________________
[ ૧૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
અને પ્રિય વચન બેલનાર તે શ્રીષેણ રાજા પેાતાના તે પુત્રાને આ પ્રમાણે વૈરવાળા જોઇને તેમને નિવારણ કરવાને અસમર્થ હાવાથી વિચારવા લાગ્યા કે—“ અહા ! વિષયનું લંપટપણ કેવુ છે? અહા ! કર્મની વિચિત્રતા કેવી છે ? અહા ! રાગદ્વેષરૂપી શત્રુ કેવા છે ? અને અહા ! માહુના વિલાસ કેવા છે ? કે જેથી આ મારા પુત્રા મહાબુદ્ધિમાન અને મહાત્મા થઇને પણ એક સ્ત્રીને માટે કજીયેા કરે છે. આ બન્નેના દુઘ્ધત્રિવર્ડ લજજા પામતા હું સભાની અંદર નગરના મુખ્ય માણસેાને મારું મુખ શી રીતે દેખાડીશ ? તેથી આ અવસ્થાને વિષે મારે મરવું એ જ શરણુ છે. ” આ પ્રમાણે તેણે પેાતાનેા અભિપ્રાય બન્ને દેવીઓને કહ્યો. પછી તે બન્ને સહિત તે રાજા પંચનમસ્કારનું સ્મરણ કરી વિષથી મિશ્ર કરેલા કમળને સુઘવાના પ્રયાગવડે મરણ પામ્યા. દુષ્ટ શીલવાળા આ કપિલના સંગમથી ભય પામતી સત્યભામાએ પણ તે જ વિધિવડે પેાતાના જીવિતના ત્યાગ કર્યાં.
પછી જ અદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની અંદર વંતા ( રહેલા ) ઉત્તર નામના કુરૂક્ષેત્રને વિષે તે ચારે જીવા યુગલીયા તરીકે થયા. શ્રીષેણુ અને પહેલી પત્નીના જીવ પહેલા મિથુનરૂપ થયા, સિંહનદિતા અને સત્યભામાના જીવ ખીજા મિથુનરૂપે થયા. હવે અહીં તે ઇંદુભેણુ અને બિંદુષણ યુદ્ધ કરતા હતા ત્યારે એક ચારણુ ઋષિ કાઇપણ ઠેકાણેથી ત્યાં આવીને મેલ્યા કે–“ અરે ! પાતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા અને ચરમ શરીરવાળા તમે આવુ કાર્ય કરતા કેમ લજ્જા પામતા નથી ? આવુ અાગ્ય કર્મી જોઈને તે તમારા પિતા ભાર્યા સહિત વિષ સુધવાના પ્રયાગવડે મરણ પામ્યા છે. આ પૃથ્વીતળને વિષે જેઓના ઉપકારની સીમા નથી, તે માતાપિતાના વિનાશને માટે તમે દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયા છે, માટે તમને ધિક્કાર છે. તેથી માહની ગેાપી સમાન, વૃષભને દમન કરનારી દામિની સમાન, ઈચ્છા પ્રમાણે ચાલનારી અને કજીયાની ભૂમિ સમાન આ કામિની ( સ )ના ત્યાગ કર.” આ પ્રમાણે તેના વચનથી પ્રતિમાધ પામેલા અને શુભ અંતઃકરણવાળા તે અન્ને યુદ્ધના ત્યાગ કરીને તે મુનિને નમીને હ થી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા કે- તમે અમારા ગુરુ છે, તમે પિતા છે, તમે માતા છે, અને તમે અમારા સ્નેહી મધુ છે, કે જેણે રાગદ્વેષથી ઉપાર્જન કરેલી દુર્ગતિથકી અમારું રક્ષણ કર્યું.... પછી તે સ્ત્રીને તજીને તે બન્ને પાતાને ઘેર ગયા. પછી પિતા વિગેરેનું સર્વ પ્રેત કર્યું. પછી પેાતાના ગાત્રવાળાને રાજ્ય સાંપીને ધરુચિ મુનિની પાસે ચાર હજાર મનુષ્યા સહિત તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. પછી ચિરકાળ સુધી દીક્ષા પાળીને, વિવિધ પ્રકારના તપ કરીને તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને તે બન્ને સિદ્ધિપદને પામ્યા.
""
શ્રીષેણુ વિગેરે તે એ મિથુના ( ચાર જીવ ) ઉત્તર પ્રાક્ કુરુક્ષેત્રમાં સુખને ભાગવીને પછી સૌધર્મ દેવલાકમાં ગયા. ત્યાં પણ ત્રણ પત્યેાપમનું આયુષ્ય હતું.
આ પ્રમાણે આચાય શ્રી અજિતપ્રભસૂરિએ રચેલા શ્રી શાંતિનાથ ચરિત્રને વિષે પૂર્વના ત્રણ ભવના વધુ નવાળા પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયા.
૧ માઢા આત્માવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org