SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ–જ્યાતિર્માલા ને સુતારાને સ્વયંવર [ ૨૧ ] આલ્યા કે—“વૈરીને પ્રણામ કરવા કરતાં મૃત્યુ સારું છે, તેથી તું ચક્ર મૂક, વજ્ર દેવને કાણુ અનુકૂળ કરે ( કરી શકે )? ” ત્યારે ત્રિપૃષ્ઠ મૂકેતુ' તે સુદČન ચક્ર તે અધગ્રીવની શ્રીવાને છેદીને ફરીથી ત્રિપૃષ્ઠની પાસે આવ્યું. તે વખતે “ આ પહેલા વાસુદેવ ઉત્પન્ન થયા છે. ” એમ ખેલતા દેવાએ ત્રિપૃષ્ઠની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ત્યારપછી તે ત્રિપૃષ્ઠ અધ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને સાધ્યા અને ડાબી ભુજાના અગ્રભાગવડે કાટિશિલાને છત્રની જેમ ધારણ કરી ( ઊંચી કરી ), ભૂચરા અને ખેચરાએ તેને વાસુદેવના અભિષેક કર્યાં, અને તેણે જ્વલનપ્રભને વિદ્યાધરના રાજા કર્યા. તથા ત્રિપૃષ્ઠની આજ્ઞાથી વિદ્યુત્પ્રભની બહેન જ્યેાતિયેલા અકીર્તિની મનેાહર ભાર્યો થઈ. પછી તે ત્રિપૃષ્ઠ પેાતાના નગરમાં ગયા. તેને અત્યંત વહાલી તે સ્વયં'પ્રભા નામની ભાર્યા સાળ હજાર સ્ત્રીઓને વિષે મુખ્ય થઇ. હવે અહીં તે શ્રીષેણુને જીવ સૌધર્મ દેવલેાકથી ચવીને જાતિમાંંલાની કુક્ષિરૂપી સરાવરને વિષે રાજહંસની જેમ ઉતર્યાં ( ઉત્પન્ન થયા ). તે વખતે માતાએ ઘણી પ્રભાથી વ્યાસ સૂર્યનુ સ્વપ્ન જોયું. પછી સમય પૂર્ણ થયે ત્યારે તે પુત્ર જન્મ્યા. તેનું અમિતતેજ નામ પાડયું. પછી તે અક કીર્તિ પિતાએ અભિનંદન નામના સાધુની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. પછી સત્યભામાના જીવ પહેલા દેવલાકથી વીને જ્યેાતિલાના ઉત્તરમાં અકીર્તિની પુત્રી થઇ. સારા તારાવાળી રાત્રિને સ્વપ્નમાં જોવાથી તે પુત્રીનું સુતારા નામ પાડ્યુ. અનુક્રમે સારા તારા જેવી નેત્રવાળી તે મનેાહર યુવાવસ્થાવડે શાભિત થઇ. પછી અભિનદિતાના જીવ આયુષ્યના ક્ષય થયે ત્યારે સ્વર્ગથી ચવીને સ્વયંપ્રભા નામની રાણીને વિષે ત્રિપૃષ્ઠના પુત્ર થયેા. તેની માતાએ સ્વપ્નમાં મહાલક્ષ્મીના અભિષેક જોયા હતા, તેથી તેનું શ્રીવિજય એવું નામ પાડયું. ત્રિપૃષ્ઠ વાસુદેવને સ્વયં પ્રભાથી ઉત્પન્ન થયેલે વિજયભદ્ર નામે બીજો પણ પુત્ર થયા. પછી તે સિંહનદિતાના જીવ સૌધર્મ દેવલેાકથી ચ્યવીને ખ્યાતિપ્રભા નામની ત્રિપૃષ્ઠની જ પુત્રી થઈ. વિષ્ણુએ અતિ મનહર અંગવાળી તે પુત્રીને માટે સ્વયંવર કરાવ્યેા. અને દૂતના મુખવડે સારા રાજાઓને ખેલાવ્યા. ત્યારે અકકીર્તિ રાજાએ કેશવની પાસે પેાતાના મંત્રીને માકલ્યે. તેણે આવીને વિષ્ણુને નમસ્કાર કરીને હાથ જોડીને કહ્યું—“હે દેવ! મારા સ્વામિની પુત્રી સુતારા પણ તમારી આજ્ઞાવર્ડ અહીં જ આવીને પેાતાની ઇચ્છાથી વરને વરે. ” ત્યારે હર્ષ પામેલા ગાવિંદે કહ્યું કે—“ ભલે એમ થાશે, આ બાબતમાં શું કહેવું હાય ? કેમકે અર્કકીર્તિના અને મારા આવાસની કાંઇ ભિન્નતા નથી. ” ત્યારપછી પુત્રીને લઇને અમિતતેજ નામના પુત્ર સહિત અકીર્તિ રાજા ત્યાં આવ્યે. તેને વિષ્ણુએ પૂજ્યેા ( સત્કાર કર્યાં ). પછી ત્રિપૃષ્ઠ સ્વયંવર મંડપ કરાવ્યેા. તેમાં ઘણાં માંચાઓ અને નામવડે ચિન્હવાળા આસના નખાવ્યા. ત્યારપછી તે આસના ઉપર અનુક્રમે તે રાજાએ એઠા અને તેઓની મધ્યે તે વિષ્ણુ અને ખળભદ્ર બેઠા. આ અવસરે સ્નાન કરેલી, શ્વેત વજ્રોવરે અતિશે।ભતી, શ્વેત અંગરાગ અને પુષ્પાવર્ડ વ્યાસ ( સહિત ), વિશાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy