેજે કેવળીને પૂછયું કે-“હે પ્રભુ! હું ભવ્ય છું કે અભવ્ય છું? તે કહો.” કેવળી બોલ્યા-“હે રાજા! આ ભાવથી નવમે ભવે તું આ ભરતક્ષેત્રમાં પાંચમો સાર્વભૌમ (ચક્રવત) રાજા થઈશ, તથા સોળમો જિનેશ્વર થઈશ. તથા આ શ્રીવિજય રાજા તારો જ પુત્ર થઈને તારે જ પહેલો ગણધર થશે.ત્યારપછી તે કેવળી મુનિને પૂછીને તથા સાંભળીને તે બન્ને રાજાએ સમ્યકત્વમૂળ સુશ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને વૈરાગ્યની બુદ્ધિવાળા અશનિઘેષ રાજાએ પોતાના રાજ્ય ઉપર પિતાના પુત્રને સ્થાપન કરીને તે કેવળીની પાસે દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજય રાજાની માતા તે સ્વયંપ્રભા દેવીએ ઘણું સ્ત્રીઓ સહિત તેના ચરણની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી કેવળીને નમીને પિતાના પરિવાર સહિત શ્રીવિજય અને અમિતતેજ પિતપતાને સ્થાને ગયા. તે બન્ને રાજા દેવપૂજા, ગુરુની ઉપાસના (સેવા) અને તપ વિગેરે કર્મવડે શ્રાવકપણાને શોભાવતા કાળને નિર્ગમન કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy