SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ-ત્રિપૃષ્ઠ કરેલ સિંહને સંહાર. [ ૧૮ ] ચરપુરુષના મુખેથી સાંભળ્યું. ત્યારપછી તે ચંડવેગ પણ રાજાની પાસે આવ્યા. “રાજાએ આ વૃત્તાંત જાયે છે” એમ જાણીને તેને (રાજાને) યથાર્થ (સત્ય) વાત કહીને ફરીથી કહ્યું કે –“હે દેવ! આ બાળણા જ છે. પ્રજાપતિ રાજા તે કેઈપણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી, તેથી તે રાજા ઉપર તમારે જરા પણ ક્રોધ કરવો નહીં.” હવે તેના શાલિક્ષેત્રે દરેક વર્ષે સિંહના ઉપદ્રવથી રાજાવડે વારા પ્રમાણે રક્ષણ કરાતા હતા. તે વર્ષે મનમાં ક્રોધ પામેલા તે રાજાએ વારો નહીં છતાં પણ પ્રજાપતિ રાજાને દૂતના મુખવડે તે ક્ષેત્રની રક્ષા કરવાનું કહ્યું. ત્યારે પિતાને નિષેધ કરીને બળવડે શેભતા તે બન્ને કુમારે જ્યાં તે શાલિક્ષેત્રના પ્રદેશની પૃથ્વી હતી ત્યાં ગયા. ત્યારે ત્યાં રહેલા શાલિના રક્ષકપુરુષો (ખેડૂત) વિસ્મય પામીને કહેવા લાગ્યા કેસૈન્ય અને વાહન સહિત જ આવીને રાજાઓ આ શાલિનું રક્ષણ કરે છે, અને તમે તે કઈક નવા શાલિરક્ષક છે કે જે તમે બખ્તર રહિત અને સન્મ રહિત આવ્યા છે.” ત્યારે ત્રિપૃષ્ઠ બે કે –“હે પુરુષ! પ્રથમ તો મને તે સિંહ દેખાડો, કે જેથી તે રક્ષણના કલેશને હું સર્વથા પ્રકારે દૂર કરું.” ત્યારે તેઓએ તેને ગિરિની ગુફામાં સૂતેલા સિંહને દેખાડ્યો. ત્યારે રથમાં બેઠેલ વિપૃષ પણ તે ગુફાના દ્વાર પાસે ગયે. રથના ચીત્કાર શબ્દવડે તે સિંહ જાગ્યા. અને મુખરૂપી ગુફાને પ્રસારીને (લાંબી કરીને) ગુફામાંથી બહાર નીકળે. તેને પદાતિ (પગે ચાલતે) જેઈને કુમાર પણ તે જ થયે (રથમાંથી ઉતર્યો), તથા તેને આયુધ રહિત જોઈને તેણે ખ8 રત્નનો ત્યાગ કર્યો. કુમારની આવી ચેષ્ટા જોઈને વિસ્મય પામેલ સિંહ પણ વિચારવા લાગ્યું કે“અહો ! તે આ પહેલું આશ્ચર્ય છે, કે જે આ અહીં એકલે જ આવ્યો છે. પગે ચાલવાપણું એ બીજું આશ્ચર્ય છે, અને ખડનો ત્યાગ એ ત્રીજું આશ્ચર્ય છે. તેથી આને હું મારી અવજ્ઞાનું ફળ હમણાં દેખાડું છું.” એ પ્રમાણે વિચારીને ક્રોધથી આકાશમાં કુદીને તેના મસ્તક ઉપર તે પડ્યો. તરત જ કુમારે તે સિંહના મુખમાં પોતાના બે હાથ નાંખ્યા. તેમાં એક હાથ વડે તેના એકને અને બીજા હાથ વડે અધરને પકડીને જીર્ણ વસાની જેમ તેને ફાડી નાંખે. આ પ્રમાણે બે ભાગ કરીને તેને કલેવર(શરીર)ને પૃથ્વી ઉપર નાંખ્યું, તે પણ ક્રોધથી તે શરીર ફરકવા લાગ્યું. ત્યારે તત્કાળ સારથિએ કહ્યું કે –“હે સિંહ! આ કુમાર પુરુષસિંહ છે, અને તે પશુસિંહ છે, તે સિંહવડે સિંહ હણાયે, તેમાં તું શોક કેમ કરે છે ? ” આ પ્રમાણે તેના વચનવડે પ્રસન્ન થયા છતાં પણ તે સિંહ મરીને નરકે ગયે. તે વખતે પ્રજાપતિ રાજાના પુત્રે પણ તેનું ચર્મ અશ્વગ્રીવ રાજાને આપ્યું. તેણે જ (ચમેં અથવા ત્રિપૃષ્ઠ જ) આદેશ કર્યો, અને ત્યાં રહેલા વિદ્યાધર પુરુષ પાસે કહેવરાવ્યું કે–“ હવે તું મારા પ્રસાદથી એદન (ભાવ) ૧. ઉપર હોઠ. ૨. નીચેને હા. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy