SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પણ તે બન્નેને મેલાવીને સર્વ વૃત્તાંત પૂછીને અને સાંભળીને આશ્ચર્ય પામ્યા. પછી રાજાની આજ્ઞાવર્ડ ફરીથી તે પ્રાસાદમાં જઈને શૈલેાક્યસુંદરીની સાથે તે મંગલ વિલાસ કરવા લાગ્યા. પછી સુદરીએ રજા આપેલા સિંહ સૈન્ય અને વાહન સહિત તે પુરુષ વેષને લઇને ચંપાનગરીમાં ગયા. તેણે સર્વ વૃત્તાંત કહ્યો ત્યારે હર્ષ પામેલા તે રાજા મેલ્યા કે—“ અહા ! મારી પુત્રીની બુદ્ધિકુશળતા કેવી છે ? અહા ! પાપકર્મીને કરનારા મારા મંત્રોની કુમુદ્ધિ કેવી છે ? કે જેથી દાષ રહિત પણ મારી પુત્રીને ઢોષવાળી કેમ કરી ? ” પછી તે રાજાએ ફરીથી સિંહને ઉયિનીમાં માકલીને ભર્તા સહિત પાતાની પુત્રીને અણાવીને વિધિ પ્રમાણે તેમના સત્કાર કર્યો. પછી રાજાએ તે અમાત્યને પકડાવીને મારી નાંખવાના આરંભ કર્યાં, ત્યારે મંગળે ગાઢ પ્રાર્થના કરીને રાજાથકી તેને મૂકાવ્યા. તે વખતે “ હું પાપી ! જમાઈના આગ્રહથી મેં તને મુક્ત કર્યાં. ” એમ ખેલતા રાજાએ નગરમાંથી તેને કાઢી મૂકયેા. પછી પુત્ર રહિત તે રાજાએ એ જમાઇને પુત્ર તરીકે માન્યા, અને તેના માતાપિતાને પણ ત્યાં જ અણુાન્યા( મેલાવીને રાખ્યા ). પછી કાઈક દિવસે મંત્રી અને સામતની સંમતિવડે તે બુદ્ધિમાન રાજાએ ઉત્સવપૂર્વક મંગળકળશને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં. પછી તે સુરસુ ંદર રાજાએ યશાભદ્ર નામના સૂરિના ચરણની પાસે પરિત્રજ્યા( દીક્ષા ) ગ્રહણ કરી. પછી “ કાઇક વણિક જાતિને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. એમ. ઇર્ષાવડે પ્રત્યંત( સીમાડાના ) રાજાએ તેનું રાજ્ય હરણુ કરવા પ્રાપ્ત થયા. ત્યારે ચતુરગી સેના સહિત મોટા બળવાળા તે મંગળ રાજાએ માટા પુણ્યના પ્રભાવવર્ડ તે સર્વને જીતી લીધા. શત્રુઓને શાંત પાડીને રાજ્યનું પાલન કરતા તેને ત્રલેાકયસુંદરી પત્નીને વિષે જયશેખર નામે પુત્ર થયા. તે રાજાએ પેાતાના દેશમાં અનેક જિનચૈત્યા, જિનેશ્વરની મૂત્તિ અને રથયાત્રા ઇત્યાદિ ધર્મનાં કાર્યો કરાવ્યાં. એક દિવસ ઉદ્યાનમાં આવેલા જયસિંહ નામના ગુરુની પાસે ભાર્યાં સહિત તે રાજાએ જઇને તેને વાંધા અને પૂછ્યું કે હું ભગવાન ! કયા કવર્ડ મેં ઉદ્વાહને વિષે વિડંબના પ્રાપ્ત કરી અને દૈવીએ દૂષણુ પ્રાપ્ત કર્યું ? ” "" ત્યારે સૂરિ ખેલ્યા કે—“ આ જ ભરતક્ષેત્રને વિષે ધન અને ધાન્યની સમૃદ્ધિવાળુ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તેમાં સામચંદ્ર નામે કુલપુત્ર હતા, તેને શ્રીદેવી નામની ભાર્યો હતી. તે બન્ને પરસ્પર પ્રીતિવડે શેાતા હતા. આ સામચંદ્ર પ્રકૃતિથી જ ( સ્વભાવથી જ ) આ વાદિક ગુણુ સહિત હાવાથી સર્વ લેાકને માન્ય હતા. અને તેની ભાર્યો પણ તેવી જ હતી. હવે તે જ નગરમાં જિનદેવ નામના બુદ્ધિમાન શ્રાવક હતા. તેની સાથે તેને નિરંતર મૈત્રી હતી. તે જિનદેવ ધન છતાં પણ ધનની ઇચ્છાવાળા થયા, તેથી એકદા દેશાંતરમાં જવાની ઇચ્છાવાળા તેણે પાતાના મિત્રને કહ્યું કે હું ધનને માટે જઈશ. હું ત્યાં જાઉં ત્યારે ( ત્યારપછી ) તારે મારું ધન સાત ક્ષેત્રને વિષે વિધિ પ્રમાણે વાપરવું. તને પણ તે પુણ્યના છઠ્ઠો ભાગ પ્રાપ્ત થાએ. ” એમ કહીને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy