________________
[ ર૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ખડ્ઝને–દીવાને વિષે શલભપણને (કુદડાપણાને) પામશે.” આ પ્રમાણે કહીને તે રાજાએ તેને કંઠ પકડીને તેને કાઢી મૂક્યું ત્યારે તે દૂત પિતાને સ્થાને ગયે અને તે વૃત્તાંત તેને કહ્યો. પછી અમિતતેજ રાજાએ શ્રીવિજય રાજાને શસ્ત્રનિવારિણી અને બંધમોચનિકા નામની વિદ્યા આપી. તેણે એક એક વિદ્યા સાત દિવસવડે જુદી જુદી સાધી. પછી સિદ્ધવિદ્યાવાળો તે શત્રુને જીતવા માટે ચાલે. તે વખતે અમિતતેજના પુત્રો મોટા બળવાળા રશ્મિવેગ વિગેરે સે સંખ્યાવાળા કુમાર શ્રીવિજય રાજાની પાછળ (સાથે) ચાલ્યા. તથા વિદ્યા અને ભુજાના બળવડે શ્રેષ્ઠ બીજા ઘણું સુભટોની સાથે શ્રી વિજય રાજા અશનિઘોષના પુરની સમીપે પ્રાપ્ત થયો. તે વખતે અકેકીર્તિને પુત્ર અમિતતેજ રાજા પોતે પરની વિદ્યાને છેદ કરનારી મહાજવાલા નામની વિદ્યા સાધવા માટે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં સહસરશ્મિ નામના મોટા પુત્રવડે પરિવરેલો(સહિત) તે રાજા માસિક ભક્ત વડે વિદ્યા સાધવા લાગે. હવે આ તરફ શ્રીવિજય રાજાને સેન્ય સહિત આવતા સાંભળીને અશનિષ રાજાએ સૈન્ય અને વાહન સહિત પિતાના પુત્રને મોકલ્યા. પછી પિતાપિતાના સ્વામીના જ્યને ઈચ્છનારા અને વિદ્યાના બળવાળા તે બને સૈન્યનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. વિદ્યાથી ઉત્પન્ન થયેલી માયાવડે કોડુક સહિત યુદ્ધ કરતું તે બનેમાંનું એક પણ સન્ય હાર્યું નહીં. એક મહિના સુધી યુદ્ધ કરીને અમિતતેજના કમાએ અશનિઘોષના પ્રૌઢ ( બળવાન ) પુત્રોને પણ પરાજય કર્યો. ત્યારપછી અશનિષ રાજા પોતે રણમાં યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે તે બળવાન હોવાથી અમિતતેજના પુત્રો ભગ્ન થયા ( પરાજય પામ્યા છે. ત્યારે શ્રી વિજય રાજા પોતે રણ સંગ્રામને પ્રાપ્ત થયે; કેમકે હાથીઓની સાથે બીજા પ્રાણીઓ શેરડી ખાવાને શક્તિમાન થતા નથી. પછી ક્રોધ પામેલા તે શ્રીવિજય રાજાએ ખડુંગવડે તે શત્રુને હણીને તેના બે કકડા કર્યા ત્યારે બે અશનિષ થયા. તેના પણ બે ભાગ (કકડા) કર્યા, ત્યારે ચાર અશનિષ થયા. આ પ્રમાણે ખંડન (કકડા) કરાતો તે માયાવડે સો પ્રકારે થયો. પછી જેટલામાં શ્રી વિજય રાજા તેને વધ કરવામાં ખેરવાળો થયો, તેટલામાં ત્યાં સિદ્ધ વિદ્યાવાળો અમિતતેજ તૈયાર થયો. તેના ભયથી માયાનો ત્યાગ કરીને નાશી જતા તેને જોઈને અમિતતેજ રાજાએ સિદ્વમુખા નામની વિદ્યાને આ પ્રમાણે આદેશ કર્યો કે-“તારે આ પાપીને દૂરથી પણ અહીં પ્રગટ રીતે લાવ.” ત્યારે તે વિદ્યા તેની પાછળ લાગી અને તે રાજા સીમ નામના પર્વત ઉપર ગયો. ત્યાં શ્રી વૃષભસ્વામી જિનેશ્વરના મંદિરની પાસે રહેલા, ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા અને સુર અસુરોએ વંદન કરાતા બળદેવ ષિને જોઈને તે રાજાએ તેને શરણને આશ્રય કર્યો. ત્યારે દેવતાએ (વિદ્યાએ) પણ પાછી વળીને તેવા પ્રકારને વૃત્તાંત અમિતતેજને કહ્યો. ત્યારે “તું સુતારા દેવીને લઈને મારી પાસે આવજે.” એમ મારીચિ દૂતને આદેશ કરીને તે અમિતતેજ શ્રીવિજય સહિત
૧. શસ્ત્રનું નિવારણ કરનાર. ૨, બંધન થી મુક્ત કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org