SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. શિબિકા ઉપર બેઠેલી, બે ચામરોવડે વીંઝાતી અને જાણે પૃથ્વી ઉપર આવેલી દેવીઓ હાય તેવી સુંદર તે તિપ્રભા અને સુતારા નામની બે કન્યા ત્યાં આવી. શિબિકામાંથી ઉતરીને સ્વયંવર સભામાં આવેલી તે બન્નેને જાણે કે પૂર્વે કઈ પણ સ્ત્રીને જોઈ નથી એવા રાજાઓ જેવા લાગ્યા. તિપ્રભાએ સર્વ રાજાઓને જોઈને અમિતતેજના કંઠમાં વરમાળા નાંખી, અને બીજીએ શ્રીવિજયના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે ચિત્તમાં હર્ષ પામેલા રાજાઓ, ભૂચરો અને ખેચરે પણ “અહો ! સારું વર્યું સારું કર્યું.” એમ ઊંચે સ્વરે બોલ્યા. પછી ત્રિપૃષ્ઠ અને અર્ક કીતિએ તે સર્વે રાજાઓને સત્કાર કરીને અને વિદાય કરીને પ્રીતિથી પિતાપિતાની કન્યાને વિવાહ કરાવ્યું. પછી અકીતિ પિતાની પુત્રવધુ નેતિપ્રજાને લઈને તથા સુતારાને ત્યાં મૂકીને પુત્ર સહિત પિતાના નગરમાં આવ્યું. પછી કઈક દિવસ વિરક્ત ચિત્તવાળા તેણે પિતાના પુત્રને રાજ્ય આપીને પિતાના પિતાને દીક્ષા આપનારા જ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પરલોકમાં ગયા ત્યારે કોઈક દિવસે પતનપુરમાં સુવર્ણકુંભ નામના આચાર્ય આવ્યા. શ્રેયાંસ જિનેશ્વરના શિષ્ય અને પરિવાર સહિત એવા તેને નમવા માટે અચળ નામને બળભદ્ર તે ઉદ્યાનમાં ગયે. ત્યાં આચાર્યને નમીને અને યોગ્યતા પ્રમાણે બેસીને મહ. રૂપી નિદ્રાને નાશ કરનારી તેની દેશના સાંભળી. અને તેણે અવસરે આ પ્રમાણે પૂછયું, કે–“હે ભગવાન ! જગતમાં પ્રસિદ્ધ અને ગુણવડે મોટે મારે ના ભાઈ ત્રિપૃષ્ઠ કઈ ગતિમાં ગયે છે ? ત્યારે સૂરિએ કહ્યું કે –“પચેંદ્રિયને વધ કરવામાં રાગી અને મહાઆરંભમાં તત્પર તે નૃશંસ (કૂર) મરીને સાતમી નરકમાં ગયો છે.” તે સાંભળીને સ્નેહથી મોહ પામેલ અચળ આ પ્રમાણે કહેવા લાગ્યું કે “હે જગતને વિષે વીર ! અને હે ધીર ! તારી આવી ગતિ કેમ થઈ. ? ” ત્યારે ગુરુએ તેને કહ્યું કે– “તું ખેદ ન કર. સાંભળ. પૂર્વના જિનેશ્વરેએ કહ્યું છે કે –“આનો જીવ અહીં છેલે તીર્થકર થશે. ” ત્યારપછી બળભદ્દે રાજ્ય ઉપર શ્રીવિજયને અને યૌવરાજ્યને સ્થાને બીજા પુત્રને સ્થાપન કરીને આ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રીવિજય રાજા રાજ્યનું પાલન કરતે હતો ત્યારે કોઈક વખત સભામાં બેઠેલા તેની પાસે આવીને પ્રતિહારે વિનંતિ કરી કે –“ સ્વામી ! તમારા મંદિરના દ્વારને વિષે તમારા દર્શન કરવામાં ઉસુક એક નૈમિત્તિક આવીને રહેલે છે. તે આવે કે જાય ?” પછી રાજાની અનુમતિથી તે પ્રતિહારે તેને સભામાં આ આશીર્વાદ આપીને તે ચગ્ય આસન ઉપર બેઠા. પછી રાજાએ તેને કહ્યું કે–“ હે નિમિરજ્ઞ! તું જ્ઞાનવડે જે શુભ અશુભને જુએ છે, તે તું કહે કેમકે તારા હાથમાં પુસ્તક, છે.” ત્યારે તે બે કે-“હે દેવ ! હું મારા પિતાના જ્ઞાનવડે જે જેઉં છું (જાણું છું.), તે કહેવાને પણ શક્ય નથી, પરંતુ તમારી આજ્ઞાથી કહું છું. આજથી સાતમે દિવસે પોતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળી પડશે. તેમાં કાંઈપણું સંશય નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy