SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નામના મંત્રીએ કહ્યું કે –“દેવ ! ઉત્તરશ્રેણિમાં પ્રભંકરા નામની નગરી છે. તેમાં મેઘધન નામે રાજા છે, તેને મેઘમાલિની નામની ભાર્યા છે, તેઓને વિદુલ્યભ નામને પુત્ર છે, અને જાતિર્માલા નામની ઉત્તમ પુત્રી છે. તે વિસ્મભ આ તમારી પુત્રીને યેગ્ય વર છે, તથા તે તિમલા તમારા કુમારની પત્ની થવાને યોગ્ય છે.” ત્યારપછી શ્રતસાગર નામના બીજા મંત્રીએ કહ્યું કે –“હે દેવ! આ કન્યાને સ્વયંવર કરવો ગ્ય છે. ” આ પ્રમાણે સર્વના મતને સાંભળીને રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યા અને પછી સંભિન્નશ્રોત નામના ઉત્તમ નૈમિત્તિક(જોશી)ને પૂછયું. ત્યારે નૈમિત્તિક બે કે –“હે રાજ! પતનપુરના સ્વામી પ્રજાપતિ નામના રાજાના જે ત્રિપૃષ્ઠ અને અચળ નામના બે પુત્રો છે. તે આ ભરતક્ષેત્રમાં વિષ અને બળભદ્ર થશે. અને આ અશ્વગ્રીવ નામના પ્રતિવિષ્ણુને તેઓ મારી નાંખશે. આવું વચન મેં સાધુના મુખેથી સાંભળ્યું છે. હવે પછી હે રાજા ! હું મારા જ્ઞાનવડે જાણુને કહું છું, તે ત્રિપુછ તમને વિદ્યાધરે. શ્વરપણું આપશે. અને આ સ્વયંપ્રભા તેની અગ્રમહિષી થશે.” તે સાંભળી ખુશી થયેલા તે રાજાએ તેને યોગ્ય રીતે સત્કાર તથા વિદાય કરીને મારીચિ નામના દૂતને પોતનપુરમાં મેક. ત્યારે તેણે ત્યાં જઈને પ્રજાપતિ રાજાને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે“અમારા સ્વામી વિલાપ્રભ નામના વિદ્યાધરેંદ્ર સ્વયંપ્રભા નામની પિતાની કન્યા તમારા પુત્ર ત્રિપૃષને આપવા ઈચ્છે છે, તે કારણથી હે પ્રભુ! તેણે મને તમારી પાસે મોકલ્ય છે.” ત્યારે પ્રજાપતિ રાજાએ કહ્યું કે –“ આ કાર્યને હું બહુ સારું માનું છું.” ત્યારે તે પણ પાછા વળીને પિતાના નગરમાં આવીને તે વાત પોતાના રાજાને કરી. આ તરફ અશ્વીવ રાજાએ જોયેલા વિશ્વાસવાળા અવબિંદ નામના નિમિત્તિયાને પૂછયું કે –“મારું મરણ કેનાથી થશે?” ત્યારે તે બે કે –“તમારા ચંડવેગ નામના દૂતને જે તિરસ્કાર કરશે, તથા શાલિક્ષેત્રને અપકાર કરનાર સિંહને જે હણશે, તે તમને હણશે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ સત્કાર કરીને તેને વિદાય કર્યો. તથા પ્રજાપતિના બને પુત્રો ક્રૂર છે એમ લોકો થકી જાણ્યું. પછી તે રાજાએ દૂતને મોકલ્યો, ત્યારે અખલિત (નિરંતર ) ગતિવાળે તે હૂત થતાં પ્રેક્ષ( નાટક)વડે વ્યાપ્ત પ્રજાપતિ રાજાની સભામાં ગયો. તત્કાળ પ્રેક્ષણના રંગને ભંગ જોઈને ત્રિપૃષ્ઠ અને અચળ નામના તે બને કુમાર તેના ઉપર અત્યંત કપ પામ્યા. પછી રાજાએ તે દૂતને સત્કાર કરીને વિદાય કર્યો, અને તે ત્યાંથી ચાલ્યો. તે વાત ત્રિપૃષ્ઠ અને અચળની પાસે તેના પદાતિઓએ (સીપાઈઓએ) કહી. ત્યારે તે બન્નેએ તેની પાસે જઈને તેને રંગના ભંગને અવિનય વારંવાર સ્મરણ કરાવીને ( કહીને ) મુષ્ટિ અને પાણિ(પાની)ના પ્રહારવડે અત્યંત શિક્ષા કરી પુત્રનો તે દુષ્ટ ચેષ્ટા સાંભળીને પ્રજાપતિ રાજાએ તે દૂતને ખમાવ્યો, અને વિશેષ કરીને તેને સત્કાર કર્યો. અશ્વગ્રીવ રાજાએ તે દૂતનું. ઘર્ષણ (અપમાન) ૧. શાલિ એટલે ડાંગર નામનું ધાન્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy