SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ યુક્તિથી ઉપદ્રવનું નિરાકરણ. [ ૨૩ ] તે સાંભળીને જાણે વજથી હણાઈ હોય તેમ તે સભા અતિ દુઃખી થઈ. અને અત્યંત કેપમાં તત્પર થયેલા રાજપુત્રે તેને કહ્યું કે –“અરે ! જે પતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળી પડશે, તો હે દુષ્ટ બુદ્ધિવાળા ! તારા મસ્તક ઉપર શું પડશે?” નૈમિત્તિક બા કે– “હે કુમાર! તું મારા ઉપર કેપ કેમ કરે છે? જે આ સમ્યગુ જ્ઞાનને વિષે જોયું છે, તે કદાપિ અન્યથા નહીં થાય. મારા ઉપર તે વસ્ત્ર, આભરણ અને રત્નની વૃષ્ટિ થશે.” પછી રાજાએ તેને કહ્યું કે –“આ નિમિત્ત તું ક્યાંથી શીખે છે?” તે બે કે–“બળદેવની દીક્ષાના સમયે મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી, અને કેટલાક કાળ પાળી હતી. તે વખતે હું આ શાસ્ત્ર શીખે હતા, તેથી કરીને હું જાણું છું કેમકે સર્વજ્ઞના શાસન વિના સમ્યગ જ્ઞાન થતું નથી. પછીથી હે રાજા ! વિષયમાં આસકત થયે તેથી ફરીથી ગૃહી થયો, અને સ્ત્રીને પરિગ્રહ કર્યો. તેથી ધનની આશાએ અહીં આવ્યો છું.” પછી તે નિમિત્ત સત્ય જાણુને તે વખતે સર્વ રાજલક પિતાના સ્વામીના રક્ષણની ચિતાવડે વ્યાકુળ થયે. તેમાં એક મંત્રી બે કે “સ્વામીને સાત દિવસ સુધી વહાણમાં ચડાવીને અતિયત્નથી સમુદ્રની અંદર રાખીએ.” બીજે બોલ્યો કે–“જે કે પાણીમાં વિજળી ક્રાયમાન ન થાય, તો પણ વહાણમાં પડતી તેને કેણ નિવારી શકે? તેથી વૈતાઢ્ય પર્વતના અતિ ગુપ્ત ગુફાગ્રહને વિષે રાખીને વીજળીને પાતના ભયથી સ્વામીનું રક્ષણ કરીએ.” ત્યારે ત્રીજે મંત્રી પણ બોલ્યા કે—“આ ઉપાય પણ શુભને વહન કરનાર નથી, પરંતુ ઉલટ કષ્ટને હેતુ થાય. અહીં તમે દાંત સાંભળો. વિજયપુરને વિષે રૂકમ નામે બ્રાહ્મણ હતું. તેને જવલનશખા નામની ભાર્યા હતા. તેમને શિખી નામનો પુત્ર હતું. તે નગરમાં કોઈક રાક્ષસ માંસમાં લુબ્ધ થવાથી હંમેશાં ઘણું માણસોને મારતો હતો, તેથી તે નગરના રાજાએ-“તને હંમેશાં એક એક મનુષ્ય આપીશ, તેથી તું આ રીતે ઘણા માણસને ન માર.” એ પ્રમાણે તેની સાથે વ્યવસ્થા કરી. પછી નગરના સર્વ જનના નામ અંદર રાખીને ગેળા બનાવ્યા. તેની મધ્યેથી હંમેશાં એક એક ગેળાને લઈને તેમાં લખેલા નામને જોવે છે. જે દિવસે તેમાં નીકળેલું જેનું નામ દેખાય, તેને તે દિવસે બાકીના જનની રક્ષા કરવાની ઈચ્છાથી તે રાક્ષસને અપાય છે. પછી કઈક દિવસે તે બ્રાહ્મણના પુત્રનું નામ નીકળ્યું. તે સાંભળીને અતિદુઃખી થયેલ તેની માતા આકંદ (શાક) કરવા લાગી, તેને આઠંદ સાંભળીને ત્યાં પાસેના ઘરમાં રહેલા ભૂતેએ દયા સહિત થઈને તેને કહ્યું કે –“હે માતા! તું ખેદ ન કર. જ્યારે તારો પુત્ર રાક્ષસને આપેલ થશે, ત્યારે તેનું હરણ કરીને તારી પાસે અમે અવશ્ય લાવશું.” એમ કહેવાથી તે હર્ષ પામી. પછી રાજાએ તેને તે પુત્ર રાક્ષસને આપે. તેની પાસેથી તે ભૂતોએ પણ તેને લઈ લીધે અને તેની માતાને આપે. તેના મૃત્યુથી ભય પામેલી તેણીએ તેને પર્વતની ગુફાની મળે નાંખીને તે ગુફા બંધ કરી. ત્યાં પણ રાત્રિને વિષે તેમાં રહેલ અજગર તેને ગળી ગયે, માટે પ્રાણીઓનું કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy