________________
પ્રથમ પ્રસ્તાવ-મંગળકળશને પૂર્વભવ.
[ ૧૫ ]
હાથમાં દશ હજાર સોનામહોર આપી, તે દેશાંતરમાં ગયો. તેનો મિત્ર સેમચંદ્ર તે ધનને શુદ્ધ ચિત્તવડે યોગ્ય સ્થાને વ્યય કરવા લાગ્યો. તેને અનુસારે તે પોતાના ધર્મને પણ કરવા લાગ્યું. તે જાણીને તેની ભાર્યા પણ અનુમતિથી ધમને ભજવા લાગી. તે જ નગરમાં તેને સખી ભદ્રા નામની હતી. તે નંદન શ્રેણીની પુત્રી અને દેવદત્તની ભાર્યા હતી. કાળે કરીને કઈ પણ કર્મના દેષથી તે દેવદત્ત કુછી થયો ત્યારે તેની ભાર્યા ભદ્રા ખેદ પામી. તેણીએ એક દિવસ સખીની પાસે તે સ્વરૂપ નિવેદન કર્યું. ત્યારે હાસ્ય કરતી તેણીએ તેણીને સંઘમ સહિત કહ્યું કે “હે સખી ! તારા સંગના દોષવડે તારે પતિ કુછી થયે. મારી દ્રષ્ટિએ પણ તું ન આવીશ. તેથી હવે દૂર જા.તે વચનવડે તે મનમાં દુઃખ પામી અને ક્ષણ વાર શ્યામ મુખવાળી રહી. ત્યારે “ આ તે હું હાંસી' કરું છું.” એમ કહીને તેણીએ જ તેને ખુશ કરી. તે સમચંદ્ર તે શ્રીદેવી ભાર્યા સહિત સાધુના સંસર્ગથી પ્રાપ્ત કરેલા શ્રાવક ધર્મને પાળવા લાગ્યો. છેવટ સમાધિવડે મરણ પામીને તે બને સ્ત્રીપુરુષ સૌધર્મ દેવલેકમાં પાંચ પોપમની સ્થિતિવાળા દેવ થયા. તે સમચંદ્રનો જીવ સૌધર્મથી ચ્ચવીને તું રાજા થયો છે, અને શ્રીદેવીનો જીવ
ગ્નવીને ગેલેક્સસુંદરી થઈ છે. તે વખતે પરદ્રવ્યવડે તેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તેથી આ રાજપુત્રીને તું ભાડાવડે પર. પહેલાં આ સ્ત્રીએ પોતાની સખીને હાસ્યવડે પણ જે કલંક આપ્યું હતું, તે કલંક આ ભવમાં તેણીને અવશ્ય પ્રાપ્ત થયું છે. ” તે સાંભળીને વૈરાગ્ય પામેલા તે રાજા અને રાણીએ પોતાના પુત્રને રાજ્ય આપીને ગુરુની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. અનુક્રમે તે રાજર્ષિ સર્વ સિદ્ધાંતનો પારગામી થયો ત્યારે ગુરુએ પરિવાર સહિત તેને સૂરિને સ્થાને સ્થાપન કર્યો. તથા શૈલેયસુંદરી સાવીને પ્રવતિની તરીકે સ્થાપના કરી. તે બન્ને મરણ પામીને બ્રહ્મલોકમાં ગયા. ત્યાંથી આવીને મનુષ્યપણું પામીને ફરીથી દેવપણને પામ્યા. એ પ્રમાણે ત્રીજે ભવે તે બને સિદ્ધિપદને પામ્યા.
ઈતિ મંગલકલશ કથાનક
આ ધર્મકથા સાંભળીને પ્રતિબોધ પામેલા રાજાએ ગુરુની પાસે સમ્યકત્વ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. પછી સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. તથા શ્રોણ રાજા રાજ્યને અને જૈન ધર્મને યત્નથી પાળવા લાગ્યું. રાજાના જ ઉપદેશવડે તેની પ્રિયા અભિનંદિતા વિશેષે કરીને ધર્મને ભજવા લાગી, અને બીજા લોકો ભદ્રપણું પામ્યા. હવે અહીં કેશાબી નગરીના બળભૂ૫ રાજાએ શ્રીમતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી શ્રીકાંતા નામની પિતાની પુત્રી શ્રીષેણ રાજાના પુત્ર ઈદુષણને માટે રવયંવરા તરીકે તે નગરમાં પરિવાર સહિત મોકલી. રૂપના અતિશયવડે યુક્ત અને નવયોવનવાળી તેણીને જોઈને તેને પરણવાની ઈચ્છાવાળા તે બન્ને રાજપુત્ર દેવરમણ નામના ઉદ્યાનમાં રહીને ગાઢ બખ્તરને બાંધીને ભયંકર વનના હાથીની જેમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે સ્વ૯૫ કષાયવાળ, સ્વચ્છ મનવાળો, જિનેશ્વરની વાણીવડે ભાવિત, અત્યંત ક્ષમાના સારવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org