SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રથમ પ્રસ્તાવ–મંત્રોના જૂઠા કથનથી રાજાને સ્વપુત્ર પ્રત્યે અભાવ. [ ૧૧ ] સ્થાને વિષાદ કેમ થયો છે?” તે બે કે-“હે મહારાજા ! આપણુ મંદ ભાગ્યના વશથી કર્મની વિચિત્ર ગતિ કેમ પરિણામ પામી? હર્ષથી ભરપૂર મનવાળો જીવ અન્ય પ્રકારે કાર્યનું ચિંતવન કરે છે, અને આ મહાવૈરી વિધાતા કાર્યને અન્ય (જુદા) પ્રકારે કરે છે.” રાજાએ કહ્યું-“હે મંત્રી ! પોતાના (તારા) દુઃખનું કારણ કહીને મને તે દુખના સંવિભાગ સહિત કર.” ત્યારે સચિવ નિ:શ્વાસ નાંખીને બોલ્યો કે-“હે દેવ ! દેવ તેવું કાર્ય કરે છે, કે જે કહી શકાય પણ નહીં. અને સાંભળનારાને શ્રદ્ધા કરવા ગ્ય પણ થાય નહીં. પ્રસન્નતાવાળા સ્વામી પાદે (આપે-તમે) મારા પુત્રને તમારી પુત્રી આપી (પરણાવી). તેને પરણ્યા પછી જે થયું, તે સાંભળો. રાજાએ (તમે) પિતે જે મારે પુત્ર જે હતે, તે તે જ હતું, પરંતુ હમણાં કુષ્ઠ રોગને પામેલે દેખાય છે. હવે શું થાય?” તે સાંભળી રાજાએ વિચાર્યું કે-“ખરેખર તે મારી પુત્રી જ ખરાબ લક્ષણવાળી છે, તેના પ્રભાવથી આને પુત્ર કુછી થયે. જગતમાં સર્વે પ્રાણીઓ પિતાનાં કર્મના ફળને ભેગવનારા હોય છે. આ પ્રમાણે જે કે જિનેશ્વરે કહેલે નિશ્ચયનય છે, તે પણ આ વ્યવહાર નય છે કે સુખદુઃખનું જે કારણ છે, તે જ લોકમાં ગુણદોષનું ભાજન કરાય છે. પિતાના કર્મના પરિણામવડે આને પુત્ર કુકી થયે છે, અને તેનું કારણ પણું હોવાથી મારી પુત્રી તે દોષનું ભાજન(સ્થાન) થઈ છે.” એમ વિચારી રાજાએ મંત્રીને કહ્યું કે-“આ અનર્થ મેં કર્યો છે, કેમકે જે મેં મારી પુત્રી ન આપી હત, તે તારો પુત્ર પણ મુકી ન થાત.” ત્યારે અમાત્ય પણ બોલ્યા કે-“હે સ્વામી! હિતકારક કાર્યને કરતા તમારો અહીં શે દેષ છે? મારા કર્મો જ દેષ છે.” એમ કહીને ઊઠીને મંત્રી પિતાને - સ્થાને ગયે. હવે તે શ્રેયસુંદરી ઈષ્ટ છતાં પણ રાજા અને પરિજનને અનિષ્ટ થઈ. તેણીની સાથે કોઈ પણ વાત કરતે હેતે, દષ્ટિવડે પણ કોઈ તેને આનંદ આપતે નહાતે; તેથી તે માતાના ઘરની પાછળ એક ગુપ્ત ગ્રહને વિષે રહી. તે વિચારવા લાગી કે-“મેં પૂર્વજન્મમાં શું દુષ્કર્મ કર્યું હશે કે જેથી તે મારો પરણેલો પતિ નાશીને કોઈ ઠેકાણે જતો રહો ? વળી બીજું એ છે કે લેકમાં મને આ કલંક પ્રાપ્ત થયું. અરેરે ! હવે હું શું કરું? કયાં જાઉં? હું મોટા વ્યસનમાં પડી છું.” આ પ્રમાણે વિચાર કરતી તેણના ચિત્તમાં તે વખતે એવું રહ્યું(કર્યું) કે-“તે મારા પતિ ખરેખર ઉજજયિની પુરીમાં પ્રાપ્ત થયો હશે, કેમકે તે વખતે તેણે માદક ખાઈને કહ્યું હતું કે આ માદક મનહર છે, પરંતુ અવંતીના જળને ઉચિત છે. તેથી કોઈ પણ ઉપાયવડે જે હું ત્યાં જાઉં, તે તેને શોધીને અને મળીને હું સુખભાગી થાઉં ” આ પ્રમાણે વિચારીને પછી કઈક દિવસ તેણીએ પિતાની માતાને કહ્યું કે-“હે માતા! જે પ્રકારે મારા પિતા એક વખત મારું વચન સાંભળે તે પ્રકારે તમે કરે.” તે માતાને અનાદરવાળી જોઈને કેઈક વખત સિંહ નામના સામંતને તેણીએ બે હાથ જેડીને તે અર્થકા) જણાવ્યું. ત્યારે રાજકુળમાં જઈને, રાજાને નમીને, નીચે બેસીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy