________________
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
""
""
મા. તે ચને જોઈને તથા તે વચન સાંભળીને અશ્વત્રીને પણ આ પ્રમાણે વિચાર્યું કે આ ભુજાખળવટે આ (ત્રિપુષ્ઠ ) મારા પણ અલંકાર છે ( સમર્થ ) છે. તથા જવલનપ્રભ પાસેથી કન્યાના વૃત્તાંતને જાણીને તેણીની માગણી કરી, ત્યારે તેણે પણ તેના પુરુષાને કાંઇક ઉત્તર આપીને તેને બેધ પમાડ્યો. પછી ગુપ્ત રીતે તે કુમારીને પાતન નામના નગરમાં લઈ જઈને નૈમિત્તિકે કહેલા ત્રિપૃષ્ઠની સાથે પરણાવી. પછી શ્મિશ્ર મંત્રીએ કાઇક માણસથકી સ્વય’પ્રભાને પરણેલી સાંભળીને અશ્વત્રીવ રાજાને તે વાત કહી. ત્યારે કાપ પામેલા તેણે તેને આ પ્રમાણે આજ્ઞા આપી કે—“ તે ત્રિપૃષ્ઠને અને અચળને બાંધીને તથા તે માયાવી ખેચરને બાંધીને અહીં લાવ. ” ત્યારે તે મંત્રીએ દૂતને માકલ્યા. તેણે પાતનપુરમાં જઈને ચતુરાઈવાળા ઉદ્ધત વચનવડે જવલનપ્રભ રાજાને કહ્યું કે—“ હું રાજા ! મારા સ્વામીને તારું' કન્યારત્ન આપ. શું તુ નથી જાણતા કે સ્વામી જ રત્નાનું શરણુ હાય છે ? જ્વલનપ્રલે કહ્યું કે—“ હે દૂત ! તે કન્યા મેં' ત્રિપૃષ્ઠને આપી છે, તેથી હવે તેણીની રક્ષા કરનાર તે જ છે. પછી ત્રિપૃષ્ઠ મેલ્યા કે—“ હું દૂત ! ને હું જ પરણ્યા છું. તેને ઇચ્છતા તે તારા સ્વામી શું પેાતાના વિતથી નિવેદ ( ખેદ ) પામ્યા છે ? ” તે વાત દૂતના વચનથી સાંભળીને ક્રોધથી ઉદ્ધૃત થયેલા અશ્વગ્રીવે તે પેાતાના શત્રુઓને હણવા માટે વિદ્યાધર સુભટાને માકલ્યા. સ્વામીએ પ્રેરેલા ( મેાકલેલા ) તેઓ પાતનપુરમાં આવીને પ્રહાર ( યુદ્ધ ) કરવા લાગ્યા. તે સર્વેને બળવાન ત્રિપૃષ્ઠે લીલાવડે જ જીતી લીધા. અને તેઓને કહ્યું કે—તે ખરગ્રીવને ( અશ્વગ્રીવને ) હું ચાદ્ધાએ ! તમે કહેજો કે—જો તુ શૂરવીર હાય તે જલદી આવ. રથાવત ને વિષે આપણું યુદ્ધ હૈ. ” તેએાએ જઇને પ્રમાણે કહ્યું ત્યારે તે ( અશ્વશ્રીવ ) વિદ્યાધરના સૈન્ય સહિત ત્યાં અબ્યા, અને ત્રિપૃષ્ઠ પણુ સૈન્ય સહિત સસરાને ઘેર આવ્યેા. ત્યારપછી એ અગ્ર સૈન્યાનું યુદ્ધ થયુ તેમાં વિદ્યાધરાએ શત્રુને નાશ કરનાર રાક્ષસ, વ્યાઘ્ર અને પિશાચ વિગેરે હિંસક પ્રાણીએ કર્યો ત્યારે તે જોઇને ભય પામેલી ત્રિપૃષ્ઠની સેના પેાતે જ નાશી ગઇ. પછી રથ ઉપર ચડીને અચળને નાના ભાઇ ( ત્રિપૃષ્ઠ) વિદ્યાધરો સાથે યુદ્ધ કરવા આવ્યા અને તેણે શંખ વગાડ્યો. તેના શબ્દવડે પેાતાનું સૈન્ય ફ્રીથી યુદ્ધ કરવા તૈયાર થયું અને શત્રુનું સૈન્ય નાશી ગયું. ખાદ રથ ઉપર ચડીને પાતે અશ્વગ્રીવ પણ જેમ સિંહ શરલની સાથે યુદ્ધ કરવા આવે તેમ ત્રિપૃષ્ઠની સાથે યુદ્ધ કરવા જલદીથી આવ્યેા. પછી તે અશ્વશ્રીવ દિવ્ય શસ્રોવર્ડ યુદ્ધ કરવા લાગ્યા ત્યારે જેમ સૂર્ય અંધકારના ઉચ્છેદ (નાશ) કરે, તેમ ત્રિપૃષ્ઠે તે સર્વ શસ્ત્રોના ક્રીડાવડે જ ઉચ્છેદ કર્યાં. ત્યારે તેણે ત્રિપૃષ્ઠની ઉપર ભય કરનારું ચક્ર મૂક્યું. તેણે ત્રિપૃષ્ઠને છાતીમાં તુંખવડે તાડન કર્યું, અને તે ચક્ર ત્યાં જ રહ્યું. પછી તે ચક્રને ગ્રહણ કરીને તેણે તેને કહ્યુ કે—“અરે! મને નમસ્કાર કરીને તારા પેાતાના મરણનુ નિવારણ કર. અશ્વગ્રીવ
,,
૧. ગધેડાની જેવી ગ્રીવાવાળા. ૨. અષ્ટાપદ મૃગ તે સિંહને પણ જીતી લે છે.
[ ૨૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org