________________
'
[ ૧૮ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
વારંવાર કહેવા લાગ્યા. ત્યારપછી રથમાં ચડેલ (બેઠેલે) તે બુદ્ધિમાન તે માટે થોડા દિવસમાં જ પિતાની નગરીએ આવી પહોંચ્યો.
હવે અહીં તે મંગળના માતા પિતા તેની શોધ કરીને તથા ઘણા પ્રકારે વિલાપ કરીને ઘણું દિવસે પછી શોક રહિત થયા. ત્યાર પછી રથમાં બેઠેલા તેને પિતાના ઘર તરફ આવતે જોઈને તેને નહીં ઓળખવાથી તેની માતા સંભ્રમ સહિત બોલી કે “હે રાજપુત્ર! કેમ તું મારા ઘરની મધ્યે રથને ચલાવે છે? શું તું પૂર્વના માર્ગને તજીને નવા માર્ગને કરે છે?” આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ એટલામાં તે વિરામ ન પામ્યો, તેટલામાં વ્યાકુળ મનવાળી તે શ્રેષ્ઠિનીએ શ્રેષ્ઠીને કહ્યું. શ્રેણી પણ તેને નિષેધ કરવા માટે જેટલામાં ઘરમાંથી બહાર નીકળે, તેટલામાં રથથી ઉતરીને તે પિતાના પગને નમે. ત્યારે તેને ઓળખીને તે બનેએ પ્રગટ થયેલા હર્ષના તત્કાળ અશ્રુના સમૂહવડે આદ્ર નેત્રવાળા થઈને તે પિતાના પુત્રને આલિંગન કર્યું. પછી બેઠેલા તેને પૂછયું કે-“હે વત્સ! ક્યાંથી આવી અદ્ધિ પ્રાપ્ત થઈ? અથવા આટલો કાળ તું કયાં રહ્યો? હે પુત્ર! તું કહે.” ત્યારે તેણે પિતાની પાસે આકાશવાણીનું શ્રવણ અને હરણથી આરંભીને પિતાને સ્થાને (ઘર) આવવા સુધીની પિતાની સર્વ કથા કહી. તે સાંભળીને તે બને-“અહે! પુત્રનું સૌભાગ્ય, અહો ! પુત્રની ચતુરાઈ ?, અહો! તેની ધીરજલા? અને અહો ! તેનું ભાગ્ય? કેવું સારું છે?” એમ તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી તેણે પિતાનું ઘર પ્રાકારવડે ગુપ્ત કરાવ્યું, તથા અના રક્ષણને માટે અશ્વશાળાદિકનું નિયંત્રણ કરાવ્યું. ત્યાર પછી કેઈક દિવસે તેણે પિતાને કહ્યું કે-“હે પિતા! હજુ મારે કળાની પ્રાપ્તિ
ડી થઈ છે, તેને તમારી આજ્ઞાવડે હું પૂર્ણ કરું.” ત્યારે પિતાએ તેને અનુજ્ઞા આપી. ત્યારે તે પિતાના ઘરની પાસે રહેલા કર્માચાર્યની સમીપે કળાને અભ્યાસ કરવા લાગ્યા.
હવે આ તરફ તે મંત્રીએ રાત્રિને સમયે મંગળના વેષને ધારણ કરનાર પિતાના પુત્રને વાસભવનમાં (સુવાના ઘરમાં ) વહુની પાસે મોકલ્યા. શગ્યા ઉપર ચડેલા (બેઠેલા) તેને જોઈને લાક્યસુંદરીએ વિચાર કર્યો કે-“કુછના રેગથી પરાભવ પામેલા શરીરવાળો કેણ આ મારી પાસે આવ્યે?” પછી તે કરસ્પર્શ કરવાને ઉદ્યમી થયો ત્યારે તે તત્કાળ શામાંથી ઊઠીને ભવનની બહાર નીકળી ગઈ. દાસીઓએ તેને કહ્યું કે “હે સ્વામિનિ! તું સંભ્રમવાળી કેમ થઈ છે?” તે બેલી કે-“દેવ જેવા રૂપવાળે તે મારે પતિ કઈ પણ ઠેકાણે જ રહ્યો.” તેઓ બેલી કે–“તે તારો પતિ હમણાં જ અહીં બેઠો છે.” તે બોલી–“તે તો અહીં નથી. પણ કેઈ કુકના રેગવાળે છે.” પછી તે કયસુંદરી દાસીઓની મધ્યે સૂતી. તે રાત્રિને નિર્ગમન કરીને પ્રાત:કાળે પોતાના પિતાને ઘેર ગઈ. પછી દુર્ણ બુદ્ધિવાળો તે સુબુદ્ધિ મંત્રી પણ કેઈક દિવસ ચિંતાવડે શ્યામ સુખવાળે થઈને રાજાની પાસે ગયે. પ્રણામ કરીને બેઠેલા તેને આગ્રહ સહિત રાજાએ કહ્યું કે “તને હર્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org