SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ-ગેલેક્સસુંદરીએ યુક્તિપૂર્વક મેળવેલે મંગળકળશનો પત્તો. [૧૩] મોકલીને તે બુદ્ધિશાળીએ ભર્તાનું ઘર અને નામ વિગેરે સર્વશુદ્ધિ જાણી. કળાને અભ્યાસ કરવામાં તત્પર તે ભર્તાને જાણીને ગેલેક્સસુંદરીએ સિંહ સામંતને કહ્યું કે– “આ અવે શી રીતે ગ્રહણ કરવા?” સિંહે કહ્યું કે-“તારા આદેશ કરેલા ઉપાયવડે તે અ ગ્રહણ કરાય.” ત્યારે તેણુએ છાત્રા (વિદ્યાથીઓ) સહિત તે કલાચાર્યને ભેજન માટે નિમંત્રણ કર્યું. પછી ભેજનને માટે ત્યાં ઉપાધ્યાય આવ્યો ત્યારે છાત્રોની મળે હદયને આનંદ આપનાર પિતાના ભર્તાને તેણીએ જે તે વખતે તેને પિતાનું આસન અને થાળ અપાવ્યા. તથા ભેજનાદિકને વિષે વિશેષ કરીને ગૌરવ કરાવ્યું. ત્યારપછી તેણીએ સર્વ છાત્રોને યોગ્યતા પ્રમાણે વસ્ત્રો આપ્યાં. અને તે ભર્તાને પિતાના શરીરે લાગેલા ( પહેરેલા ) બે મનહર વસ્ત્ર આપ્યાં. અને કલાચાર્યને કહ્યું કે–“આ છાત્રોને મળે જે છાત્ર સારી કથાને જાણતો હોય, તે તમારી આજ્ઞાથી કહે.” પછી સર્વ છાત્રાએ ઈર્ષાવડે નિર્દેશ કરેલ (બતાવેલે) તે બુદ્ધિમાન મંગળ ઉપાધ્યાયના કહેવાથી આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“ ચરિત (સત્ય) કે કપિત કથાને કહું?” ત્યારે તે બોલી કે–“હે છાત્ર! ચરિતને કહે. કરિપતવડે સર્યું.” ત્યારે મંગળ વિચાર્યું કે “ચંપાપુરીમાં ભાડાવડે હું જેને પરણ્યા હતા, તે આ રોલકરસુંદરી છે. તે કોઈ પણ કારણથી પુરુષ વેષને ધારણ કરનારી થઈને અહીં આવી છે. ભલે એમ છે. પ્રથમ તો હું મારી કથા કહું.” એમ વિચારીને તે બોલ્યો કે–“આશ્ચર્ય કરનારી કથા લોકોને પ્રિય થાય છે, તે કથા મારા શરીરને વિષે થઈ છે. તેને હું કહું છું, તમે સાંભળો.” એમ કહીને તેણે ત્યાં આદિથી ત્યાં સુધી કથા પ્રકાશ કરી, કે જ્યાં સુધી મંત્રીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તે વખતે ખેટ કેપ કરીને રાજપુત્રી બોલી કે-“અરે ! અરે ! અસત્ય બેલનારા આને પકડે, પકડો.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તેના પતિએ તેને પકડવા માટે તૈયાર થયા. તે વખતે તેણીએ જ તેઓને નિવાર્યા અને તે છાત્રને તરત જ ઘરની અંદર આયે. પછી તેને આસન ઉપર બેસાડીને રાજપુત્રીએ સિંહને કહ્યું કે-“હે સિંહ! જેની સાથે હું પરણી છું, તે જ આ મારો પતિ છે. તેથી હવે શું કરવું યોગ્ય છે?” આ પ્રમાણે કહેવાયેલ તે સિંહ પણ બે કે“જે આ તારો ભર્તા હેય, તે શંકા રહિતપણે તેને સેવ.” ત્યારે તેણુએ સિંહને કહ્યું કે-“જે હજુ પણ તારા મનમાં કોઈ શંકા હોય, તે આને ઘેર જઈને થાળ વિગેરે વસ્તુને તું જે.ત્યારે તે કરવા (જાવા) માટે સિંહ ધનદત્તને ઘેર ગયો. તે ધનદત્ત પહેલાં છાત્રોના મુખથી પુત્રના કણને સાંભળીને વ્યાકુળ થયો હતો. તે જાણીને તે સિંહે . પુત્રના ગૌરવને વૃત્તાંત કહીને તેને બેધિત (જાણકાર) કર્યો. અને તે સિંહના કહેવાથી તેણે તેને થાળ વિગેરે વસ્તુ દેખાડી. પછી વહુનું સ્વરૂપ કહેવાવડે તે શેકીને ખુશ કરીને સિંહ ફરીથી રાજપુત્રીની પાસે આવ્યા. પછી સિંહ અનુમતિ આપેલી તે સુંદર સ્ત્રી વેષ ધારણ કરીને તે મંગલ મહાત્માની પ્રિયા થઈ અને તે બને છેકીને ઘેર ગયા. પછી રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy