________________
બીજો પ્રસ્તાવ અશનિદેષ પ્રત્યે મોકલેલ દૂત.
[ ૨૫ ]
એકદમ પાછો આવ્યે, અને વિષની વેદનાથી પીડા પામેલી અને વિલાપ કરતી તેણીને જોઈ ત્યારે તરત જ મંત્ર, તંત્ર વિગેરે ક્રિયા આરંભી, તે પણ ઉખર ક્ષેત્રમાં વાવેલા. બીજની જેમ નિષ્ફળ થઈ. એક ક્ષણ વારમાં પ્લાન (કરમાયેલા-શ્યામ) મુખવાળી અને મીંચાયેલા નેત્રવાળી થઈને તે દેવી રાજાના દેખતાં જ જીવિત રહિત થઈ. ત્યારે રાજા મૂચ્છ પામ્ય અને પૃથ્વી ઉપર પડ્યો. પછી કોઈ પણ પ્રકારે સંજ્ઞા પામીને તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યું, કે-“હા (અરેરે) ! દેવાંગનાની જેવા આકારવાળી ! મહાઉદાર ! વિવેકવાળી! હા! ગુણના આધારભૂત ! હા! હા! સુતારા ! તું કયાં રહે છે?” આ પ્રમાણે ઘણ રીતે વિલાપ કરીને રાજા મરવા તૈયાર થયે અને આ વૃત્તાંત પદાતિઓએ (સીપાઈઓએ) રાજલકને જણાવ્યું. તે સાંભળીને રાજાની માતા સ્વયંપ્રભા અને વિજય નામને ભાઈ તે બને એટલામાં અત્યંત દુઃખી થયા, તેટલામાં આકાશમાર્ગ વડે એક પુરુષ ત્યાં આવીને બોલ્યો કે-“હે દેવી! ખેદવડે સર્યું. તે સ્વયંપ્રભા ! વાત સાંભળો. રથનૂપુરના અમિતતેજ રાજાએ પૂજેલા સંમિત્રોત નામના મારા પિતા શ્રેષ્ઠ નૈમિત્તિક છે. તેને પુત્ર હું દીપશિખ નામનો છું. એક દિવસ જ્યોતિર્વન તરફ કીડા કરવા માટે અમે પૃથ્વી ઉપર ચાલ્યા, તેટલામાં આગળ ચમરચંચાના ઈશ અશનિઘોષ રાજાવડે હરણ કરાતી રક્ષણ રહિત તે સુતારા નામની રાજાની પ્રિયાને જોઈ. અને આ પ્રમાણે બેલ્યા કે-“હે દુષ્ટ ! હે ધૃષ્ટ ! હે દુષ્ટાવાળા ! હે પાપી ! અમારા સ્વામીની બહેનનું હરણ કરીને તું કયા જઈશ?ત્યારે તેણીએ અમને કહ્યું કે-“આ બાબતમાં તમારે પ્રયાસ વડે સર્યું. અહીંથી જઈને તાલિનીએ મોહ પમાડેલા રાજાને તમે બેધ પમાડે. સુતારાના રૂપને ધારણ કરનારી તે તાલિનીની સાથે તે રાજા મરવાની ઈચ્છાવાળા થયા છે.” ત્યારે અમે રાજાને બંધ કર્યો, અને તે દુષ્ટ તાલિની નાશી ગઈ. દેવીનો વૃત્તાંત જાણીને તે રાજા તેની પ્રાપ્તિ માટે ઉદ્યમી થયા છે. અને તેની આજ્ઞાથી હું તમને તે વૃત્તાંત કહેવા આવે . પછી સ્વયંપ્રભા દેવીએ સત્કાર કરે તે ફરીથી રાજા પાસે ગયે. રાજાને પણ તે બને પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં અમિતતેજ રાજાએ તેને આદર કરીને તેને પૂછ્યું, ત્યારે તે શ્રીવિજય રાજાએ પોતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અશનિષની ઉપર ક્રોધ પામેલા તેણે તરત જ મારીચિ નામના દૂતને શિખામણ આપીને વિદાય કર્યો. તે દૂતે ચમરચંચામાં જઈને તેને કહ્યું કે-“તેં અજ્ઞાનથી મારા સ્વામીની બહેન અને શ્રી વિજય રાજાની રાણું સુતારા નામની શ્રેષ્ઠ સતીને આણી છે. તેણીને હમણાં શીધ્રપણે મને આપ. તું પોતાના અનર્થને ન કર. ” ત્યારે ગર્વ સહિત ઊંચી કંધરાવાળે અશનિઘોષ પણ બે કે-“હે દૂત ! શું પાછી આપવાને માટે મેં તેને અહીં આવ્યું છે ? મન્મત્ત અને પિતાના આત્માને નહીં જાણનાર જે કંઈ પણ આને હરણ કરવાને ઈચ્છે છે, તે આ દેદીપ્યમાન મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org